SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ૨-૧૦/૧૪૫ નોઅધમસ્તિકાય દેશ, અધમસ્તિકાયપદેશ, અદ્રાસમય. • વિવેચન-૧૪૫ - લોકાકાશ, અલોકાકાશનું સ્વરૂપ આ છે - જે ક્ષેત્રમાં ધમસ્તિકાયાદિ દ્રવ્યો રહે તે ફોત્ર, તે દ્રવ્યો સહિત લોક અને તેથી ઉલટું તે અલોક. લોકાકાસાદિમાં છે. પ્રશ્નો છે. તેમાં લોકાકાશરૂપ અધિકરણમાં સંપૂર્ણ જીવદ્રવ્યો છે. જીવના બુદ્ધિકલિત બે વગેરે વિભાગો તે જીવદેશ. જીવ દેશના જ બુદ્ધિકલિત નિર્વભાગ પ્રકૃષ્ટ દેશો તે જીવપ્રદેશો. અજીવો એટલે ધમસ્તિકાય આદિ. | (શંકા) લોકાકાશમાં જીવ, અજીવ છે એમ કહેવાથી જીવો અને જીવોના દેશો, પ્રદેશો છે જ તે જણાય છે, કેમકે તે દેશાદિ જીવ થકી નોખા નથી. તો પછી જીવ જીવના ગ્રહણ પછી દેશાદિનું ગ્રહણ શા માટે? – એવું નથી, જીવાદિ અવયવરહિત વસ્તુ છે તે મતના નિવારણ માટે છે. [પૂર્વે જ પ્રશ્નો કહ્યા, તેનો ઉત્તર આ છે–] નવા વિ. સગથી આદિ ત્રણ પ્રશ્નોના ઉત્તરો કહ્યા છે. છેલ્લા ત્રણ પ્રશ્નોનો ઉત્તર આ છે - પુદ્ગલો મૂર્ત છે. ધર્માસ્તિકાયાદિ અમૂર્ત છે. પરમાણુનો સમૂહ તે કંધો, તેના બે વગેરે વિભાગ તે અંઘદેશો, તેના અવિભાજ્ય અંશો તે અંધ પ્રદેશો. સ્કંધભાવને નહીં પામેલા પરમાણુ તે પરમાણુ પુદ્ગલો. તેથી લોકાકાશમાં રૂપી દ્રવ્યાપેક્ષાથી અજીવો, અજીવ દેશો, અજીવ પ્રદેશો પણ છે. જીવ ગ્રહણથી તે ગ્રાહ્ય છે. અરૂપીના અન્ય સ્થાને દશ ભેદ કહ્યા - આકાશાસ્તિકાય, આકાશાસ્તિકાય દેશ, આકાશાસ્તિકાય પ્રદેશ, ધમસ્તિકાયઅધમસ્તિકાયના ત્રણ-ત્રણ ભેદો અને દશમો સમય. અહીં ત્રણ ભેજવાળા આકાશને આઘાર રૂપે ગણેલ છે, તેથી આધેયના સાત ભેદ કહ્યા. પણ તેની અહીં વિવક્ષા કરી નથી, તેનું કારણ આગળ જણાવશે. જેની વિવક્ષા કરી છે તે પાંચ, કેવી રીતે? જીવો અને પુદ્ગલો ઘણાં છે માટે એક જ જીવ કે પુદ્ગલ જ્યાં સમાઈ શકે તેટલી જ જગ્યામાં અનેક જીવો અને પુદ્ગલો સમાઈ શકે છે. તેથી જીવો અને પુદ્ગલો તથા તેઓના દેશો, પ્રદેશો સંભવે છે, તેથી જીવો, જીવદેશો અને જીવપ્રદેશો તથા રૂપી દ્રવ્યની અપેક્ષાએ જીવો, જીવ દેશો અને અજીવ પ્રદેશો એમ કહેવું સંગત છે કેમકે એક જ આશ્રયમાં જુદી જુદી ત્રણ વસ્તુનો સદ્ભાવ છે. ધર્માસ્તિકાયાદિમાં તો બે જ સંભવે છે. જ્યારે સંપૂર્ણ વસ્તુની વિવક્ષા થાય ત્યારે ધમસ્તિકાયાદિ કહેવાય છે. જયારે તેની અંશ વિવામાં તેના પ્રદેશ કહેવાય. કેમકે તેમનું અવસ્થિતપત્વ છે. તેના દેશની કલાના અયુકત છે કેમકે તે અવસ્થિત રૂપવાળા નથી. જો કે જીવાદિ દેશો પણ અનવસ્થિતરૂપ છે. તો પણ તેઓના એક આશ્રયમાં ભેદના સંભવથી પ્રરૂપણા કરી છે અને ધમસ્તિકાયાદિમાં તેમ નથી કેમકે તે એક છે, સંકોચાદિ ધમરહિત છે. માટે જ તેનો નિષેધ કરવા નોધમસ્તિકાયદેશાદિ કહ્યું. ચર્ણિકાર પણ કહે છે - અરૂપી દ્રવ્યો ‘સમુદય’ શબ્દથી કહેવાય છે અથવા તેને પ્રદેશથી કહેવા, પણ “દેશ’ શબ્દથી ન કહેવા. કેમકે તેઓના દેશોનું અનવસ્થિત પ્રમાણ છે. તેથી “દેશ' શબ્દથી તેનો નિર્દેશ કરવો. વળી જે “દેશ'થી નિર્દેશ છે. તે સવિષય-ગત વ્યવહારપદ્રવ્ય સ્પર્શનાદિ ગત વ્યવહારસ્થ છે. તેમાં સ્વવિષયમાં ધમસ્તિકાયાદિ વિષયમાં જે દેશ શબ્દનો વ્યવહાર - જેમકે - ધર્માસ્તિકાય પોતાના દેશ વડે ઉર્વ લોકાકાશને સ્પર્શે છે ઇત્યાદિ. માસમય • અદ્ધા એટલે કાળ, સમય એટલે ક્ષણ. તે એક જ વર્તમાન ક્ષણ લક્ષણ છે. કેમકે ભૂતકાળ, ભાવિકાળ અસતું રૂપ છે. - - લોકાકાશના છ પ્રશ્નોના ઉત્તર કહ્યા. હવે અલોકાકાશ • સૂઝ-૧૪૬,૧૪૭ - [૧૪] ભગવન ! શું આલોકકાશ એ જીવો છે? વગેરે પૂર્વવતુ પૃચ્છા, હે ગૌતમ તે જીવો નથી યાવતુ આજીવના પ્રદેશો પણ નથી, તે એક અજીબદ્રવ્ય દેશ છે. લધુ તથા ગુલધુરૂપ અનંત ગુણોથી સંયુકત છે અને અનંત ભાગ ન્યૂન સવકિાશરૂપ છે. [૧૪] ધમસ્તિકાય, ભગવદ્ ! કેટલો મોટો છે ? ગૌતમતે લોક, લોકમાત્ર, લોકપ્રમાણ, લોકસૃષ્ટ, લોકને જ સ્પર્શને રહ્યો છે. એ પ્રમાણે અધમસ્તિકાય, લોકાકાશ, જીવાસ્તિકાય, યુગલાસ્તિકાય એ પાંચે સંબંધ એક સરખો જ આલાનો છે. • વિવેચન-૧૪૬,૧૪૭ : [૧૪૬] જેમ લોકાકાશના પ્રશ્નો કર્યા તેમ અલોકાકાશના જાણવા. - ભગવનું ! અલોકાકાશમાં જીવ, જીવ દેશ ચાવતુ અજીવ પ્રદેશ છે ? આ છે એ નથી. લોકાકાશનું દેશવ લોકાલોકરૂપ આકાશ દ્રવ્યના એક ભાગરૂપ છે. કેમકે તે ગુરુલઘુ નથી. સ્વપર પર્યાયરૂપ ગુલ૫ સ્વભાવવાળા અનંત ગુણોથી યુકત છે, કેમકે અલોકાકાશની અપેક્ષાએ લોકાકાશ અનંત ભાગરૂપ છે. અનંતરોત ધમસ્તિકાયાદિને પ્રમાણથી નિરૂપે છે - [૧૪] ધમસ્તિકાય કેટલો મોટો છે ? લોકના માપથી કે લોકના વ્યપદેશથી તેને લોક (રૂ૫) કહ્યો છે. કહે છે - પંચાસ્તિકાયમય લોક છે, ઇત્યાદિ. અથવા તે લોકમાં રહેલો છે. • x• તે લોક પરિમાણ છે. કિંચિત જૂન હોવા છતાં વ્યવહારથી લોક પ્રમાણ કહ્યો છે. લોકના પ્રદેશો જેટલા ધમસ્તિકાયના પ્રદેશો છે. તે અન્યોન્ય અનુબંધ વડે રહેલ છે. પોતાના બધાં પ્રદેશો વડે લોકને અડકીને રહેલો છે. હમણાં કહ્યું- ૫ગલાસ્તિકાય લોકને અડકીને રહ્યો છે. પર્શના અધિકારથી અધોલોકાદિમાં ધમસ્તિકાય સ્પર્શના કહે છે– • સૂત્ર-૧૪૮ : ભગવના ધમધતિકાયના કેટલા ભાગને અધોલોક સ્પર્શે છે? ગૌતમાં સાતિરેક અધભાગને. - ભગવના તિલોકનો પ્રશ્ન - ગૌતમ અસંધ્યેય ભાગને સ્પર્શે છે. - ભગવના ઉdલોકનો પ્રસ્ત - ગૌતમ દેશોન અભિાગને સ્પર્શે છે. • વિવેચન-૧૪૮ :ધમસ્તિકાય લોકવ્યાપી હોવાથી અને અધોલોકનું પ્રમાણ સાત રજથી કંઈક
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy