SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦/૯૭ યોગ્ય વિપુલદાન આપ્યું. ત્યારપછી તે સેવકોને વિસર્જિત કર્યાં. ત્યારપછી નગર રક્ષકોને બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે જલદી રાજગૃહી નગરીને અંદરથી અને બહારથી પરિમાર્જિન કરો.પાણીથી સિંચો - યાવત્ - સિંચીને મારી આજ્ઞા મને પાછી સોંપો – મને જણાવો. [૮] ત્યાર પછી તે શ્રેણિક રાજાએ સેનાપતિને બોલાવીને કહ્યું કે – હે દેવાનુપ્રિયો ! જલદીયી રથ, ઘોડા, હાથી, અને યોદ્ધા સહિતની ચતુરંગિણી સેનાને તૈયાર કરો - યાવત્ - મારી આજ્ઞા મુજબ કાર્ય થયાની મને જાણ ક્લે, ત્યારપછી શ્રેણિક રાજાને યાન શાળાના અધિકારીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય શ્રેષ્ઠ ધાર્મિક રથને તૈયાર કરીને અહીં લાવો અને મને મારા આજ્ઞા પાછી સોંપો. શ્રેણિક રાજાએ આ પ્રમાણે કહેતા યાન શાળાના અધિકારી હર્ષિત યાવત્ સંતુષ્ટ થઈને જ્યાં યાનશાળા હતી ત્યાં આવ્યો. યાનશાળામાં પ્રવેશી રથને જોયો. રથ નીચે ઉતારી સાફ કરી બહાર કાઢ્યો. એક સ્થાને રાખ્યો. તેના ઉપર ઢાકેલ વસ્ત્રને દુર કર્યું કરીને રથને શોભાયમાન ર્યો, ત્યારપછી જ્યાં વાહનશાળા હતી ત્યાં આવ્યો. વાહનશાળામાં પ્રવેશીને બળદો જોયા, સાફ ાં, તેના ઉપર વારંવાર હાથ ફેરવ્યો, ફેરવીને બહાર લાવ્યા. બળદની ઉપર ઝૂલ મૂકી. તેને શોભાયમાન ર્યા. કરીને ઘરેણા પહેરાવ્યાં. તેમને રથમાં જોડ્યાં. જોડીને રથને રાજમાર્ગ ઉપર લાવ્યા. યાબુક હાથમાં લીધેલ સારથી રથમાં બેઠો. 139 ત્યાંથી રથ લઈને જ્યાં શ્રેણિક રાજા હતો ત્યાં આવ્યો, બે હાથ જોડી, મસ્તક અંજલી કરી, મસ્તકે આવર્ત કરી • યાવત્ આ પ્રમાણે ક્યું કે - ! હે સ્વામી ! આપે કરેલા આદેશ અનુસારનો શ્રેષ્ઠ ધાર્મિક રથ તૈયાર છે. આ રથ આપના માટે ક્લ્યાણકારી થાઓ, હે દેવાનુપ્રિય ! આપ આ રથમાં બિરાજો. [૯] ત્યારે શ્રેણિક રાજા ભંભીસાર યાનચાલક પાસે આ વૃતાંત સાંભળી હર્ષિત યાવત્ સંતુષ્ટ થયો. તે શ્રેણિક રાજા સ્નાનગૃહમાં પ્રવેશ્યો - યાવત્ - ત્યાંથી ક્લ્પવૃક્ષ સમાન અંલકૃત અને વિભૂષિત થયેલો તે શ્રેણિક નરેન્દ્ર સ્નાનગૃહથી બહાર નીક્ળ્યો. ત્યાર પછી રાજા શ્રેણિક જ્યાં ચેલણા દેવી હતા ત્યાં આવ્યો. આવીને ચેલણા દેવીને તેણે આ પ્રમાણે હ્યું. હે દેવાનુપ્રિય ! શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન છે · 29 12 Jain Education International યાવત્ ગુણશીલ ચૈત્યમાં . ત્યાં જઈને હે દેવાનુપ્રિય તેમને વંદન, નમસ્કાર, સત્કાર, સન્માન કરીએ. તે ક્લ્યાણરૂપ, મંગલભૂત, દેવાધિદેવ, ચૈત્યસ્વરૂપ પરમાત્માની પર્યુપાસના કરીએ. તેમની આ પર્યુષાસના આ ભવના હિતને માટે, પરભવે પણ હિતને માટે, સુખને માટે, ક્લ્યાણને માટે, મોક્ષને માટે અને ભવોભવના સુખને માટે થશે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009072
Book TitleAgam 37 Dashashrut Skandha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 37, & agam_dashashrutaskandh
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy