SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/૩/૫૦૬,૫૦૩ ૨૨૧ રરર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ ઉત્તમ યતિને જ થાય છે. તેમ કેવલજ્ઞાન પણ થાય છે. જે જીવ સર્વજ્ઞાન પ્રાપ્ત કરે છે તે ચોક્કસ અંતમાં કેવલજ્ઞાન પામે છે. જેમ મન:પર્યાય જ્ઞાન વિપર્યય સહિત હોતું નથી તેમ કેવળજ્ઞાન પણ વિપર્યય યુક્ત ન હોય. ઉત્તમપણાથી, અતિરૂપ સ્વામિત્વથી અને અંતે લાભ થવાથી અંતે કેવળજ્ઞાનનો ઉપન્યાસ છે. મતિ શ્રત પરોક્ષ છે, શેષ પ્રત્યક્ષ છે. ઉક્ત જ્ઞાનને આવક જ્ઞાનાવરણ કર્મ છે, તેથી તેનું સ્વરૂપ [૫૦] સૂp સુગમ છે. જ્ઞાનાવરણ કર્મ કહ્યું. તેનો નાશ કરવા માટે ઉપાયવિશેષ સ્વાધ્યાયના ભેદો કહે છે— • સૂત્ર-૫૦૮ થી ૫૧૦ : [૫o૮સ્વાધ્યાય પાંચ ભેદ કહ્યા છે, તે આ - વાચન, પૃચ્છના, પરિવતના, અનપેક્ષા, ધર્મકથા... [૫૯] પચ્ચકખાણ પાંચ ભેદે કહ્યું છે, તે આ - શ્રદ્ધાનું શુદ્ધ, વિનય શુદ્ધ, અનુભાષા શુદ્ધ, અનુભાવના શુદ્ધ, ભાવ શુદ્ધ... [૫૧૦] પ્રતિક્રમણ પાંચ ભેદે કહ્યું છે, તે આ - આad હરિ, મિશ્રાવ, કષાય, યોગ, ભાવ-પ્રતિક્રમણ. • વિવેચન-૫૦૮ થી ૫૧૦ : [૫૮] સૂત્ર સુગ છે. વિશેષ એ કે - મુ - શોભન, આ - મર્યાદા વડે, અધ્યયન - શ્રુતને અધિક અનુસરવું, તે સ્વાધ્યાય... જે શિષ્યને કહે છે, શિષ્ય પ્રતિ ગુનો પ્રયોજક ભાવ તે વાયના... વાચના લીધેલ શિષ્યને સંશયાદિ ઉત્પત્તિમાં પુનઃ પૂછવું - પૂર્વે ભણેલ સૂત્રાદિની શંકાદિમાં પ્રશ્ન કરવો તે પૃચ્છના... પૂછવાથી વિશેષ શુદ્ધ થયેલું સૂત્રનું વિસ્મરણ ન થાય તે માટે પરિવર્તના કરવી અર્થાતુ સૂત્રનું ગુણના કરવું... # માફક અર્થમાં પણ વિમૃતિ સંભવે છે, તેથી અર્થ વારંવાર વિચારવા યોગ્ય છે, માટે અનુપેક્ષવું તે અનુપેક્ષા અર્થાત્ વિચારવું. એમ અભ્યસ્ત શ્રુતથી, ધર્મકથા કરવા યોગ્ય છે. ધૃતરૂપ ધર્મની જે કથા તે ધર્મકથા. પિ૦૯] ઘમકથારૂપ મંથન વડે સારી રીતે મંથન કરેલ છે જેણે એવા ભવ્ય જીવો શુદ્ધ પ્રત્યાખ્યાન સ્વીકારે છે, માટે પ્રત્યાખ્યાન કહે છે. પ્રતિ - નિષેધથી, મ - મર્યાદા વડે, રસ્થાન - કવન તે પ્રત્યાખ્યાન. તેમાં શ્રદ્ધાન વડે - એવા પતયય લક્ષણ વડે નિરવધ તે શ્રદ્ધાને શુદ્ધ. શ્રદ્ધાનના અભાવે પ્રત્યાખ્યાન અશુદ્ધ થાય છે. એ રીતે સર્વત્ર જાણવું અહીં નિર્યુક્તિની ગાથાઓ કહે છે (૧) સર્વ પ્રત્યાખ્યાન કહ્યું છે, જે મનુષ્ય સહે છે તેને તું શુદ્ધ શ્રદ્ધા જાણ. - ૨) જે જીવ મન-વચન-કાય ગુપ્ત થઈને કૃતિકર્મની અન્યૂનાધિક વિશુદ્ધિને પ્રયોજે છે, તે વિનયશુદ્ધ જાણ. (3) અનુભાષણ શુદ્ધ આ પ્રમાણે - વંદન કરીને પ્રત્યાખ્યાન કરતો, ગુરુ સમુખ અંજલિ જોડેલ શિષ્ય અક્ષર, પદ, વ્યંજન વડે પરિશુદ્ધ ગુરુના વચનને અનુસરીને બોલે તે અનુભાષણા શુદ્ધ જાણ. વિશેષ એ કે ગુરુ યfસારું બોલે, શિષ્ય afસરાઈમ બોલે. (૪) અનુપાલના શુદ્ધ આ પ્રમાણે - મહા યારણ્યમાં, દુભિક્ષમાં, આતંકમાં, મહારોગ ઉત્પન્ન થવા છતાં જે પાલન કર્યું પણ ભાંગ્યું નહીં તેને તું અનુપાલના શુદ્ધ જાણ... (૫) ભાવશુદ્ધ આ પ્રમાણે - રાગ વડે, હેપ વડે ઇહલોકાદિ આશંસારૂપ પરિણામ વડે જે દૂષિત ન હોય તે ચોક્કસ પ્રત્યાખ્યાન ભાવવિશુદ્ધ જાણવું. નિર્યુક્તિમાં છઠું જ્ઞાનશુદ્ધ પણ કહેલું છે. કહ્યું છે કે - જે કાળમાં જે કાને વિશે મૂલગુણઉતગુણોના શુદ્ધ જાણ. • • • અહીં પાંચ સ્થાનકના અનુરોઘથી છવું પ્રત્યાખ્યાન કહ્યું નથી અથવા શ્રદ્ધાન શુદ્ધ પદ વડે સંગ્રહ કરેલ છે, કારણ કે શ્રદ્ધાનનું જ્ઞાન વિશેષપણું હોય છે. |[૫૧] પ્રત્યાખ્યાન કરવા છતાં કદાચિત અતિચાર સંભવે છે તેથી પ્રતિક્રમણ કરવું જોઈએ, માટે પ્રતિકમણનું નિરૂપણ કરે છે– પ્રતિકૂળ ઝમUT - ગમન કરવું તે પ્રતિક્રમણ. કહેવા માંગે છે કે - શુભ યોગોથી અશુભ યોગો પ્રત્યે ગયેલનું શુભ યોગોને વિશે પાછું આવવું તે પ્રતિક્રમણ. કહ્યું છે • પ્રમાદના વશથી પોતાના સ્થાનથી પરસ્થાનમાં ગયેલ જીવનું જે ફરીથી સ્વસ્થાનમાં જ જવું તે પ્રતિક્રમણ કહેવાય... અથવા ક્ષાયોપથમિક ભાવથી ઔદયિક ભાવને વશ થયેલ જીવનું ફરીને ક્ષાયોપથમિક ભાવમાં આવવું તે પ્રતિક્રમણ. વિષયના ભેદથી પ્રતિક્રમણ પાંચ પ્રકારે છે, તેમાં પ્રાણાતિપાત આદિ આશ્રવના દ્વારોથી પ્રતિક્રમણ - નિવવું અત્ ફરી ન કરવું તે આશ્રયદ્વાર પ્રતિક્રમણ - અર્થાત અસંયમનું પ્રતિક્રમણ. આભોગ, અનાભોગ, સહસાકાર વડે મિથ્યાત્વમાં જવાની નિવૃત્તિ કરવી તે મિથ્યાત્વ પ્રતિક્રમણ... એ રીતે કષાયથી નિવવું તે કપાય પ્રતિકમણ... યોગનું પ્રતિકમણ તે અશુભ મન-વચન-કાયાના વ્યાપારોનું વિવર્તન કરવું, તે વિશેષરૂપે અવિવક્ષિત આશ્રવ આદિનું પ્રતિક્રમણ જ ભાવ-પ્રતિક્રમણ છે. કહ્યું છે - સ્વયં જે મન, વચન, કાયાથી મિથ્યાત્વાદિને પામતો નથી, અન્યને પમાડતો નથી અને અનુમોદતો નથી તેને ભાવ પ્રતિક્રમણ કહેલ છે. વિશેષ વિવામાં તો ઉક્ત ચાર ભેદો છે. કહ્યું છે - (૧) મિથ્યાત્વનું પ્રતિકમણ, (૨) અસંયમનું પ્રતિકમરમણ, (3) કષાયોનું પ્રતિક્રમણ, (૪) અપશસ્ત યોગોનું પ્રતિકમણ, | ભાવ પ્રતિક્રમણ તો શ્રત વડે ભાવિત મતિવાલાને હોય છે માટે વાચના યોગ્ય શીખવવા યોગ્ય કૃત છે, તેથી તેને કહે છે– • સૂગ-૫૧૧ : પાંચ કારણે ચુતની વાચના આપવી. તે આ • સંગ્રહાયેં, ઉવગ્રહ અર્થે નિર્જરાર્થે, મરું શ્રત પાકું થશે તે માટે, કૃત અવિચ્છિતાર્થે પાંચ કારણે સુતને શીખવવું. તે આ - જ્ઞlનાણું, દર્શનાર્થે, ચાસ્ટિાર્થે, વ્યગ્રહને છોડાવવા માટે, યથાર્થ પદાર્થના જ્ઞાન માટે.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy