SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૭૧ થી ૩ ૧૩૩ અર્થ કરવો. મલ મૂષક આદિ વડે અનુપહત એવા બહુમૂલ્ય વસ્ત્ર પહેરીને... ચંદન વડે ચર્ચિત શરીરવાળા, રસયુક્ત સુગંધયુક્ત, ગોશીષ ચંદન વડે અતિશય વિલેપનરૂપ શરીર કરેલ, પવિત્ર પુષ્પમાળા, વર્ણક અને વિલેપન-મંડનકારી કંકમાદિ વિલેપન કરેલ, પહેરેલ છે અઢાર સરોહાર, નવસરોહાર, મિસરોહાર જેણે તથા લટકતા એવા ઝુમખાવાળા, કટિ આભરણ વિશેષથી શોભા કરેલા અથવા હાર આદિ પહેરીને સારી શોભા કરેલ છે તેવા, ધારણ કરેલ શૈવેયક, વીંટી, કંઠકવાળા, શોભતા શરીરમાં અન્યાય બીજી શોભા કરેલ તથા વ્યસ્ત સારભૂષણવાળા... વિવિધ મણિ-કનક-રત્નોના કટક, ગુટિક વડે અથતુ હાથ અને બાહુના આભરણ વિશેષથી તંભિત ભુજા જેની છે તે. અધિકરૂપે શોભાવાળા, કાનના આભરણરૂપ કુંડલો વડે ઉધોતને પ્રાપ્ત મુખ જેનું છે તેવા, મુગટ વડે દીપ્ત મસ્તકવાળા, હાર વડે આચ્છાદિત અને તેનાથી સારી રીતે કરેલ મનોહર છાતી જેની છે તેવી, દીધ-લટકતા અને સુષ્ઠ કૃત પટ વડે ઉત્તરાસંગવાળા, મુદ્રિકા આંગળીનું આભરણ, તેના વડે પીળી લાગતી આંગળીવાળા, વિવિધ મણિ-સુવર્ણ-રન વડે વિમલ તથા મહાઈ નિપુણ શિપી વડે પરિકર્મિત દીપતા એવા વિરચિત, સુશ્લિષ્ટ બીજા કરતાં વિશેષયુક્ત મનોહર વીસ્વલયો પહેરેલા... ઘણું વર્ણન કરવાથી શું ? કલ્પવૃક્ષ સમાન અલંકૃત, દલ આદિ વડે વિભૂષિત ફળાદિથી શોભે તેમ આ પણ મુગટ આદિ વડે અલંકૃત અને વિભૂષિત વાદિ વડે હતો. તે પવિત્ર થઈને માતા-પિતાને પગે પ્રણિપાત કરે છે. પ્રણિપાત કરીને તે પુરને માતાપિતા એમ કહે છે કે – હે પુત્ર ! સો વર્ષ જીવ. ધે જો તે પુગનું સો વર્ષ પ્રમાણ આયુ હોય ત્યારે તે જીવે, અન્યથા નહીં. તો પણ આયુ સો વર્ષથી અધિક તેનું ન થાય. કઈ રીતે ? જે કારણે સો વર્ષ જીવતો ૨૦ યુગ જીવે, કેમકે આયુ નિરપક્રમ હોય છે તેમાં • ચંદ્રાદિ પાંચ વર્ષરૂપ. ૨૦ચુગ જીવતો પુરૂષ ૨૦૦ અયન જીવે, તેમાં મગન - છ માસનું હોય. ૨૦૦ અયન જીવતો જીવ ૬0o wતુ જીવે છે. તેમાં બે માસની એક ઋતુ થાય. ૬૦૦ જીવતો પ્રાણી ૧૨૦૦ માસ જીવે છે. ૧૨૦૦ માસ જીવતો પ્રાણી ૨૪oo પક્ષ જીવે છે. ૨૪૦૦ પક્ષ જીવતો તે 36,000 અહોરાત્ર જીવે છે. ૩૬,ooo અહોરાત્ર જીવતો ૧૦,૮૦,૦૦૦ મુહૂર્ત જીવે છે. ૧૦,૮૦,૦૦૦ મુહૂર્ત જીવતો દેહધારી ૪,૦૭,૪૮,૪૦,૦૦૦ શ્વાસોચ્છવાસ જીવે છે. આટલા જીવનમાં તે શા “નંદુલવાહ” કે જેનું સ્વરૂપ હવે કહેવાશે તેટલાં ચોખા ખાય છે. કઈ રીતે ? હે આયુષ્યમાન્ ! હે સિદ્ધાર્થ નંદન ! તે સંસારી શા તંદુલવાહ ખાય છે ? હે ગૌતમ ! દુર્બલ શ્રી વડે ખાંડેલ, બલવતી સ્ત્રી વડે છડેલ, ખદિર મુશલના પ્રત્યાહતથી અપગત ફોતરાદિવાળા, અખંડ-સંપૂર્ણ અવયવ વાળા અસ્ફટિત - ૪ - કર્કશદિ કાઢી લેવાથી એક-એક બીજ વીણીને અલગ-અલગ કરેલ, એવા પ્રકારના ૧મા પલ તંદલનો એક પ્રસ્થક થાય છે. ૧૩૪ તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ પલનું માન આ રીતે - પાંચ ગુંજા વડે માષ, ૧૬ માપ વડે કર્ષ અથતુ ૮૦ ગુંજા પ્રમાણ, તે જો સુવર્ણના હોય તો સુવર્ણ સંજ્ઞ, બીજાના હોય તો રજત આદિના થાય. ચાર કર્મ વડે પલ થાય અર્થાત્ ૩૨૦ ગુંજા પ્રમાણ થાય. 34 - પ્રાતઃકાળ, ભોજન માટે એક પ્રશ્ય જોઈએ ૬૪,૦૦૦ ચોખાનો એક પ્રસ્થ થાય. કેટલાં ચોખા વડે એક કવલ થાય? ૧૨૧ પ્રમાણમાં કંઈક ન્યૂન, આટલા કવલમાનથી પુરુષના ૩૨ વલરૂપ આહાર થાય છે, સ્ત્રીનો ૨૮ કવલ રૂપ અને નપુંસકનો ૨૪-કવલરૂપ આહાર થાય છે. ઉકત પ્રકારથી અને કહેવાનાર પ્રકારથી આયુષ્યમાનું ! ગણના વડે આ પૂર્વોક્ત માન થાય છે. - હવે અસતિ આદિ માનપૂર્વક ૧,૨૮,૦૦૦ તંદુલ પ્રમાણથી ૬૪ કવલ પ્રમાણ થાય. એ પ્રમાણે રોજ બે પ્રસ્થ ખાતો ૧૦૦ વર્ષે કેટલાં તંદુલવાહ કેટલાં ચોખા ખાય છે. તે કહેલ છે. ધાન્યથી ભરેલ અવગમુખી કરેલ હાથ અસતી કહેવાય છે. બે અસતીથી એક પ્રકૃતિ, બે પ્રકૃતિથી સેતિકા, ચાર સેતિકાથી કુડવ, ચાર કુડવથી પ્રસ્થ, ચાર પ્રસ્થથી આઢક, ૬૦ ટકથી જઘન્ય કુંભ ઈત્યાદિ સૂત્રાર્થવ જાણવું. તે વાહપ્રમાણ ચોખાને ગણીને કહી, ૪,૬૦,૮૦,oo,ooo થાય, તેમ કહેલ છે. કઈ રીતે ? એક પ્રસ્થથી ૬૪,૦૦૦ ચોખા થાય ? બે પ્રસ્થથી ૧,૨૮,ooo થાય. રોજના બે ભોજન વડે ઉકત પ્રમાણ ચોખા ખાય છે. ૧૦૦ વર્ષના ૩૬,૦૦૦ દિવસો છે, તેથી ૩૬,૦૦૦ વડે ગુણતાં ૪,૬૦,૮૦,૦૦,૦૦૦ તે રીતે રચા વાહ ચોખાને ખાતો પા. મગના કુંભ ખાય ઈત્યાદિ સૂગાર્યવત્ બધું કહેવું * * * * * * * • સૂત્ર-૩૪ થી ૧૦૧ - વ્યવહાર ગણિત જોયું, હવે સૂક્ષ્મ અને નિશ્ચયગત ગણિત જાણવું જોઈએ. જે આ પ્રકારે ન હોય તો ગણના વિષમ જાણવી. સવધિક સૂમકાળ જેનું વિભાજન ન થઈ શકે તેને “સમય” જાણવો. એક શ્વાસોચ્છવાસમાં અસંખ્યાત સમય થાય છે. હષ્ટપુષ્ટ ગ્લાનિ રહિત અને કષ્ટ રહિત પુરુષનો જે એક શ્વાસોચ્છવાસ હોય તેને પ્રાણ કહે છે. સાત પ્રાણોનો એક નોક, સાત સ્તોકનો એક લવ, 99 લવનું એક મુહૂર્ત કર્યું છે. હે ભગવન! એક મુહૂર્તમાં કેટલાં ઉચ્છવાસ કહ્યા છે ? હે ગૌતમ! 3993 ઉચ્છવાસ થાય છે. બધાં જ અનંતજ્ઞાનીઓએ આ જ મુહૂર્ત પરિમાણ બતાવેલ છે. બે ઘડીનું એક મુહૂd, ૬૦ ઘડીનો અહોરાઝ, પંદર અહોરાકનો પક્ષ બે પક્ષનો એક મહિનો થાય. - દાડમના પુણની આકૃતિવાળી લોખંડની ઘડી બનાવી તેના તળમાં છિદ્ર કરવું. ત્રણ વર્ષની ગાયના બચ્ચાની પૂંછડીના ૯૬ વાળ જે સીધા હોય અને વળેલા ન હોય તેવા આકારે ઘડીનું છિદ્ર હોવું જોઈએ. અથવા બે વર્ષના હાથીના બચ્ચાની પૂંછડીના ને વાળ જે ટુટેલા ન હોય તેવા આકારે ઘડીનું છિદ્ર હોવું જોઈએ - અથવા -
SR No.009061
Book TitleAgam 28 Tandulvaicharika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 28, & agam_tandulvaicharik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy