SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૨૫ થી ૨૩ ૧૮૧ ૧૮૨ ગચ્છાચારપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ તે પવિત્ર છે, ભઈ છે, મોક્ષદાયક છે, તે જ આચાર્ય ભવ્ય જીવોને ચJભૂત કહેલ છે, જે જિનેશ્વરે બતાવેલ અનુષ્ઠાન પણ યથાર્થ બતાવે છે. જે આચાર્ય સમ્યફ જિનમત પ્રકાશે છે, તે તીર્થકર સમાન છે, જે આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, તે કાષણ છે, સારણ નથી. • વિવેચન-૫ થી ૭ - આગમોક્ત ન્યાયથી જે આચાર્ય કે ઉપાધ્યાયાદિ, શિષ્યોને સ્મારણ, વારણ, પ્રેરણા, પ્રતિપ્રેરણા વડે પ્રેરે છે. આચારાંગાદિના ઉત્સર્ગ, અપવાદ, ઉત્સગપિવાદ, અપવાદોત્સર્ગ, ઉત્સર્ગોત્સર્ગ, અપવાદાપવાદ રૂપ સૂત્ર ભણાવી, પછી તેના નિર્યુક્તિ, ભાય, ચૂર્ણ, સંગ્રહણી, નૃત્યાદિરૂપ પરંપરાત્મક અર્થ શીખવે છે. ૨ કારથી નૈગમાદિ સાતે નયોને જણાવે છે, તે આચાર્ય. સૂત્રરૂપી ધન દેવાથી ધન્ય છે, અર્ચદાનરૂપી પુણ્યથી પવિત્ર છે. જિનાજ્ઞા પ્રતિપાલક છે. કુમતિ નિવારી સન્માર્ગે સ્થાપવાથી બંધુ છે, જીવાદિ પદાર્થના જ્ઞાનથી સંયમમાં દૈઢવ વડે કમભાવથી મોક્ષદાયક છે. અનંતરોત જ મોક્ષગમનયોગ્ય પ્રાણીને નેત્રતુલ્ય કહ્યા. કુમતિપટલ નિરાકરણથી પ્રગટ કરે છે, તે આચાર્ય શિરોમણિ જિનોક્ત અનુષ્ઠાન જેવા છે તેવા જ દશવિ છે. તીર્થ - ચતુર્વિધ સંઘ કે પહેલાં ગણધર તેને કરે છે, તે તીર્થકર, તેની તુલ્ય છે. આ સમાનતા દેશથી જાણવી. અન્યથા ક્યાં તીર્થકર અને ક્યાં આચાર્યd ? મૂરિ - અનેક અતિશયયુક્ત ગૌતમાદિ સમાન આચાર્ય. સર્વ શક્તિથી જે જિનમત - નિત્યાનિત્ય આદિ સ્વરૂપ વાચક, સાત નયાત્મક ઈત્યાદિને ભવ્યો પાસે દેખાડે છે. આજ્ઞા - પાણતોક્ત મર્યાદા, ઉલ્લંઘતા ફરી તે અધમપુરષ છે, પણ પ્રધાનપુરષ નથી. ધે કેવા આચાર્યો આજ્ઞાના ઉલ્લંઘક છે, તે કહે છે - • ગાથા-૨૮ : ભષ્ટાચારી આચાર્ય, ભ્રષ્ટાચારી સાધુની ઉપેક્ષા કરનાર આચાર્ય, ઉન્માર્ગસ્થિત આચાર્ય, ત્રણે માર્ગનો નાશ કરે છે. • વિવેચન-૨૮ - ભ્રષ્ટ-સર્વથા શિથિલ, આચાર-જ્ઞાનાચારાદિ, તે ભ્રષ્ટાચાર, તે અધમચિાર્ય. સંયમવ્યાપારથી મુક્ત, મુનિના ઉપેક્ષક, પ્રમાદપ્રવૃત શ્રમણાદિને ન રોકે તે મંદ ધમચિાર્ય. ઉત્સગ આદિ પ્રરૂપણામાં પ્રવૃત, તે અધમાધમ આચાર્ય. આ ત્રણે જ્ઞાનાદિરૂપ માર્ગનો વિનાશ કરે છે. તેને સેવનારનું ફળ દશાવે છે – • ગાથા-ર૯ : ઉમાગસ્થિત, સન્માગનાશક આચાર્યને જે સેવે છે, હે ગૌતમ! જરૂર તે પોતાના આત્માને સંસારમાં પાડે છે. • વિવેચન-૨૯ : આગમવિરુદ્ધ પ્રરૂપક, જિનોક્તમાર્ગદૂષક, જે ભવ્યજીવ તેનું કહેલ અનુષ્ઠાન કરે છે, કરાવે છે કે અનુમોદે છે, તે આચાર્ય પોતાને નિયમા ભવાંઘકૂવામાં ફેંકે છે. • ગાથા-30 - અયોગ્ય તરનાર મનુષ્ય ઘણાંને ડૂબાડે, તેમ ઉન્માર્ગ સ્થિત એક પણ આચાર્ય તેના માનિ અનુસરનારા ભવ્યજીવોના સમૂહનો નાશ પમાડે છે. • વિવેચન-30 - અદ્વિતીય પણ આચાર્ય કે સાધુ, કુમતિના કદાગ્રહથી ગ્રસ્ત થઈ નાશ પામે છે અતિ સંસારસાગરમાં પાડે છે. ભવ્ય જીવો પણ તે માર્ગને અનુસરતા, જેમ કુતારક મનુષ્ય, તેની પાછળ રહેલાં ઘણાં પ્રાણીને નધાદિમાં ડૂબાડે અને પોતાને પણ ડૂબાડે તેમ ડૂબાડનાર થાય. હવે ઉન્માર્ગમાં રહેલને થતું ફળ - • ગાથા-૩૧ : ઉન્માર્ગ માર્ગે ચાલનારા અને સન્માર્ગનાશક સાધુને હે ગૌતમ! અનંત સંસાર નિરો થાય છે. • વિવેચન-૩૧ - ગોશાળો, બોટિક, નિવ્રુવાદિનો માર્ગ-પરંપરા, તેમાં કે ઉન્માર્ગરૂપ જે માર્ગ, તેમાં સ્થિત મુનિવેષા ભાસ, ઉપલક્ષણથી આચાર્યો પણ હે ગૌતમ ! નિશે જેનો પાર ન પામી શકાય તેવા અનંત ચતુર્થત્યાત્મક સંસારને પામે. તેમાં રહેલાં અનેક દુ:ખનો સૂચક છે. તેઓ જિનોક્ત પથના આચ્છાદક થાય. હવે કોઈક કદાય પ્રમાદથી જિનોક્ત ક્રિયા ન કરે, પણ ભયોને યથોક્ત જિનમાર્ગ દશવિ તે કયા માર્ગમાં આત્માને સ્થાપે છે ? તેથી વિપરીત કેવો હોય ? • ગાથા-૩૨ : શુદ્ધ સાધુમાનિ કહેતો, પોતાને ત્રીજા પક્ષમાં સ્થાપે, તેથી વિપરીત પોતાને ગૃહસ્થ ધર્મથી ભ્રષ્ટ કરે છે. • વિવેચન-૩ર : આજ્ઞાશુદ્ધિ સંયુક્ત સુવિહિત પથને આકાંક્ષા વિના પ્રરૂપણા કરતાં પોતાનું રક્ષણ કરે છે. કઈ રીતે ? સાધુ અને શ્રાવક બંને પક્ષની અપેક્ષાથી ત્રીજા સંવિપ્નપાક્ષિક પક્ષમાં. સંવિગ્નપાક્ષિક - મોક્ષાભિલાષી સુસાધુને સાહાટ્યકર્તા. તેનું લક્ષણ - શુદ્ધ સુસાધુધર્મ કહે છે, પોતાના આચારને નિંદે છે [ક્યાં?] સુતપસ્વી અને સનિકો પાસે. વંદન કરે પણ કરાવે નહીં, કૃતિકર્મ કરે પણ કરાવે નહીં, પોતાને માટે શિક્ષા ન આપે પણ સુસાધુ માટે પ્રતિબોધ કરે. વળી જે ઉસૂત્રભાષી છે, સાધુ હેપી છે, તે ગૃહસ્થ ધર્મથી ભ્રષ્ટ છે. તે સાધુ પણ નથી - ગૃહસ્થ પણ નથી. જો એમ છે, તો શું કરવું જોઈએ ? • ગાથા-33 - - જે જિનભાષિત અનુષ્ઠાન સમ્યક્રપણે ન કરી શકે તો પણ zllણરાગી - જિને કહેલને સમ્યફ રીતે પ્રરૂપે. • વિવેચન-33 - જો કરવાનું શક્ય ન બને. કઈ રીતે? ત્રિકરણ શુદ્ધિથી, કેવલીએ કહેલ
SR No.009063
Book TitleAgam 30A Gacchachara Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages37
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 30, & agam_gacchachar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy