SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ ૪/૧૪૧,૧૪૨ ગૌતમ ! મેરુ પર્વતની ઉત્તરે, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે, ગંધમાદન વક્ષસ્કાર પર્વતની પૂર્વે, માહ્યવંત વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે, અહં ઉત્તકુ નામે કુટુ કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો, અર્ધચંદ્રાકારે રહેલ, ૧૧,૮૪૨ યોજન, ૨-કલા વિસ્તારથી છે. તેની જીવા ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમ લાંબી, બંને બાજુ વક્ષસ્કાર પર્વતને સ્પષ્ટ છે. પૂર્વની કોટિથી પૂર્વના વક્ષસ્કાર પર્વતને સૃષ્ટ, એ પ્રમાણે પશ્ચિમી યવત્ પશ્ચિમી વક્ષસ્કાર પર્વતને સ્પષ્ટ છે. તે ૫૩,૦૦૦ યોજન લાંબી છે. તેનું ધનુ દક્ષિણમાં ૬૦,૪૧૮ યોજન, ૧૨-કળા પરિધિ છે. ભગવન્ ! ઉત્તરકુર ક્ષેત્રના કેવા આકાર-ભાવ-પ્રત્યાવતાર કહેલ છે ? ગૌતમ ! બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. એ પ્રમાણે પૂર્ણ વર્ણિત જેવી સુષમસુષમાની વતવ્યતા છે, તે જ યાવત્ પગંધા, મૃગગંધા, મમા, સહા, તેતલી, શનૈશ્ચારી કહેવું. • વિવેચન-૧૪૧,૧૪૨ - મહાવિદેહ ક્ષેત્રમાં ગંધમાદન નામે વક્ષસ્કાર-મધ્યમાં બે ક્ષેત્રને ગોપવીને રહેલ હોવાથી વક્ષસ્કાર, તાતિય આ વક્ષસ્કાર પર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ ! નીલવંત નામક વર્ષધર પર્વતના દક્ષિણ ભાગે, મેરુની ઉત્તર પશ્ચિમમાં, તેના અંતરાલવર્તી દિશાભાગથી વાયવ્યખૂણામાં, ગંધિલાવતી - શીતોદા ઉત્તસ્કુલવર્તી આઠમી વિજયના પૂર્વે, ઉત્તર-પૂર્વના - સર્વોત્કૃષ્ટ ભોગ ભૂમિક્ષેત્રના પશ્ચિમે, અહીં મહાવિદેહ ક્ષેત્રમાં ગંધમાદન નામે વક્ષસ્કાર કહેલ છે. તે પર્વત ઉત્તર-દક્ષિણ લાંબો, પૂર્વ-પશ્ચિમ દિશામાં પહોળો, ૩૦,૨૦૯-૯/૧૯ યોજન લાંબો છે. અહીં જો કે વર્ષધરાદિસંબંધ મૂલ વક્ષસ્કાર પર્વતના સાધિક-૧૧,૮૪૨ યોજન પ્રમાણ કુરુક્ષેત્રમાંઆટલી લંબાઈ ન હોય, પણ આના વક્રભાવ પરિણતત્વી વધુ ક્ષેત્ર અવગાહિતપણાથી સંભવે છે. નીલવંત વર્ષધર પર્વત પાસે ૪૦૦ યોજન ઉંચા, ૪૦૦ ગાઉ ભૂમિમાં, ૫૦૦ યોજન પહોળો છે. પછી માત્રાના ક્રમથી ઉંચાઈ અને ઉંડાઈની વૃદ્ધિથી વધતાં-વધતાં અને વિખુંભની પરિહાનિથી ઘટતાં-ઘટતાં મેરુની સમીપે ૫૦૦ યોજન ઉંચાઈ, ૫૦૦ ગાઉ ઉંડા, અંગુલનો અસંખ્યાતભાગ વિખંભ છે. ગજદંત પ્રારંભે નીચા, અંતે ઉંચારૂપે સંસ્થિત છે. તે સંપૂર્ણ રત્નમય છે. જંબુદ્વીપ સમાસમાં સુવર્ણમય કહ્યા છે. - હવે આનું ભૂમિ સૌભાગ્ય કહે છે ગંધમાદન વક્ષસ્કાર ઉપર બહુામરમણીય ભૂમિભાગ કહેલ છે. - - * - હવે કૂટ કથન-સ્પષ્ટ છે, વિશેષ એ કે સ્ફટિકરત્નમયત્વથી સ્ફટિકકૂટ, લોહિતર વર્ણત્વથી લોહિતાક્ષ કૂટ, આનંદ નામક દેવનો કૂટ તે આનંદકૂટ. - x - x - જેમ વૈતાઢ્યાદિમાં સિદ્ધાયતનકૂટ સમુદ્ર નજીક પૂર્વથી છે, પછી ક્રમથી બાકીના રહેલ છે, તેમ અહીં મેરુ નજીક સિદ્ધાયતન કૂટ મેરુથી વાયવ્ય દિશામા ગંધમાદન કૂટની અગ્નિદિશામાં છે જેમ લઘુ હિમવંતમાં સિદ્ધાયતન કૂટનું પ્રમાણ છે, તે જ આ બધાં સિદ્ધાયતન આદિ કૂટોનું કહેવું. વર્ણન પણ તેની જેમ જ છે. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર બાકીના કૂટોની વ્યવસ્થા અહીં ભિન્ન પ્રકારે મનમાં કરીને કહે છે – સિદ્ધાયતન અનુસાર વાયવ્ય ખૂણામાં ત્રણ કૂટો સિદ્ધાયતન આદિ કહેવા. - x - અર્થાત્ મેરુના વાયવ્યમાં સિદ્ધાયતન ફૂટ છે. તેથી વાયવ્યમાં ગંધમાદન ફૂટ, તેથી ગંધિલાવતી ફૂટ અગ્નિ ખૂમામાં છે. અહીં ત્રણ વાયવ્ય દિશામાં સમુદિત કહ્યા છે. ચોથો ઉત્તરકુરુ કૂટ ત્રીજા ગંધિલાવતી ફૂટની ઉત્તરપશ્ચિમમાં, પાંચમો સ્ફટિક કૂટની દક્ષિણમાં છે. - x - [અહીં એક પ્રશ્નોત્તર છે તેનો અર્થ આ છે –] ચોયાની ઉત્તરમાં, છટ્ઠાની દક્ષિણમાં, છટ્ઠો પાંચમાંની ઉત્તરે, સાતમો છટ્ઠાની ઉત્તરે અર્થાત્ પરસ્પર ઉત્તર-દક્ષિણમાં છે. અહીં ૫૦૦-યોજન વિસ્તારવાળા કૂટો જે ક્રમથી ઘટતાં પણ પ્રસ્તુત ગિરિક્ષેત્રમાં સમાય છે. તેમાં સહયાંક કૂટરીતિ જાણવી. હવે આના અધિષ્ઠાતાનું સ્વરૂપ નિરૂપે છે - પાંચમા અને છટ્ઠા-સ્ફટિકકૂટ તથા લોહિતાક્ષકૂટમાં ભોગંકરા અને ભોગવતી બે દિકુમારી છે. બાકીના કૂટોમાં સર્દેશ નામના દેવો વસે છે. છમાં સ્વ-સ્વ અધિપતિને વસવા યોગ્ય પ્રાસાદાવાંસકો છે. તેમની રાજધાનીઓ અસંખ્યાત યોજન પછી જંબૂદ્વીપમાં વિદિશામાં છે. હવે નામાર્થ પૂછે છે - પ્રશ્ન સુગમ છે. ઉત્તર-ગંધમાદન પર્વતની જે ગંધ, તે કોષ્ઠપુટ, તગરપુટાદિના ચૂર્ણ કરાતા, વીખેરાતા ઈત્યાદિથી કે એક ભાંડથી બીજા ભાંડમાં સંહરાતા, મનોજ્ઞ ગંધ નીકળે છે. આમ કહેતા શિષ્ય પૂછે છે – શું આવી ગંધ ગંધમાદનની હોય ? ભગવંતે કહ્યું – “આ અર્થ યોગ્ય નથી.” ગંધમાદનની ગંધ ઉક્ત ગંધો કરતાં ઘણી ઈષ્ટતર, કાંતતરાદિ છે. તે અર્થથી ગૌતમ એમ કહેલ છે કે – ગંધ વડે સ્વયં મદવાળા ત્યાંના દેવ-દેવીના મનને કરે છે, માટે ગંધમાદન કહેવાય છે. - ૪ - ૪ - બાકી પૂર્વવત્. હવે ઉત્તરકુનું નિરૂપણ કરે છે – મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તકુ નામે કુટુ ક્યાં કહેલ છે ? મેરુની ઉત્તરે, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. તેનો વિસ્તાર ૧૧,૮૪૨-૨/૧૯ યોજન કહે છે. તેની ઉ૫પત્તિ - મહાવિદેહનો વિખંભ-૩૩,૬૮૪-૪/૧૯ યોજન, તેમાંથી મેરુનો વિષ્ફભ બાદ કરી, પ્રાપ્ત સંખ્યાને અડધી કરતાં ઉક્ત અંક રાશિ પ્રાપ્ત થાય છે. ૧૪૮ [શંકા] વર્ષક્ષેત્ર, વર્ષધર પર્વતની ક્રમ વ્યવસ્થા પ્રજ્ઞાપકની અપેક્ષાથી હોય છે. જેમકે – પ્રજ્ઞાપકને નજીક ભરત છે, તેથી હિમવંત ઈત્યાદિ છે, તો વિદેહના કથન પછી ક્રમ પ્રાપ્ત દેવકુટુને છોડીને કેમ ઉત્તરકુરુનું નિરુપણ કર્યુ? [સમાધાન] વિદેહ ચતુર્મુખ પ્રાયઃ હોવાથી, બધું પ્રદક્ષિણાથી વ્યવસ્થાપ્યમાન સિદ્ધાંતમાં સંભળાય છે. તેથી પહેલા ઉત્તરકુØ કથન છે, ભરતની નીકટ વિધુત્વભ અને સૌમનસને છોડીને ગંધમાદન અને માલ્યવંત વક્ષસ્કારની પ્રરૂપણા, ભરતની નીકટના વિજયને છોડીને કચ્છ, મહાકચ્છાદિ વિજયનું કથન છે. હવે તેની જીવાને કહે છે - તે ઉત્તકુરની જીવા ઉત્તરમાં નીલવંત વર્ષધર નજીક કુરુની ચરમ પ્રદેશ શ્રેણિ પૂર્વ-પશ્ચિમ લાંબી, બંને બાજુ પૂર્વ-પશ્ચિમે વક્ષસ્કાર પર્વતને સ્પષ્ટ ચે. તેનું વિવરણ કરે છે – પૂર્વ કોટિથી પૂર્વના માલ્યવંત વક્ષસ્કારને સૃષ્ટ ઈત્યાદિ - ૪ - ૫૩,૦૦૦ યોજન લાંબી, તે કઈ રીતે ? મેરુની પૂર્વે ભદ્રશાલવનની લંબાઈ ૨૨,૦૦૦ યોજન, એ
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy