SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૧૮ સમયે ગાંધર્વિકે ગાવાનો આરંભ કર્યો. જેનો પતિ પરદેશ ગયો છે તેવી તે ભદ્રા તેનામાં નિબદ્ધ થઈ. પછી તેની જ પૃચ્છા કરે છે, તેની જ ચિંતા કરે છે, પત્રો મોકલે છે. જાણે આવીને ઘરમાં પ્રવેશે છે. તેણી વિચારે છે કે ભૂમિ ઉપર સમીપ જ વર્તે છે, તેથી હું હવે ઉભી થઉં, એમ વિચારતા વિચારતા તેણી અગાસી ઉપરથી પડીને મૃત્યુ પામી. એ પ્રમાણે તે શ્રોત્રેન્દ્રિય દુઃખને માટે થાય છે. હવે ચક્ષુરિન્દ્રિયનું ઉદાહરણ આપે છે – મથુરા નગરીમાં જિનશત્રુ રાજા હતો, ધારિણી રાણી હતા. તેણી પ્રકૃતિ થકી ધર્મશ્રદ્ધાવાળી હતી. ત્યાં ભંડીરવન ચૈત્ય હતું. તેની યાત્રા આવી રાજા સાથે રાણી અને નગરજનો મહાવિભૂતિથી નીકળ્યા. ત્યાં એક શ્રેષ્ઠીપુત્ર વડે યાનમાં બેઠેલી રાણીથી યવનિકાંતથી નીકળી લકતક સહિત, નુપુરો સાથે, અતીવ સુંદર ચરણને જોવાયા, શ્રેષ્ઠી પુત્રે વિચાર્યુ કે જો આ સ્ત્રીના પગ આટલા સુંદર છે, તો તેણી રૂપથી દેવલોકની અપ્સરા કરતાં પણ અભ્યધિક સુંદર હોવી જોઈએ. શ્રેષ્ઠીપુત્ર તેણીમાં આસક્ત બન્યો. પછી તાપસ કરી કે આ કોણ છે? જાણ્યું. ૧૭૯ તેના ઘરની નજીકથી જતી શેરીમાં ગયો. તેની દાસીઓને બમણાં દામ આપીને મહા મનુષ્યત્વ દર્શાવ્યું. તેણીને હદયા કરી. રાણીએ પણ કહેવડાવ્યું. બંને વચ્ચે વ્યવહાર ચાલુ થયો. રાણી પણ તેની પાસેથી જ ગંધ આદિને ગ્રહણ કરે છે. કોઈ દિવસે શ્રેષ્ઠીયુષે કહ્યું – તું આવી મહામૂલ્ય ગંધાદિ પુટિકા ક્યાં લઈ જાય છે ? દાસીએ જવાબ આપ્યો. અમારી સ્વામીની ખરીદી છે. તેણે એક પુટિકામાં ભોજપત્રમાં લેખ લખીને નાંખ્યો. જેમકે – કાળે પ્રસુપ્ત જનાર્દનના. મેધાંધકાર અને શર્વરીમાં હે વિશાલનેત્રવાળી ! હું જુઠું બોલતો નથી. જે પ્રથમાક્ષર છે. તેમાં વિશ્વાસ કર. પછી ઉદ્ગાહિત કરીને વિદાય આપી. રાણીએ ભોજપત્ર ઉઘાડીને પત્ર વાંચ્યો. તેણીને વિચાર આવ્યો કે આ ભોગને ધિક્કાર છે. તેણીએ પ્રતિલેખ લખ્યો. “આ લોકમાં સુખ નથી, મનુષ્યનું જીવન થોડું છે, માટે હે યુવક ! તું ધર્મમાં મતિ કર. પાદ પ્રથમાક્ષર પ્રતિબદ્ધ ભાવાર્થ પૂર્વના શ્લોક પ્રમાણે જાણવો. પછી બાંધેલ પુટિકા સુંદર ગંધવાળી નથી એમ કહીને દાસી સાથે પાછી મોકલી. દાસીએ પુટિકા પાછી મોકલી અને કહ્યું – રાણીએ આજ્ઞા કરી છે કે આ પુટિકા સુંદર ગંધવાળી નથી. યુવકે ખુશ થઈને પુટિકા ખોલી. લેખ જોયો, લેખનો અર્થ જાણ્યો. દુ:ખી થઈ વસ્ત્રો ફાડીને નીકળી ગયો. યુવક વિચારવા લાગ્યો કે જો આ સ્ત્રી પ્રાપ્ત ન થાય તો મારે અહીં રહીને શું કામ છે ? પરિભ્રમણ કરતો બીજા રાજ્યમાં ગયો. સિદ્ધપુત્રનો આશ્રય કર્યો. ત્યાં નીતિની વ્યાખ્યા કરાતી હતી. ત્યાં પણ આ શ્લોક આવ્યો – રૂપ સંપન્ન ભાર્યા અને શત્રુના પરાજયમાં સુદુર્લભ પ્રાપ્ત અર્થોમાં રમણ ન કરવું તે શક્ય નથી. અહીં એક ઉદાહરણ છે – આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ વસંતપુર નગરમાં જિનદત્ત નામે સાર્થવાહપુત્ર છે. તે શ્રમણ શ્રાદ્ધ હતો. આ તફ ચંપામાં પરમ માહેશ્વર ધન નામે સાર્થવાહ હતો. તેને બે આશ્ચર્યો હતા – ચાર સમુદ્રના સારભૂત મુક્તાવલી અને દુહિતા કન્યા હારપ્રભા. જિનદત્તે સાંભળ્યુ. ઘણાં પ્રકારે તેની માંગણી કરી, પણ તે આપતો નથી. ૧૮૦ - ત્યારે જિનદત્તે બ્રાહ્મણનો વેશ કર્યો. એકલો જ પોતે ચંપાએ ગયો. અંચિત વર્તતું હતું. ત્યાં એક અધ્યાપક હતો ત્યાં જઈને હું ભણીશ એમ કહ્યું. અધ્યાપકે કહ્યું - મારી પાસે ભોજન વ્યવસ્થા નથી. જો તે બીજે ક્યાંયથી તું પ્રાપ્ત કરી લે તો થાય. ધન અને ભોજન સરજકને આપ્યું. ત્યાં ઉપસ્થિત થઈને કહ્યું – મને ભોજન આપો. જેથી હું વિધા ગ્રહણ કરું. મને જે કંઈ આપશો તે હું સ્વીકારીશ. પુત્રીને કહ્યું કે – આને જે કંઈ હોય તે આપ. તેણે વિચાર્યું – ઘણું સારું છે. - x - તે તેણીને ફળ આદિ વડે ઉપચાર કરે છે. તેણી ગ્રહણ કરતી નથી. તે પણ અત્વરિત પણે નીતિને ગ્રહણ કરતો અવસરે અવસરે સમ્યક્ સેવા કરે છે. સરજક પણ તેની નિર્ભર્સના કરે છે. તે યુવક વડે ઘણાં કાળે તેણી આવર્જિત થઈ. તેનામાં આસક્ત થઈ અને બોલી – ચાલો આપણે પલાયન થઈ જઈએ. યુવકે કહ્યું – આ અયુક્ત છે. પરંતુ હું ઉન્મત્તા થા. વૈધો પણ આક્રોશ કરવા લાગે. તેણીએ તે પ્રમાણે કર્યુ. વૈધોએ પણ તેણીને સાજી કરવાની ના પાડી દીધી. તેણીના પિતાને અધૃતિ-ખેદ થવા લાગ્યો. – વિપને કહ્યું – મારી પાસે પરંપરાથી આવેલ વિધા છે. આ કન્યાનો ઉપચાર દુષ્કર છે. તેણે કહ્યું – હું તેણીનો ઉપચાર કરીશ. વિપુએ કહ્યું – તમે પ્રયોગ કરો, પરંતુ બ્રહ્મચારી વડે કરવો. તેણે કહ્યું – સરજકા છે, તેમને હું અહીં લાવું છું. ચટ્ટે કહ્યું – જો કંઈક પણ અબ્રહ્મચારી હશે, તો કાર્ય સિદ્ધ થશે નહીં. તે વાત પણ કબૂલ રાખી. તેણે કહ્યું – જે સુંદર હશે, તેને લાવીશ. તે શબ્દવેધી અને દિક્પાલને લાવ્યો. મંડલ બનાવ્યું. દિકપાલે કહ્યું – જ્યાંથી શિવા શબ્દ આવે છે, તેને શીઘ્ર વીંધવું. સરજસ્કાને કહ્યું કે – ‘હું ફૂટ' એમ કરીને શિવાનો અવાજ કરવો. દુહિતાને કહ્યું – તું તે પ્રમાણે જ ઉભી રહેજે. તે પ્રમાણે કરવાથી સરજક વિંધાઈ ગયો. પુત્રી પ્રગુલીભૂત થઈ. ધન્ય વિપરિણત થયો. ચટ્ટે કહ્યું – મેં કહેલુંને કે – જો કંઈપણ રીતે અબ્રહ્મચારી હોઈશ તો કાર્ય સિદ્ધ થશે નહીં. ત્યારે ધન્યએ પૂછ્યું – હવે કોઈ ઉપાય? વિષએ કહ્યું – આવો બ્રહ્મચારી થા. ગુપ્તીનો ઉપદેશ કર્યો. તેણે પરિવ્રાજકોમાં તે ગુપ્તી શોધી, તેનામાં ન હતી. પછી સાધુની પાસે આવ્યા. સાધુએ ગુપ્તી બતાવી – વસતિ, કથા, નિષધા, ઈન્દ્રિયો, ભીંતની પાછળ પૂર્વક્રીડિત, પ્રણીત, અતિ માત્રામાં આહાર, વિભૂષા એ નવ બ્રહ્મચર્યની ગુપ્તિઓ છે. આટલામાં જે શુદ્ધ મનથી રહે છે તે બ્રહ્મચારી છે. તેથી બ્રહ્મચર્ય મનનો નિરોધ જિનેશ્વરોએ કહેલ છે.
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy