SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સૂઝ-૨૯ રાજપમ્બીયઉપાંગસૂત્ર - સટીક અનુવાદ સિંહાસનો કહ્યા છે. તેનું વર્ણન પૂર્વે કહ્યા મુજબ સંપૂર્ણ કહેવું. તે તોરણો આગળ બબ્બે રૂધ્યમય છત્રો કહ્યા છે. તે છત્રો વૈચરત્નમય વિમલદંડવાળા, જાંબૂનદ કર્ણિકાવાળા, વજન વડે આપૂરિત દંડ શલાકા સંધિયુક્ત, મુક્તાજાલ પરિગત, ૮ooo સંખ્યક વકાંચનમય શલાકાયુક્ત, વસ્ત્રખંડથી ઢાંકેલ કુંડિકાદિના ભાજનમુખ વડે ગાળેલ કે તેમાં પકાવેલ જે મલયજ સુખડ, તેના સંબંધી જે સુગંધી જે ગંઘવાય, તેની જેમ બધી ઋતુમાં સુરભિ અને શીતલ છાયાવાળા. સ્વસ્તિકાદિ આઠ મંગલ જેમાં આલેખેલા છે તેવા ચંદ્રાકૃતિની ઉપમાવાળા, તેના જેવા વૃત છે. - તે તોરણોની આગળ બબ્બે ચામર કહી છે. તે ચંદ્રકાંત, વજ, વૈર્ય તથા બીજા મણિરનો વડે ખચિત છે. આવા પ્રકારના વિવિધ આકારવાળા દંડો જે ચામરોના છે તેવી. સૂમ જતમય દીર્ધવાળયુક્ત, શંખ-અંક-કુંદપુષ્પ-ઉદકકણ-અમૃત મથિત ફેણ પુંજ, તે બધાં જેવી પ્રભાવાળા, સ્વચ્છાદિ પૂર્વવતુ. તે તોરણોની આગળ બળે તૈલ સમુક છે. જીવાભિગમ મૂળ ટીકા મુજબ તૈલ સમુદ્ગક - સુગંધી તેલના આધારપાત્ર. એ પ્રમાણે કોઠાદિ સમુદ્ગક પણ કહેવા. * x - આ બધાં સર્વરત્નમય, સ્વચ્છ આદિ છે - પૂર્વવત્ કહેવા. • સૂઝ-30 - સૂયભિ વિમાનના પ્રત્યેક દ્વારે ૧૦૮-૧૦૮ ચક્ર, મૃગ, ગરુડ, છત્ર, પિચ્છ, શકુનિ, સીંહ, વૃષભ, ચાર દાંતવાળા શેત હાથી અને ઉત્તમ નાગથી અંકિત ધજાઓ ફચ્છે છે. આ પ્રમાણે બધી મળીને સૂર્યાભિ વિમાનના પ્રત્યેક દ્વારે ૧૦૮૦ Mા ત્યાં કહી છે. ત્યાં સૂયાભિ વિમાનમાં ૬૫-૬૫ ભૌમ બતાવેલા છે. તે ભૌમનો ભૂમિભાગ અને ચંદરવાને કહેવા. તે ભૌમના બહુ મધ્યદેશ ભાગે એક-એક સીંહાસન છે, સીંહાસનનું વર્ણન સપરિવાર પૂર્વવત્ કહેવું. બાકીના ભૌમમાં ભદ્રાસન રાખેલ છે. તે દ્વારોના ઉત્તમાગાર સોળ પ્રકારના રનોની સુશોભિત છે. તે આ રીતે - રનો યાવત રિસ્ટરન વડે. તે દ્વારોની ઉપર આઠ-આઠ મંગલક, qજ સહિત યાવત્ છમતિછમથી શોભિત છે. આ પ્રમાણે બધાં મળીને ૪૦eo દ્વારો સૂયભિ વિમાનમાં હોય છે, તેમ કહ્યું છે. તે સુભ વિમાનમાં અશોકવન, સપ્તપર્ણવિન, ચંપકવન, ચૂતકવન ચારે દિશામાં પoo-oo યોજના અંતરે છે. આ વનખંડ આ રીતે છે - પૂર્વમાં અશોકવન, દક્ષિણમાં સપ્તપર્ણ વન, પશ્ચિમમાં ચંપકવન, ઉત્તરમાં ચૂતક વન. તે વનખંડો સાતિરેક સાડા બાર યોજનથી અધિક લાંબા, પoo યોજન પહોળા છે. પ્રત્યેક પ્રત્યેક પ્રકારથી પરિવેષ્ટિત, કાળાકાળીઅભાવાળા છે. • વિવેચન-30 : સૂર્યાભિ વિમાનના એક-એક દ્વારમાં ૧૦૮ ચક્રધ્વજ ઈત્યાદિ કહ્યા. ચક્રધ્વજ[17/6] ચક રેખારૂપ ચિહ્નયુક્ત ધ્વજા. એ રીતે મૃગ-ગરુડ આદિ [સૂત્રોક્ત] બધી ૧૦૮-૧૦૮ જાણવી. આ પ્રમાણે પૂવપર બધી મળીને તે સૂર્યાભ વિમાનના એક-એક દ્વારે ૧૦૮૦-૧૦૮૦ qજાઓ અને બીજા તીર્થકરોએ કહેલી છે. તે દ્વારો સંબંધી પ્રત્યેકના ૬૫-૬૫ વિશિષ્ટ સ્થાનો કહ્યા છે. તે ભૂમોના ભૂમિભાગ અને ઉલ્લોક યાન વિમાન વત્ કહેવા. તે ભૌમોના બહુ મધ્યદેશ ભાગે જે 33-ભૌમ છે, તેના પ્રત્યેકના બહુમધ્યદેશ ભાગે પ્રત્યેકમાં સુર્યાભદેવને યોગ્ય સિંહાસન છે. તે સિંહાસનોની પશ્ચિમ-ઉત્તરપૂર્વાદિમાં સામાનિક દેવ યોગ્ય ભદ્રાસનો કમથી યાનવિમાનવ કહેવા. બાકીના ભૌમોમાં દરેકમાં એક-એક સિંહાસન પરિવાર હિત છે. તે દ્વારોનો ઉપરિત આકાર ઉત્તરંગાદિ રૂપ, કવચિત્ ઉપરનો ભાગ એ પાઠ છે. તે સોળ પ્રકારના રત્નો વડે શોભે છે. તે આ – કર્કેતનરન, વજ, વૈર્ય, લોહિતાક્ષ, મસાણલ્લ, હંસગર્ભ, પલક, સૌગંધિત, જ્યોતીરસ, અંક, અંજન, જત, અંજનપુલક, જાતરૂપ, સ્ફટિક અને રિષ્ઠરનો વડે. તે પ્રત્યેક દ્વારની ઉપર આઠ-આઠ સ્વસ્તિકાદિ મંગલક ઈત્યાદિ છે, ચાનવિમાનના તોરણવ તે કહેવા યાવતુ ઘણાં સહાપત્ર કમળો છે. કોઈક પ્રતમાં વધારાનો આ પાઠ છે - આ પ્રમાણે બધાં મળીને સૂયભિવિમાનમાં 8ooo દ્વારો છે. સૂયભ વિમાનની ચારે દિશામાં મળીને - ચારે દિશામાં ૫૦૦-૫૦૦ યોજને બાધા રહિત અર્થાત્ અપાંતરાલ છોડીને ચાર વનખંડો છે. વનખંડ - “અનેક જાતીય ઉત્તમ વૃક્ષોનો સમૂહ” એમ જીવાભિગમ ચૂર્ણિમાં કહ્યું છે. તે વનખંડોને નામથી અને દિશાભેદથી દશવિ છે. અશોકવન--અશોકવૃક્ષ પ્રધાન વન. એ જ રીતે સપ્તપર્ણવન, ચંપકવન, ચૂતવન કહેવા. પૂવદિ દિશા પાઠસિદ્ધ છે. • x • તે વનખંડો સાતિરેક સાડા બાર લાખ યોજન લાંબા અને પ00 યોજન વિકુંભચી છે. પ્રત્યેક વન પ્રકાર વડે પરિક્ષિત છે. વળી તે વનખંડ કૃષ્ણ-કૃણ આભાવાળા, નીલ-નીલાdભાસે, હરિત-હરિતાવભાસ, શીત-શીતાવભાસ, સ્નિગ્ધ-સ્નિગ્ધાવભાસ, તિવ-તિવાવભાસ, કૃષ્ણ-કૃણછાય, નીલ-નીલચ્છાય, હરિત-હરિતચ્છાય, શીત-શીતચ્છાય, સ્નિગ્ધનિપૂછાય, શાખા-પ્રશાખા એક બીજામાં મળી જવાથી સઘન છાયાવાળ, રમ્ય, મહામેઘના સમુદાયથી શોભે છે. તે વૃક્ષો મૂળ-કંદ-સ્કંધ-વચા-પ્રવાલ-૫l-પુષ-બીજકળથી યુક્ત છે. અનુકમે સુજાતાદિ, એકરૂંધ, અનેક શાખા-પ્રશાખા યુક્ત, અનેક મનુષ્યો વડે પ્રસારેલ બાહાથી અગ્રાહ્ય ધન વિપુલ વૃત સ્કંધવાળુ, અછિદ્ર-અવિરત આદિ પોથી યુક્ત, જરઠ પાંડુ કો હિત, નવા હરિત પત્રાદિના ભારથી અંધકાર યુક્ત અને ગંભીર દર્શનીય, શ્રેષ્ઠ તરુણ -પલ્લવ આદિ નીકળેલા છે તેવું નિત્ય કુસુમિત-મુકુલિત, લવચિક-રતબકીય-ગુલયિત-ગોચ્છિક-યમલિય-યુગલિક-વિનમિતપ્રણમિતાદિ, સુવિભક્ત ઈત્યાદિ ઉવવાઈ સૂગાનુસાર જાણવું * * * ઉક્ત વૃક્ષ વર્ણનની વ્યાખ્યા નો સાર] આ પ્રમાણે છે – આ વૃક્ષો મધ્ય પ્રાયઃ મધ્યમ વયમાં વર્તતા પાનો કાળા હોય છે, તેના યોગથી
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy