SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ઘટી કે અર્ધઘટી જેટલો સમય પણ ન રહેવું. ન આંખની નજર ક્યાં વિના અર્થાત્ પરઠવવાના સ્થાને દૃષ્ટિ પ્રતિલેખના . વિના મળ, મૂત્ર, બળખા, નાસિકા, મેલ, શ્લેષ્મ, શરીરનો મેલ પરઠવે, બેસતાં સંડાસા-સાંધા સહિત ન પ્રમા, તો તેને અનુક્રમે નીવિ અને આયંબિલનું પ્રાયશ્ચિત્ત, પાત્રા, માત્રક કે કોઈ ઉપણ દાંડો વગેરે સ્થાપન કરતા, મૂક્તા, લેતા, ગ્રહણ તા, આપતા અવિધિથી સ્થાપે, મૂકે, લે, ગ્રહણ કરે કે આપે, આ બધું જો અભાવિત ક્ષેત્રમાં કરે તો ચાર આયંબિલ, ભાવિત ક્ષેત્રમાં ઉપસ્થાપના. દાંડો, રજોહરણ, પાદપ્રૌંછનક, સુતરાઉ ડો, ચોલપટ્ટો, વર્ષા૫-કામળી યાવત્ મુહપત્તિ કે બીજા કોઈ પણ સંયમોપયોગી એવા દરેક ઉપકરણો પ્રતિલેખન ર્યા વિના કે દુષ્પતિલેખિત કરેલ હોય, શાસ્ત્રોક્ત પ્રમાણથી ઓછા કે અધિક વાપરે તો દરેક સ્થાનમાં ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે. ઉપરના ભાગે પહેરવાનો પડો. રજોહરણ, દાંડો અવિધિથી વાપરે તો ઉપવાસ, રજોહરણ કુહાડી માફક ખભે સ્થાપે તો ઉપસ્થાપન, શરીરના અંગો કે ઉપાંગો મર્દન કરાવે તો ઉપવાસ, રજોહરણ અનાદરથી પડે તો ઉપવાસ, પ્રમત્ત ભિક્ષુની બેકાળજીથી અણધારી મુહપત્તિ આદિ કોઈ પણ સંયના ઉપકરણ ખોવાઈ જાય, નાશ પામે તો તેને ઉપવાસથી માંડીને ઉપસ્થાપન, યથાયોગ્ય ગવેષણા કરી શોધે, મિચ્છામિ દુક્કડં આપે, ન મળે તો વોસિરાવે, મળે તો ફરી ગ્રહણ કરે. ભિક્ષુઓને અગ્નિકાય, અપ્રકારનાં સંઘટ્ટનાદિ એકાંતે નિષેધેલ છે, જે કોઈને જ્યોતિ કે આાશમાંથી પડતાં વરસાદ બિંદુઓ વડે ઉપયોગ રહિત કે ઉપયોગ રહિતપણે અણધાર્યા સ્પર્શ થઈ જાય તો તે માટે આયંબિલ હેલું છે. સ્ત્રીઓનાં અંગના અવયવોને લગીર પણ હાથ, પગ કે દંડ વડે, હાથમાં પડેલા તણખલાના અગ્રભાગથી કે ખભાથી સંઘટ્ટો રે તો પારંચિત પ્રાયશ્ચિત્ત સાધુનો હોય. બાકીના ફરી પણ પોતાના સ્થાને વિસ્તારથી હેવાશે. [૧૩૮૨ થી ૧૩૮૪] એમ કરતાં ભિક્ષા સમય આવી પહોંચ્યો. હે ગૌતમ ! આ અવસરે પિંડૈષણા શાસ્ત્રમાં હેલ વિધિથી અદીન મનવાળો ભિક્ષુ બીજ અને વનસ્પતિકાય, પાણી, કાદવ, પૃથ્વીકાયને વર્જતો, રાજા અને ગૃહસ્થો તરફથી થતાં વિષમ ઉપદ્રવો, દાગ્રહને છોડતો, સ્થાનનો ત્યાગ તો, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિમાં ઉપયોગવાો, ગોચર ચર્ચામાં પ્રાકૃતિક નામક દોષવાળી ભિક્ષા ન વર્ષે તો ઉપવાસ પ્રાયશ્ચિત્ત જણાવવું. જો તે ઉપવાસી ન હોય અને સ્થાપના કુળોમાં પ્રવેશ કરે તો ઉપવાસ, ઉતાવળમાં પ્રતિકૂળ વસ્તુ ગ્રહણ ર્યા પછી તુરંતજ નિરુપદ્રવ સ્થાનમાં ન પરઠવે તો ઉપવાસ, અલ્પ વસ્તુ ભિક્ષામાં ગ્રહણ કરે તો યથાયોગ્ય ઉપવાસાદિ, પ્ર્યનો પ્રતિષેધ કરે તો ઉપસ્થાપન. ગૌચરી માટે નીોલો ભિક્ષુ વાતો વિક્યાદિની પ્રસ્તાવના રે, ઉદીરણા રે, વ્હેવા લાગે, સાંભળે તો છઠ્ઠ પ્રાયશ્ચિત્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy