SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩/-I-/પ૩૯,૫૮૦ ૧૪૫ (13) આવલિકાના અસંખ્યાતમા ભાગ અતીત અને અનાગત કાળને જાણે છે. અહીં અવધિ, ક્ષેત્ર અને કાળને સ્વરૂપથી સાક્ષાત ન જાણે. કેમકે તે અમૂર્ત છે અને અવધિનો વિષય રૂપી દ્રવ્યો છે. ક્ષેત્ર અને કાળનું જ્ઞાન ઉપચારથી જાણવું. * * * દરેક દ્રવ્યના જઘન્યપદે પણ રૂપ, રસ, ગંધ, સ્પર્શરૂપ ચાર પર્યાયોને જાણે છે. * * • દ્રવ્યો અનંત છે. આથી ઉપર પ્રદેશની-સમયની અને પર્યાયિની વૃદ્ધિ વડે વધતું અવધિજ્ઞાન મધ્યમ સમજવું. તે ત્યાં સુધી જાણવું કે ચાવત્ સર્વોત્કૃષ્ટ પરમાવધિ ન થાય. સર્વોત્કૃષ્ટ પરમાવધિ દ્રવ્યથી સર્વ રૂપી દ્રવ્યોને જાણે, ક્ષેત્રથી લોકમાં લોકપ્રમાણ ખંડોને જાણે, કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી રૂપ અતીતઅનાગત કાળને જાણે, ભાવથી અનંત પર્યાયોને જાણે છે. કેમકે દરેક દ્રવ્યના સંખ્યાતા કે અસંખ્યાતા પર્યાયોને જાણે છે. • x • અહીં સર્વજઘન્ય અને મધ્યમ અવધિને દેશાવધિ કહેવાય અને સર્વોત્કૃષ્ટ અવધિને પરમાવધિ કે સવવધિ કહેવાય છે. તથા અવધિની હાનિ-વૃદ્ધિ કહેવાની છે. તેમાં તલાવિધ સામગ્રીના અભાવથી પૂર્વાવસ્થાથી હાનિને પ્રાપ્ત થતું તે હીયમાન અવધિ. • x • જેમ જેમ અધિકાધિક ઈંધન નાંખવા વડે અગ્નિની જ્વાલાનો સમૂહ વધતો જાય, તેમજ પૂર્વાવસ્થાથી યથાયોગ્યપણે વિશુદ્ધ-વિશુદ્ધતર અધ્યવસાય થવાથી વધતું જાય તે વર્ધમાન અવધિ કહેવાય છે. પ્રતિપાતી અને અપતિપાતી. ‘ત્ર' શબ્દ અનુક્ત અર્થનો સમુચ્ચય કરનાર હોવાથી અનુગામિક અને નાનુગામિક અવધિ પણ કહેવા યોગ્ય છે. તેમાં પડવાના સ્વભાવવાળું હોવાથી-પ્રતિપાતી, જે અવધિ ઉત્પણ થઈ ક્ષાયોપશમને યોગ્ય કેટલોક કાળ રહી પ્રદીપની માફક સર્વથા નાશ પામે તે પ્રતિપાતી. હીયમાન અને પ્રતિપાતીમાં શો ભેદ ? પૂર્વાવસ્થાથી નીચે નીચે હાનિ પામતું તે હીયમાન અને એક કાળે નિર્મળ નાશ પામે તે પ્રતિપાતી. જે પડે નહીં તે પ્રતિપાતી, જે કેવળજ્ઞાન કે મરણ સુધી નાશ ન પામે તે પતિપાતી. ગમતા કરનારને સર્વથા અનુસરે તે આનુગામિક અથવા અનુગમ એ જેનું પ્રયોજન છે, તે આનુગામિક. જે લોચનની માફક જનારને અનુસરે તે આનુગામિક અવધિ કહેવાય. જે આનુગામિક નથી તે અનાનુગામિક સાંકળથી બાંધેલ દીવા માફક ગમન કરનાર પુરુષને અનુસરતું નથી. - એમ દ્વાર ગાથા કહી. હવે ઉદ્દેશના ક્રમે નિર્દેશ થાય છે. પહેલાં અવધિના ભેદો કહે છે - X • (૧) ભવપ્રત્યયિક . જેમાં કર્મને વશવર્તી પ્રાણીઓ ઉત્પન્ન થાય તે ભવ-નાકાદિનો જન્મ. ભવ એ જ કારણ જેવું છે, તે ભવપ્રત્યય. અહીં પ્રત્યય શબ્દ કારણ અર્થમાં છે. • x " (૨) અવધિજ્ઞાનાવરણીય કર્મના ઉદયાવલિકામાં રહેલા અંશના વેદવા વડે નાશ થવો તે ાય અને અનુદય અવસ્થામાં રહેલ કર્મના વિપાકોદયને રોકવે તે ઉપશમ. ક્ષય અને ઉપશમ વડે થયેલો તે “ક્ષાયોપથમિક’ નામે બીજો ભેદ જાણવો. [2210] (PROO ook-40B Saheib\Adhayan-401B E:\Maharaj ૧૪૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ જે અવધિ જેઓને હોય છે તેઓને બતાવે છે - બે પ્રકારના જીવોને ભવપ્રત્યય અવધિ હોય - દેવો અને નાસ્કોને. દેવો ભવનપત્યાદિ ચાર ભેદે છે. નારકો • રત્નપ્રભાદિ સાત ભેદ છે. ‘ત્ર' શબ્દથી બીજા ભેદો વિષય અને સંસ્થાનમાં કહેશે. (પ્રપ્ત) અવધિજ્ઞાન ક્ષાયોપથમિક ભાવમાં છે અને નારકાદિ ભવ ઔદયિક ભાવમાં વર્તે છે, તો દેવાદિને ભવપ્રત્યય અવધિજ્ઞાન કેમ કહેવાય ? અહીં દોષ નથી, કેમકે ભવપ્રત્યય અવધિજ્ઞાન પણ પરમાર્થથી ક્ષાયોપથમિક જ છે. પણ તે ક્ષયોપશમ દેવ અને નાકોના ભવમાં અવશ્ય હોય છે, તેથી “ભવપ્રત્યય' એમ કહ્યું, અહીં નંદીસૂત્રની ચૂર્ણિની સાક્ષી પણ આપી છે. બેને ક્ષાયોપથમિક અવધિ હોય છે – મનુષ્યો અને પંરોન્દ્રિય તિર્યચતે. ‘ત્ર' શબ્દ અનેક ભેદોનો સૂચક છે. આ બંનેને અવધિજ્ઞાન હોય જ તેમ નથી. તેથી ક્ષાયોપથમિકપણું સામાન્ય હોવા છતાં પણ ભવપત્યયથી ભિન્ન છે. બાકી બધાં ક્ષાયોપથમિક જ છે. એમ અવધિજ્ઞાનનો ભેદ કહ્યો. હવે તેનો વિષય – • સૂત્ર-પ૮૧ - ભગવન! નૈરયિકો કેટલા ક્ષેત્રને અવધિજ્ઞાનથી જાણે અને જુએ ? ગૌતમ જઘન્યથી અર્ધ ગાઉં, ઉત્કૃષ્ટ ચાર ગાઉ ોગને જાણે અને જુએ. ભગવદ્ ! રતનપભા પૃeતીના નૈરસિક અવધિજ્ઞાન વડે કેટલાં મને જણે અને જુએ ? જઘન્ય સાડા ત્રણ ગાઉ અને ઉત્કૃષ્ટ ચાર ગાઉ ક્ષેત્રને જાણે અને જુઓ. શર્કરાપભાના નૈરાયિકો જઘન્ય ત્રણ, ઉત્કૃષ્ટ સાડા ત્રણ ગાઉ અવધિજ્ઞાનથી જાણે-જુએ. વાલુકાપભા નૈરયિકો જઘન્ય અઢી, ઉકૃષ્ટ ત્રણ ગાઉં. પંકણભા નૈરયિક જન્ય બે, ઉત્કૃષ્ટ અઢી ગાઉં, ધુમાભા નૈરયિક જઘન્ય દોઢ, ઉત્કૃષ્ટ બે ગાઉં. તમ:પા પૃની નૈરયિકો જઘન્ય ગાઉ, ઉત્કૃષ્ટ દોઢ ગાઉં. અધઃસપ્તમી નૈરયિક જઘન્ય આઈ ગાઉં, ઉત્કૃષ્ટ એક ગાઉ અવધિજ્ઞાન વડે જાણે અને જુએ. અસુરકુમારો અવધિજ્ઞાનથી કેટલું ક્ષેત્ર જાણે અને જુએ ? જઘન્ય-૨૫ યોજન, ઉત્કૃષ્ટ અસંખ્યાતા દ્વીપ સમુદ્રો. નાગકુમારો જઘન્ય ૫-જોજન, ઉત્કૃષ્ટ સંખ્યાતા દ્વીપ-સમુદ્રોને અવધિજ્ઞાનથી જાણે અને જુએ. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. - પંચેન્દ્રિય તિયચ કેટલું સ્ત્ર અવધિજ્ઞાનથી જાણે અને જુએ ? જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ અસંખ્યાતા દ્વીપ-સમુદ્રો જણે-જુઓ. મનુષ્યો વિણે પૃચ્છા - જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ અલોકમાં લોક પ્રમાણમક અસંખ્યાતા ખંડોને અવધિ વડે જાણે-જુએ. તો નાગકુમાર 91eidi.
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy