SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮/૧/-/૫૫૮ ૧૧૫ • વિવેચન-૫૫૮ : ઓનસ્ - ઉત્પત્તિ સ્થાને આહાર યોગ્ય પુદ્ગલોનો સમૂહ, જેનો ઓજરૂપ આહાર છે, તે ઓજાહારી. મન વડે ભક્ષણ કરવાના સ્વભાવવાળા તે મનોભક્ષી કહેવાય. વૈરયિકો ઓજાહારી છે, કેમકે તેમને અપર્યાપ્તાવસ્થામાં ઓજાહારનો સંભવ છે. પણ મનોભક્ષી નથી. મનોભક્ષણ આહાર - તથાવિધ શક્તિથી મન વડે સ્વ શરીરની પુષ્ટિ કરનારા પુદ્ગલોનો આહાર કરાય, આહાર પછી તૃપ્તિ સહ સંતોષ પામે. તેવો મનોભક્ષણ આહાર તૈરયિકોને નથી. કેમકે તેવી શક્તિનો તેમને અભાવ છે. નૈરયિકોને કહ્યા પ્રમાણે પૃથ્વીકાયિકથી માંડી મનુષ્ય સુદીના બધાં ઔદારિક શરીરી જાણવા. તે આ પ્રમાણે – બધાં પૃથ્વીકાયિકો ઓજાહારી અને મનોભક્ષી હોય છે ? ગૌતમ ! ઓજાહારી હોય, પણ મનોભક્ષી નહીં. એ રીતે બધાં દેવો કહેવા. - ૪ - ૪ - હવે દેવો જે પ્રકારે મનોભક્ષી છે, તે બતાવે છે – મનોભક્ષી દેવોનું મન આહારનો પ્રસ્તાવ હોવાથી આહાર વિશે આવા પ્રકારે થાય – “અમે મન વડે ખાવા ઈચ્છીએ છીએ.’’ તથાવિધ શુભ કર્મોદયથી તત્કાળ ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ પુદ્ગલો મનોભક્ષણરૂપે પરિણમે છે. કેવી રીતે પરિણમે ? તે વિષયે દૃષ્ટાંત કહે છે શીત પુદ્ગલો વિશેષથી શીત થઈને શીતયોનિવાળા પ્રાણીના સુખને માટે થાય છે. - ૪ - એ પ્રમાણે પૂર્વોક્ત રીતિથી તે દેવોએ મનોભક્ષણ કર્યુ, તેથી તે દેવોનું ઈચ્છપ્રધાન મન તુરંત તૃપ્તિ થવાથી શાંત થાય છે. » X - ૪ - - અહીં ઓજાહારાદિના વિભાગને જણાવનારી સૂયગડાંગ નિયુક્તિની આ ગાયાઓ છે ઓજાહાર શરીર વડે, લોમાહાર ત્વચાના સ્પર્શ વડે, પ્રક્ષેપાહાર કોળીયા વડે થાય છે. બધાં અપર્યાપ્ત જીવો ઓજાહારી જાણવા. પર્યાપ્તા જીવો લોમાહારી અને પ્રક્ષેપાહારી વિકલ્પે જાણવા - હોય કે ન પણ હોય. એકેન્દ્રિયો, દેવો, નારકોને પ્રક્ષેપાહાર નથી. શેષ સંસારીને હોય છે. લોમાહારી એકેન્દ્રિયો, દેવો, નારકો છે. બાકીના બધાને લોમાહાર, પ્રક્ષેપાહાર બંને હોય છે. આહારની આભોગનિર્વર્તિતા અને અનાભોગનિર્વર્તિતા – દેવોને અપર્યાપ્તાવસ્થામાં અનાભોગ નિર્વર્તિત ઓજાહાર હોય, પર્યાપ્તાવસ્થામાં અનાભોગ નિર્તિત લોમાહાર હોય છે. તતા મન વડે ભક્ષણ રૂપ આહાર આભોગ નિર્તિત હોય અને પર્યાપ્તાવસ્થામાં હોય છે. બધાં જીવોને અપર્યાપ્તાવસ્થામાં ઓજાહાર અને પર્યાપ્તાવસ્થામાં લોમાહાર હોય, તે પણ અનાભોગ નિર્તિત હોય છે. નૈરયિકોને લોમાહાર આભોગનિર્વર્તિત પણ હોય. = ૧૧૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ છે પદ-૨૮, ઉદ્દેશો-૨ ક ૦ આહારપદના ઉદ્દેશા-૧-ની વ્યાખ્યા કરી, હવે બીજાની વ્યાખ્યા કરીએ છીએ. તેની આ અધિકાર સંગ્રહ ગાથા. • સૂત્ર-૫૫૮ : આહાર, ભવ્ય, સંજ્ઞી, લેશ્યા, દૃષ્ટિ, સંયત, કષાય, જ્ઞાન, યોગ, ઉપયોગ, વેદ, શરીર અને પયાપ્તિ એ ૧૩ દ્વારો છે. • વિવેચન-૫૫૮ : (૧) સામાન્યથી આહાર અધિકાર, (૨) ભવ્ય વિશેષિત આહારાધિકાર, (૩) સંજ્ઞી અધિકાર, (૪) લેશ્યાધિકાર, (૫) દૃષ્ટિ અધિકાર, (૬) સંયતાધિકાર, (૭) કષાયાધિકાર, (૮) જ્ઞાનાધિકાર, (૯) યોગાધિકાર, (૧૦) ઉપયોગાધિકાર, (૧૧) વેદાધિકાર, (૧૨) શરીર અધિકાર, (૧૩) પર્યાપ્તિ અધિકાર. અહીં ભવ્યાદિના ગ્રહણથી તેના વિપક્ષરૂપ અભવ્યાદિ પણ જાણવી. તેમાં પહેલો અધિકાર – પદ-૨૮, ઉદ્દેશો-૨, દ્વાર-૧ થી ૩ ઊ • સૂત્ર-૫૫૯ થી ૫૬૧ ૩ [૫૫] ભગવન્ ! જીવ આહારક હોય કે અનાહારક ? ગૌતમ ! કદાચ આહારક, કદાચ નાહારક એ પ્રમાણે નૈરયિક ચાવત્ અસુરકુમાર ચાવત્ વૈમાનિક કહેવા. ભગવન્ ! સિદ્ધ આહારક છે કે અનાહારક ? આહારક નથી, અણાહારક છે. જીવો આહારક છે કે અનાહાક ? આહાસ્ક પણ હોય અને અણાહારક પણ હોય. નૈયિકો વિશે પ્રા – (૧) બધાં જ આહારક હોય, અથવા-૨- બધાં આહારક અને એક અનાહારક હોય. અથવા-૩-ઘણાં આહારક હોય, ઘણાં અનાહારક હોય. એ રીતે વૈમાનિકો સુધી કહેવું. પરંતુ એકેન્દ્રિયો જીવોવત્ જાણવા. સિદ્ધો? તેઓ આહારક નથી, અણાહારક છે. [૫૬] ભગવન્ ! ભવ્ય જીવ આહારક હોય કે અનાહારક ? કદાચ આહારક, કદાચ અનાહાક. એમ વૈમાનિક સુધી જાણવું. ભવ્ય જીવો આહારક કે અનાહારક ? જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. અભવ્યજીવ પણ એમ જ સમજવો. નોભવ્ય-નોઅભવ્ય જીવ આહારક કે અનાહારક ? આહારક ન હોય, અનાહારક હોય. એમ સિદ્ધો પણ જાણવા. [૫૬] ભગવન્ ! સંજ્ઞી જીવો આહારક કે અનાહારક ? ગૌતમ ! કદાચ
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy