SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર ૧/-:/૪૦૪ અને આહારક ભદ્ર શરીરો નથી, મુક્ત શરીરો સામાન્ય ઔદારિક મુક્ત શરીર માફક જાણવા. તૈજસ અને કાર્પણ તેમના જ ઔદારિક શરીરવ4 જાણવા. - આ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવા. પંચેન્દ્રિય તિર્યંચો એમજ સમજવા. પણ વૈક્રિય શરીરોમાં આ વિશેષતા • ભગવન! પંચે તિર્યંચોને કેટલા સૈક્રિય શરીરો છે ? ગૌતમ! બે ભેદ – બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ શરીરો તેઓ અસંખ્યાતા છે ઈત્યાદિ અસુરકુમારવતું જાણવું, પણ તે શ્રેણીની વિÉભસૂચિ અંગુલના પ્રથમ વર્ગમૂળની અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાણવી. મુક્ત શરીરો તેમજ જાણવા ભગવાન ! મનુષ્યોને કેટલા પ્રકારના દારિક શરીરો છે ? ગૌતમ ! બે ભેદે - બદ્ધ અને મુકત. બદ્ધ શરીરો કદાચ સંખ્યાતા હોય અને કદાચ અસંખ્યાતા હોય. જઘન્ય પદે સંખ્યાતા હોય છે કે સંખ્યાના કોટાકોટી પ્રમાણ હોય છે અથવા ત્રણ યમલપદના ઉપર અને ચાર યમલપદની નીચે છે અથવા પાંચમા વર્ગ વડે છઠ્ઠા વગતિ ગુણાં જેટલી સંખ્યા આવે તેટલાં છે અથવા છm વાર છેદ આપી શકાય એટલા રાશિ પ્રમાણ છે. ઉત્કૃષ્ટથી અસંખ્યાતા છે. તે કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણીથી અપહશય છે. હોળી એક સંખ્યાનો. પ્રક્ષેપ કરવાથી મનુષ્યો વડે સમગ્ર શ્રેણી પહેરાય છે. તે શ્રેણીના આકાશપદેશોનો અપહરા વિચારતા તેઓ અસંખ્યાતા થાય છે. કાળથી અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી અંગુલના પ્રથમ વર્ગમૂલને ત્રીજા વર્ગમૂળથી ગુણતાં જે સંખ્યા આવે તેટલાં જાણવું. જે મુક્ત શરીરો છે તે ઔદાકિ સામાન્ય મુક્ત શરીર પેઠે જાણવા. ભગવાન ! વૈક્રિય શરીર સંબંધે પૃચ્છા - બે ભેદે, તે આ - બદ્ધ અને મુકત. બદ્ધ શરીર સંખ્યાતા છે. સમયે સમયે અપહાર કરતાં સંખ્યાતા કાળે અપહરાય પણ અપહરતા નથી. મુકત શરીરો છે તે સામાન્ય ઔદાકિની જેમ જાણવા. તૈજસ અને કામણ તેમના દારિક શરીરો માફક કહેતા. વ્યંતરો નૈરચિકની માફક દારિક અને આહાક શરીરો કહેવા, વૈક્રિય શરીરો નૈરયિકવવું કહેવા. પણ તે શ્રેણીઓની વિર્કભસૂચિ જાણવી. સંખ્યાતા સેંકડો યોજનાના વર્ગ પ્રમાણ ખંડ ખતરને પૂરવા કે અપહરવામાં જાણતો. મુક્ત શરીર ઔદારિકની માફક ગણવા. આહારક શરીરો અસુકુમારવત્ કહેવા તૈજસ-કામણ શરીરો તેમના વૈક્રિય શરીરવત્ કહેવા. - જ્યોતિકો એમ જ જાણવા. પણ તે શ્રેણીની વિદ્ધભસૂચિ પણ જાણવી. ૫૬ ગુલના વર્ગ પ્રમાણ ખંડuતરને પૂરવામાં કે અપહાર જાણવો. વૈમાનિક સંબંધે એમ જ ગણવું. પરંતુ તે શ્રેણીની વિખંભ સૂચિ અંગુલના બીજ વર્ગમૂળને બીજ વમૂલ વડે ગુણતાં જેટલા પ્રદેશો આવે તેટલા પ્રદેશ પ્રમાણ જાણવી. અથવા અંગુલના ત્રીજા વર્ગમૂલની નાપમાણ જાણવી. • વિવેચન-૪૦૪ (ચાલુ) : બેઈન્દ્રિયોના બદ્ધ ઔદારિક શરીરોથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી વડે સંપૂર્ણ પ્રતર અપહરાય છે. અહીં પ્રતર અપહરાય છે, એ ક્ષેત્રને આશ્રીને પરિમાણ કહ્યું, ઉત્સર્પિણી આદિથી કાળને આશ્રીને પરિમાણ કહેલ છે - x - ભાવાર્થ - એક બેઈન્દ્રિય વડે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ખંડ આવલિકાના અસંખ્યાત ભાગ પ્રમાણ કાળે અપહરાય છે. બીજા વડે પણ તેટલો ખંડ તેટલા કાળે અપહરાય છે. એમ બધાં બેઈન્દ્રિયો વડે અપહાર કરાતા સમગ્ર પ્રતર અસંખ્યાતી ઉત્સર્પિણીઅવસર્પિણી કાળે અપહરાય છે. ઈત્યાદિ - X - X - સૂઝર્થવતુ જાણવું. તિર્યંચ પંચેન્દ્રિય બદ્ધ મુકત ઔદાકિ શરીર બેઈન્દ્રિય માફક જાણવાં. તેમને બદ્ધ વૈકિય શરીરો અસંખ્યાતા છે. કાળ પરિણામ - અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળે અપહરાય છે ક્ષેમરી - અસંખ્યાત શ્રેણી જેટલાં આકાશ પ્રદેશ છે. તે શ્રેણીઓનાં પરિમાણ પ્રતરના અસંખ્યાતા ભાગ પ્રમાણ છે. સૂત્રમાં કહે છે કે – અસુરકુમારસ્વત કહેવું. વિશેષ - વિઠંભસૂચિના પરિમાણના વિચારમાં અસુરકુમારોને અંગુલપમાણ ક્ષેત્રના વર્ગમૂલનો સંગાતમો ભાગ કહ્યો છે, અહીં અસંખ્યાતમો ભાગ કહેવો • x • x - ઈત્યાદિ કાર્ય મુજબ કહેવું. - X - X • મનુષ્યોના બદ્ધ શરીર કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા હોય. તાત્પર્ય એ છે કે – મનુષ્યો બે પ્રકારે ગર્ભજ, સંમૂર્ણિમ-તેમાં ગર્ભજ હંમેશાં સ્થાયી હોય છે, સંમૂર્ણિમ મનુષ્યો કદાયિત્વ હોય છે અને કદાચિત્ સર્વથા હોતા નથી. કેમકે તેમનું ઉત્કૃષ્ટાયુ અંતમુહૂર્ત છે, તેમની ઉત્પત્તિનું અંતર ઉત્કૃષ્ટથી ૨૪-મુહૂર્ત પ્રમાણ છે. તેથી જ્યારે સર્વથા સંમૂર્ણિમ મનુષ્યો હોતા નથી અને કેવળ ગર્ભજ મનુષ્યો જ હોય છે, ત્યારે તેઓ સંગાતા હોય છે, કેમકે ગર્ભજ મનુષ્યો હંમેશાં સંખ્યાતા જ હોય છે, • x • જ્યારે સંમૂર્ણિમ મનુષ્યો હોય છે ત્યારે અસંખ્યાતા હોય છે. * * * સૂરમાં કહે છે - જઘન્ય પદે સંખ્યાતા છે. સૌથી થોડાં મનુષ્ય હોય તે જઘન્યપદ. આ જઘન્ય પદમાં સંમૂર્ણિમોનું ગ્રહણ છે કે ગર્ભજ મનુષ્યોનું ગ્રહણ છે ? માત્ર ગર્ભજનું ગ્રહણ છે, કેમકે તેઓ જ હંમેશાં અવસ્થિત હોવાથી સંમૂર્ણિમના અભાવમાં સૌથી થોડાં હોય છે, ઉત્કૃષ્ટ પદમાં બંને પ્રકારના મનુષ્યનું ગ્રહણ છે - x - આ જઘન્યપદમાં સંખ્યાતા મનુષ્યો છે, તેમાં સંખ્યાતા સંગાતા ભેદો છે. તેથી વિશેષ સંખ્યાનો નિર્ણય કરે છે – સંખ્યાતા કોટાકોટી મનુષ્યો છે, તે સિવાય બીજું તેથી વિશેષ પરિમાણ જણાવે છે – ત્રણ યમલ પદના ઉપર અને ચાર યમલ પદની નીચે છે. અહીં મનુષ્યની સંખ્યા જણાવનાર ૨૯ અંકસ્થાન આગળ કહેવાશે. તેમાં આગમ પરિભાષાથી આઠ આઠની ‘ચમલપદ' એવી સંજ્ઞા છે. ૨૪ અંક સ્થાન વડે ત્રણ યમલપદ થાય છે. ઉપના પાંચ અંકસ્થાન બાકી રહે છે, પણ યમલપદ આઠ અંકસ્થાન વડે થતું હોવાથી ચોથું અમલપદ થતું નથી, માટે કહ્યું કે - ત્રણ યમલપદની ઉપર છે. કેમકે
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy