SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૪૬ ૧૯૩ સાદિવ વિશેષણ અન્યથા અનુપપત્તિથી વિશિષ્ટ જ પ્રમાણલક્ષણ યુક્ત આદિ અહીં મળે છે. તેથી ઉત્સધ બહલ કહ્યું - જે સંસ્થાન નાભિની નીચે પ્રમાણયુક્ત અને ઉપર હીન છે, તે સાદિ. બીન સાદિને બદલે સાચિ કહે છે. તેમાં સાચીને પ્રવચન જ્ઞાતા શાભલીવૃક્ષા કહે છે. તેથી ‘સાચી'વત્ જે સંસ્થાન, જેમ શાભલી વૃક્ષ સ્કંધ, કાંડ અતિપુષ્ટ છે, ઉપર તે મુજબની મહાવિશાળતા નથી, તેની જેમ સંસ્થાનનો અધોભાગ પરિપૂર્ણ હોય, પણ ઉપરનો ભાગ તેમ ન હોય, તથા મસ્તક ગ્રીવા, હાથ-પગ આદિ ચોક્ત પ્રમાણ લક્ષણયુકત, ઉર-ઉદરાદિ મંડલ છે, તે કુજ સંસ્થાન. વળી જેમાં ઉદર આદિ પ્રમાણલક્ષણ યુક્ત અને હાથ-પગ આદિ હીન છે, તે વામન. જેમાં બધાં અવયવો પ્રમાણ લક્ષણથી ભ્રષ્ટ છે, તે હુંડ. કહ્યું છે કે - સમચતુસ, ન્યગ્રોધમંડલ, સાદિ, કુજ, વામન અને ફંડ એ જીવોના છ સંસ્થાન જાણવા. તુચ, વિસ્તૃતબકુલ, ઉન્મેઘબહુ, મડભકોષ્ઠ, અઘતનકાયમડભ, સર્વત્ર અસંસ્થિત હુંડ. લેશ્યાદ્વારમાં છ એ વેશ્યા છે. શુક્લલેશ્યા પણ સંભવે છે. સમુદ્યાતો પાંચ છે, વૈક્રિય સમુદ્ધાત પણ સંભવે છે. સંજ્ઞી દ્વારમાં - સંજ્ઞી છે, અસંજ્ઞી નથી. વેદદ્વારમાં ત્રણે વેદ છે - સ્ત્રી, પુરષ વેદ પણ આમાં હોય છે. પતિ દ્વામાં પાંચ પતિઓ છે - ભાષા, મન પર્યાતિને એક ગણેલ છે માટે. અપતિ પણ પાંચ છે. દષ્ટિદ્વારમાં ત્રણ દેષ્ટિઓ છે – મિથ્યાર્દષ્ટિ, સમ્યગ્દષ્ટિ, સમ્યમિથ્યાર્દષ્ટિ. દર્શન પણ ત્રણ છે - કોઈકને અવધિ દર્શન હોય છે. જ્ઞાન દ્વારમાં ત્રણ જ્ઞાનો પણ છે. કેટલાંકને અવધિજ્ઞાનનો પણ સંભવ છે. અજ્ઞાન વિચારણામાં ત્રણ અજ્ઞાની પણ છે. કેટલાંકને વિભંગ-જ્ઞાન પણ સંભવે છે. અવધિ અને વિભંગ સમ્યગુમિથ્યાર્દષ્ટિભેદથી જાણવા. કહ્યું છે - સમ્યગૃષ્ટિને જ્ઞાન, મિથ્યાર્દષ્ટિને વિપર્યાસિ છે. ઉપપાત દ્વારમાં ઉપપાત - સાતે નૈરયિકોથી થાય છે. અસંખ્યાત વષયિક વર્જીને તિર્યંચયોનિકોમાંથી બધાથી ઉપજે છે. અકર્મ-ભૂમિજતહિંપજ - અસંખ્યાત વર્ષાયુક વર્જીને બાકીના મનુષ્યોથી ઉપજે છે. સહસાર પર્યન્તના કતાથી દેવોમાંથી ઉપજે છે. સ્થિતિ દ્વારમાં જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોટી છે. ચ્યવનદ્વારમાં - સહસાર પછીના દેવોને વર્જીને બાકીના બધાં જીવસ્થાનોમાં જાય છે. તેથી જ ચાર ગતિ, ચાર આગતિ કહી. પરીd-wતત્યેક શરીરી, અસંખ્યાતા કહ્યા - હવે સ્થલચરને કહે છે – • સૂત્ર-૪૭,૪૮ : [૪૭] તે સ્થલચરો શું છે ? બે ભેદે છે - ચતુષ્પદો અને પરિસ તે ચતુષ્પદો શું છે? તે ચાર ભેદે છે – એક ખુરવાળા, તે જ ભેદો ચાવતુ જે આવા પ્રકારના બીજ પણ, તે સંક્ષેપથી બે ભેદે કહ્યા છે - પતિા અને આપતા . શરીરો-ચાર, અવગાહના-જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ૧૯૮ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ઉત્કૃષ્ટથી છ ગાઉં. સ્થિતિ-ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમાં વિશેષ એ કે - ઉદ્ધર્તાને નૈરયિકોમાં ચોથી પૃdી સુધી જાય છે. બાકી બધું જલચર સમાન છે, યાવતું ચાર ગતિ, ચાર ગતિ. પરિત્તા, અસંખ્યાતા કહ્યા છે. તે ચતુષ્પદ. તે પરિસ શું છે? બે ભેદે કહ્યા છે . ઉર પરિસર્ષ અને ભુજમ પરિસર્ષ. તે ઉરપરિસ શું છે? પૂર્વવત આસાલિક સિવાયના ભેદો કહેવા. શરીર-ગણ, અવગાહના-જઘન્યથી અંગુલનો અસંખ્યાત-ભાગ, ઉત્કૃષ્ટથી હજાર યોજના સ્થિતિ-જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી પૂર્વકોડી. ઉદ્વતને નૈરયિકોમાં ચાવતું પાંચમી પૃવી સુધી જાય છે. બધાં વિર્યચ-મનુષ્યોમાં, દેવોમાં સહચાર સુધી જાય છે. બાકી બધું જલચર મુજબ યાવતુ ચાર ગતિ, ચાર ગતિ છે. પરિતા-અસંખ્યાતા છે. તે આ ઉરપરિસ છે. તે ભુજમ પરિસ શું છે? ભેદો પૂર્વવતું. શરીર-ચાર, વગાહનાજઘન્યથી આંગુલનો અસંખ્યાત ભાગ. ઉત્કૃષ્ટથી ગાઉ પૃથકૃત્વ. સ્થિતિ-જાન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી. બાકીના સ્થાનોમાં ઉર:પસિવિ4 કહેવું. વિશેષ આ - બીજી પૃથ્વી સુધી જાય. તે ભુજગ પરિસર્ષ કહ્યા. તે આ સ્થલચર કહા. [૪૮] તે ખેચર શું છે ? ચાર ભેદે છે – ચર્મપક્ષી, ભેદો પૂર્વવત્ છે. અવગાહના - જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ધનુષ પૃથકd. સ્થિતિ-જન્યથી તમુહૂર્ત, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. બાકી બધું જલચર મુજબ છે. વિશેષ - ચાવતું ત્રીજી પૃની સુધી જાય છે. ચાવતુ તે ખેચર ગર્ભ સુકાંતિક પંચેન્દ્રિય તિર્યંચ યોનિક. તે આ તિર્યંચયોનિક કહ્યા. • વિવેચન-૪૩,૪૮ - સ્થલચર ગર્ભ વ્યુત્ક્રાંતિકોનું ભેદોપદર્શક સૂત્ર, જેમ સંમૂર્હિમ સ્થલચરોનું છે, તેમ કહેવું. વિશેષ આ - આસાલિકો ન કહેવા. તે સંમૂર્ણિમ જ છે, ગર્ભવ્યુત્ક્રાંતિક નથી. તથા મહોરમ સૂરમાં યોજનશત, યોજનશતપૃથકd, યોજન સહસ્ત્ર આટલું અધિક કહેવું. શરીરાદિ દ્વાર સૂત્રો તો સર્વત્ર ગર્ભવ્યુત્ક્રાંતિક જલચરોવત્ છે. વિશેષ આ - અવગાહના, સ્થિતિ, ઉદ્વર્તનામાં ભેદ છે. તેમાં ચતુષ્પદોની ઉત્કૃષ્ટ અવગાહની છ ગાઉ છે, સ્થિતિ-ઉત્કર્ષથી પલ્યોપમ છે, ઉદ્વર્તના ચોથી પૃથ્વીથી શરૂ કરીને સક્ષાર સુધી છે. આ બધાં જીવ-સ્થાનોમાં ઉદ્વર્તીને અનંતર ઉપજે છે. ઉર:પરિસર્ષની ઉત્કૃષ્ટાવગાહના હજાર યોજન છે. સ્થિતિ-ઉત્કૃષ્ટથી પૂર્વકોટી, ઉદ્વર્તના-પાંચમી પૃથ્વીથી આરંભીને સહસ્સાર સુધી બધાં જીવ સ્થાનોમાં ઉપજે. ભુજપરિસર્પોની ઉત્કૃષ્ટ અવગાહના ગાઉ પૃથક્વ છે, સ્થિતિ ઉત્કૃષ્ટથી પુકોટી, ઉદ્વર્તના-બીજી પૃથ્વીથી સહસાકલા સુધીના અંતરમાં બધાં જીવ સ્થાનોમાં ઉત્પાર છે. ખેચર ગર્ભ વ્યહ્રાંતિક પંચેન્દ્રિય ભેદો, સંમૂર્ણિમ ખેચરોવત્ છે. શરીરાદિ દ્વાર વિચારણા ગર્ભ વ્યુત્ક્રાંતિ જલચરવત્ વિશેષ આ- અવગાહના, સ્થિતિ, ઉદ્વર્તનામાં ભેદ છે. ઉત્કૃષ્ટ અવગાહના ધનુષ, પૃથકત્વ, જઘન્યથી બધે અંગુલનો અસંખ્યાત ભાગ પ્રમાણમાં સ્થિતિ - જઘન્યથી બધે અંગુલનો અસંખ્યાત ભાગ પ્રમાણ. સ્થિતિ
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy