SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર-૩ પ્રમાણે કરીશું. આ પ્રકારે શ્રેણિક રાજાને આજ્ઞાને તેઓએ વિનયપૂર્વક સાંભળી ત્યાર પછી રાજમહેલથી નીકળ્યા. રાજગૃહના મધ્યભાગથી થઈને તેઓ નગરની બહાર ગયા. બગીચો યાવત્ ઘાસના ગોદામમાં રાજા શ્રેણિક્તા સેવક અધિકારીને તેઓએ આ પ્રમાણે કહ્યું : - તે બધું પૂર્વવત જણાવવું. - યાવત્ - શ્રેણિક રાજાને આ પ્રિય સંવાદ હો, તમારા માટે પણ આ વાત હર્ષકારી બને. એ પ્રમાણે બે, ત્રણ વખત કહ્યું. ત્યાર પછી તેઓ જે દિશાથી આવ્યા હતા. તે તરફ પાછા ચાલ્યા. [૬] તે કાળે અને તે સમયમાં પંચયામ ધર્મપ્રર્વતક તીર્થંકર ભગવંત મહાવીર યાવત્ ગ્રામાનુગ્રામ વિચરતા યાવત્ આત્મ સાધના કરતા ગુણશીલ ચૈત્યમાં પધાર્યા, તે સમયે રાજગૃહ નગરના ત્રણ રસ્તા, ચાર રસ્તા અને ચોમાં થઈને યાવત્ પર્યાદા નગરની બહાર નીક્ળી ચાવત્ પ્રભુને પર્યાપાસના કરવા લાગી. તે સમયે શ્રેણિક રાજાના સેવક અધિકારી જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવ્યા. તેમણે શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત પ્રદક્ષિણા કરી વંદન, નમસ્કાર ાં, પછી પરમાત્માનું નામ અને ગોત્ર પૂછયા અને તેને હૃદયમાં ધારણ ાં. ત્યાર પછી તેઓ એકાંત સ્થાનમાં ગયા. ત્યાં તેઓએ પરસ્પર આ પ્રમાણે વાત કરી કે – હે દેવાનુપ્રિયો ! શ્રેણિક રાજા ભંભીસા જેઓના દર્શનની ઇચ્છા સ્પૃહા તથા અભિલાષા કરે છે, તથા જેમની ગોત્ર સાંભળીને શ્રેણિક રાજા હર્ષિત અને સંતુષ્ટ થાવત્ પ્રસન્ન થાય છે. તે આદિર તીર્થં શ્રમણ ભગવંત મહાવીર - યાવત્ - સર્વજ્ઞ - સર્વદર્શી અનુક્રમે સુખપૂર્વક એક ગામથી બીજે ગામ વિચરતા અહીં પધારેલા સમોસર્યા છે. છે -- - આ જ રાજગૃહી નગરની બહાર ગુણશીલ નામના ચૈત્યમાં તપ અને સંયમથી આત્માને ભાવિત કરતા રહેલા છે. હે દેવાનુપ્રિયો ! શ્રેણિક રાજાને આ વૃતાંત કહો કે “તમારા માટે આ સંવાદ પ્રિય થાઓ' . એ પ્રમાણે તેઓએ પરસ્પર આ વચન સાંભળ્યું સ્વીકાર્યું. ત્યાથી તે સેવક અધિકારી રાજગૃહી નગરમાં આવ્યા ચાવત્ - આ પ્રમાણે બોલ્યા કે – .. હે સ્વામી ! જેના દર્શનની આપ ઇચ્છા કરો છો તે શ્રમણ ભગવંત મહાવીર ગુણશીલ ચૈત્યમાં - યાવત્ - બિરાજીત છે. W તેથી હે દેવાનુપ્રિય ! અમે આપને આ વાતનું નિવેદન ીએ છીએ. આપને આ સંવાદ પ્રિય થાઓ. [૯] તે સમયે શ્રેણિક રાજા તે પુરૂષો પાસે આ સંવાદ સાંભળી અવધારી, હૃદયથી હર્ષિત અને સંતુષ્ટ થયા. ચાવત્ - તે સિંહાસન થકી ઉઠ્યા. ઉઠીને પછી [જેમ વવાઈ સૂત્રમાં શ્રેણિક અધિકાર હેલ છે, તે પ્રમાણે] વંદન, નમસ્કાર .િ પછી તે સેવક પુરૂષોના સત્કાર અને સન્માન ક્યાં. પ્રિર્તીપૂર્વક આજીવિકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009072
Book TitleAgam 37 Dashashrut Skandha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 37, & agam_dashashrutaskandh
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy