SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/દેવ/૧૫૨ થી ૧૫૫ ૧,૮૦,૦૦૦ યોજન બાહલ્સવાળી આ રત્નપ્રભા પૃથ્વીના ઉપર-નીચેના એક-એક હજાર યોજન છોડીને મધ્યના ૧,૭૮,૦૦૦ યોજનમાં આ અસુરકુમાર દેવોના ૬૪લાખ ભવનો કહ્યા છે. તે ભવનો બહારથી વૃત્ત, અંદરથી ચોરસ, નીચે પુષ્કરકર્ણિકા સંસ્થાન સંસ્થિત, વિપુલ-ગંભીર ખાત-પરિખા યાવત્ પ્રતિરૂપ છે. અહીં અસુરકુમાર દેવોના ભવનો કહ્યા છે. અહીં ઘણાં અસુરકુમાર દેવો વસે છે. જેઓ કાળા, લોહિતાક્ષ બિંબ હોઠવાળા, ધવલ પુષ્પદંતવાળા, અશ્વેત કેશવાળા, ડાબા કાનમાં કુંડલને ધારણ કરેલા, આર્દ્ર ચંદનાનું લિપ્ત ગાત્રવાળા શિલિંઘ પુષ્પ સમાન કિંચિત્ ક્ત, સંક્લેશ ઉત્પન્ન ન કરનાર, પ્રવર સૂક્ષ્મ વસ્ત્ર ધારણ કરેલા, પ્રથમ વયને સમતિક્રાંત, બીજી વયને અસંપ્રાપ્ત, ભદ્ર, યૌવનમાં વર્તતા, તલભંગક, ત્રુટિત અને અન્યાન્ય શ્રેષ્ઠ આભૂષણોથી જડિત નિર્મળ મણી તથા રત્નોથી મંડિત ભુજાવાળા, દશ મુદ્રિકાથી શોભિત આંગળીઓવાળા, ચૂડામણિ ચિહ્નવાળા, સુરૂપ, મહર્ષિક, મહાધુતિક, મહાયશસ્વી, મહાપ્રભાવયુક્ત, મહાસુખી, હાર વડે શોભિત છાતીવાળા યાવત્ દશે દિશાને ઉધોતીત-પ્રભાસિત કરતા વિચરે છે. ૧૨૫ તેઓ ત્યાં પોત-પોતાના લાખો ભવનો યાવત્ દિવ્ય ભોગોપભોગોને ભોગવતા વિચરે છે. અસુરકુમાર રાજા અને અસુકુમારેન્દ્ર ચમર અને બલિ એવા બે ઈન્દ્રો વસે છે. તે કાળા, મહાનીલ સન્દેશ, નીલ-ગુલિક-ગવલ-પ્રકાશ, વિકસિત શતપત્ર નિર્મળ કંઈક શ્વેત-રક્ત-તામ નયન, ગરુડ જેવી નાસિકાવાળાસ ઉપચિત શિલપવાલ, બિંબફળ જેવા અધરોષ્ઠવાળા, શ્વેત-વિમલ-ચંદ્રખંડ, જામેલ દહીં, શંખ, ગાયનું દૂધ, કુંદ, જલકણ, મૃણાલિકા સમાન ધવલ દંતપંક્તિવાળા, અગ્નિમાં તપાવેલ અને ધોયેલ સોના સમાન લાલ તાળવા અને જીભવાળા, અંજન અને મેઘ સમાન કાળા ચક રત્ન સમાન રમણીય અને સ્નિગ્ધ વાળ વાળા, ડાબા એક કાનમાં કુંડલના ધારાદિ પૂર્વવત્ કહેવું. દક્ષિણના અસુરકુમાર દેવોના ભવનો ક્યાં છે? તે દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! જંબુદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે આ રત્નપ્રભા પૃથ્વીના ૧,૮૦,૦૦૦ યોજન મધ્યેના ૧,૭૮,૦૦૦ યોજનમાં દક્ષિણના અસુકુમાર દેવોના ચોત્રીશ લાખ ભવનો કહ્યા છે. વર્ણન પૂર્વવત્. ત્યાં ઘણાં દક્ષિણ દિશાના અસુરકુમાર દેવો વસે છે. - x અહીં અસુકુમાર રાજા અસુરેન્દ્ર ચમર વસે છે. - ૪ - ત્યાં ૩૪-લાખ ભવનાવાસ, ૬૪,૦૦૦ સામાનિક દેવો, ૩૩-ત્રાયશ્રિંશક દેવ, ચાર લોકપાલ, સપરિવાર પાંચ અગ્રમહિષી, ત્રણ પર્યાદા, સાત અનિક, સાત અનિકાધિપતિ, ૨,૫૬,૦૦૦ આત્મરક્ષક દેવો તથા બીજા દક્ષિણ દિશાના દેવો-દેવીનું આધિપત્ય, પૌરોપત્ય કરતાં યાવત્ વિચરે છે. - આ સૂત્રપાઠ પ્રાયઃ સુગમ છે. વિશેષ આ - નોવિવા વિવો - લોહિતાક્ષરત્ન અને બિંબવત્ હોઠવાળા. અશ્વેત-કાળા વાળ વાળા. અહીં દાંત અને કેશ વૈરિય જાણવા, સ્વાભાવિક નહીં. વામેયકુંડલધરા - એક કાનમાં કુંડલ ધારણ કરનારા. ૧૨૬ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ આર્દ્ર . - સરસ ચંદનથી અનુલિપ્ત ગાત્રવાળા. પત્ - કંઈક. અસંવિનાનિ - અત્યંત સુખજનકતાથી થોડાં પણ સંક્લેશનો અનુત્પાદક. - ૪ - = વ - ઉંમર, પ્રથમ - કુમારત્વ લક્ષણને ઓળંગી ગયેલ અર્થાત્ તેના છેડે રહેલ અને દ્વિતીય - મધ્ય લક્ષણ વયને ન પામેલ. ભદ્ર - અતિ પ્રશસ્ય ચૌવનમાં વર્તતા. તત્વમંગલ - બાહુનું આભરણ, ત્રુટિત - બાહુ રક્ષક, તેમાં જે નિર્મલ મળિ - ચંદ્રકાંતાદિ, રત્ન-ઈન્દ્રનીલાદિ તેના વડે મંડિત, જેમને ચૂડામણિ નામે અદ્ભૂત ચિહ્ન રહેલું છે તે. ચમર બલિ સામાન્ય સૂત્રમાં શું કહે છે ? – નાના - કૃષ્ણ વર્ણના, આને જ ઉપમા વડે કહે છે મહાનીલ કોઈ વસ્તુ લોકમાં હોય, તેના સમાન. નવત્ત - ભેંસના શીંગડા, તેમના જેવા પ્રકાશ-પ્રતિમાવાળા. — - x - x - ગરુડ જેવી લાંબી, અકુટિલ, ઉન્નત નાસિકા જેમની છે તે તથા પાંડુર, સંધ્યાકાળભાવિ આક્ત નહીં. શશિશકલ-ચંદ્ર ખંડ. વળી રજરહિત કે કલંક રહિત, ઘન દહીં, શંખ, ગાયનું દૂધ આદિવત્ નિર્મળ એવી ધવલ દંતશ્રેણિ જેમની છે તે. તથા અગ્નિ વડે ધમીને પછી ધોઈને નિર્મળ કરેલ, તપનીય, લાલ સુવર્ણ જેવા હાથપગના તળીયા, તાળવું અને જીભ જેના છે તે. અંજન-વર્ષાકાળના મેઘવત્ કૃષ્ણરુચક રત્નવત્ રમણીય અને સ્નિગ્ધ વાળવાળા. સમર સૂત્રની પર્યાદા વિશેષને હવે કહે છે – - સૂત્ર-૧૫૬ : ભગવન્ ! સુરેન્દ્ર અસુરરાજની કેટલી પર્યાદા છે ? ગૌતમ ! ત્રણ સમિતા, ચંડા, જાતા, અત્યંતર તે સમિતા, મધ્યા તે ચંડા અને બાહ્યા તે જાતા કહેવાય છે. ભગવન્ ! સુરેન્દ્ર અસુરરાજ સમરની અત્યંતર પર્યાદાની કેટલા હજાર દેવો કહ્યા છે ? મધ્યમાની અને બાહ્ય પર્યાદાના કેટલા હજાર દેવો કહ્યા છે ? ગૌતમ ! અસુરેન્દ્ર સમરની અત્યંતર ૫ર્યાદામાં ૨૪,૦૦૦ મધ્યમ પદાની ૨૮,૦૦૦ અને બાહ્ય પદામાં ૩૨,૦૦૦ દેવો છે... ભગવન્ ! અસુરરાજ અસુરેન્દ્ર રામરની અત્યંતર-મધ્યમ અને બાહ્ય પર્યાદામાં કેટ-કેટલા સૌ દેવીઓ છે ? ગૌતમ ! અસુરરાજ સુરેન્દ્ર સમરની અત્યંતર પર્યાદામાં ૩૫૦, મધ્યમ પર્યાદામાં-૩૦૦ અને બાહ્ય પદિામાં ૨૫૦ દેવીઓ કહેલી છે. ભગવન્ ! સુરેન્દ્ર અસુરરાજ સમરની અત્યંતર પર્યાદાના દેવોની-મધ્યમ પર્ષદીય દેવોની - બાહ્ય પદિીય દેવોની કેટલી કાળ સ્થિતિ કહી છે ? અત્યંતરમધ્યમ-બાહ્ય પર્યાદાની દેવીની કેટલો કાળ સ્થિતિ કહી છે? ગૌતમ ! અસુરેન્દ્ર સમરની અત્યંતર પર્યાદાના દેવોની સ્થિતિ અઢી પલ્યોપમ, મધ્યમ પદાના દેવોની બે પલ્યોપમ, બાહ્ય પર્યાદાના દેવોની દોઢ પલ્યોપમ સ્થિતિ છે. દેવીઓમાં આાંતરની દોઢ, મધ્યમની એક અને બાહ્ય પર્યાદાની અડધો પલ્યોપમની છે. ભગવન્ ! એમ કેમ કહેવાય છે કે – અસુરેન્દ્ર સમરની ત્રણ પર્યા કહી
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy