SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૧/૧૩૨ ૧૪૩ જાણવા. નહેર અતિદેશ સૂત્ર પૂર્વવત્ જાણવું. મન વગેરેના સંબંધથી બીજું કહે છે - કરણ ત્રણ છે. વિશેષ એ કે જે વડે કરાય તે કરણ. મનનાદિ ક્રિયામાં પ્રવર્તમાન આત્માના ઉપકરણભૂત તથા રૂપ પરિણામી પુદ્ગલ સમૂહ. તેમાં મન એ જ કારણ તે મનકરણ. એ રીતે વચનકરણ, કાયકરણ જાણવું. અતિદેશ સૂત્ર પૂર્વવતુ. અથવા યોગ-પ્રયોગ-કરણ શબ્દ સંબંધી જે મન વગેરે શબ્દ તે યોગ-પ્રયોગ-કરણ સુબોને વિશે શદ ભેદથી કહ્યા, તેનો અર્થભેદ વિચારવો નહીં. આ ત્રણેની પણ એકાર્યપણે આગમમાં બહુ જ પ્રવૃત્તિ દેખાય છે, તે આ પ્રમાણે - યોગ પંદર પ્રકારે છે. કર્મગ્રંથોમાં તે કહ્યું છે. - પ્રજ્ઞાપનામાં તો એવી રીતે જ પ્રયોગ શબ્દ વડે કહ્યું છે - જેમકે - હે ભંતે! પ્રયોગ કેટલા પ્રકારે કહ્યા છે ? હે ગૌતમ! પંદર ભેદે. આવશ્યકમાં એ જ વાત કરણપણે કહી છે. જેમકે - યોજનાકરણ મન, વચન, કાય વિષયમાં ત્રણ પ્રકારે છે મનને વિશે સત્યાદિ ગુંજન કરણ. તેના ચાચાર-સાત ભેદો અનુક્રમે છે. પ્રકારનાંતરથી કરણનું ત્રિવિધપણું કહે છે - આરંભવું તે આરંભ - પૃથ્વી આદિનું ઉપમર્દન અથવા આરંભ કરવો તે આરંભકરણ. એ રીતે બીજા પણ જાણવા. વિશેષ એ કે - સંરંભકરણ પૃથ્વી આદિ વિષય જ છે, મનને સંકલેશ કરવો તે. સમારંભ એટલે તેને સંતાપ કરવો તે. કહ્યું છે કે - સંકલ્પ તે સંરંભ, પરિતાપ કરવો તે સમારંભ, જીવનથી હિત કરવા તે આરંભ. એમ શુદ્ધનય સંમત છે. આ આરંભાદિ ત્રણ કરણ નારકોથી વૈમાનિકપર્યત હોય છે. - x - કેવલ સંરંભ કરણ અસંજ્ઞી. જીવોને પૂર્વભવના સંસ્કારની અનુવૃત્તિ માત્રપણાથી ભાવવું. કેમકે મન વિના સંકલ ન થઈ શકે. આરંભાદિ કરણનું અને બીજી ક્રિયાનું ફળ • સૂમ-૧૩૩ ? ત્રણ સ્થાન વડે જીવો અલ્પ આયુષણે કર્મ બાંધે છે - iણનો વિનાશ કરવાથી, અસત્ય બોલવાથી, તથારૂપ શ્રમણ કે માહણને અપાક, નેપણીય અશ-પાન-ખાદિમાદિમ વડે કિલાભવાથી. રીતે જીવ અપાયુ કર્મ બાંધે. ત્રણ સ્થાન વડે જીવ દીધયુ યોગ્ય કર્મને બાંધે - પાણીની હિંસા ન કરીને, અસત્ય ન બોલીને, તથારૂપ શ્રમણ કે માહણને પાસુક તથા એષણીય આશન, પાન, ખાદિમ, વાદિમ વડે પડિલાભીને. આ રીતે જીવ દીધયુરૂપ કર્મ બાંધે. ત્રણ સ્થાન વડે જીવ અશુભ દીધયુિ યોગ્ય કર્મ બાંધે છે . પાણીની હિંસા કરીને, અસત્ય બોલીને, તથારૂપ શ્રમણ કે માહણની હેલા-નિંદimહ-અપમાન કરીને. આ હેલણાદિમાંથી કોઈ એક વડે, અમનો-પીતિકારી આશનાદિ આપીને થાય છે. આ ત્રણ સ્થાનો વડે જીવ શુભ દીધયુિપણે કર્મ બાંધે છે. ત્રણ સ્થાન વડે જીવ શુભ દીધયુ યોગ્ય કર્મ બાંધે - પ્રાપ્તિની હિંસા ન કરીને, અસત્ય ન બોલીને, તથારૂપ શ્રમણ કે બ્રાહાણને અશન-પાન-ખાદિમ ૧૪૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વાદિમ પડિલાભીને. આ ત્રણ સ્થાનથી જીવને શુભ દીધયુકર્મનો બંધ થાય છે. • વિવેચન-૧૩} : ત્રણ સ્થાન-કારણો વડે જીવો અલા આયુ-જીવિત છે જેને તે અપાયુ, તેનો જે ભાવ તે અપાયુષ્યતા. તે અપાયુષ્યને માટે. - તેને બાંધનાર કર્મ-આયુષ આદિ અથવા થોડા જીવનવાનું આયુષ્ય જે આયુષ્યથી તે અલાયુષ્ય, તેનો જે ભાવ તે અલ્પાયુષ્યતા, તે વડે આયુષ્ય સ્વરૂપ કમને બાંધે છે. તે આ રીતે પ્રાણનો વિનાશ કરવાથી, - x - પ્રાણીઓના વિનાશશીલ-સ્વભાવવાળો જે હોય તેથી. એ રીતે જે મૃષાવાદ-બોલનાર હોય છે. તેવા પ્રકારે સ્વભાવ કે વઆદિ જેને છે તે તયારૂપ - દાનને પત્ર. તપસ્યા કરે તે શ્રમણ-cપયુક્ત તેને, ‘હણો નહીં* એમ બીજાને કહેનાર અને જે સ્વયં હણવાથી નિવૃત છે તે માહત-મૂલગુણને ધારણ કરનારને. • x - જેમાંથી જીવો ગયેલા છે તે પ્રાસુક [અચિત્ત] તેના નિષેધરી અપાતુક-સચિત. સાધુ વડે ઉદ્ગમાદિ દોષરહિતપણે ગવેષણા કરાય તે એષણીયકલય, તેનો નિષેધ છે અનેષણીય, તેના વડે. ભોજન કરાય છે, તે અશન-ભાત વગેરે. પીવાય છે તે પાન-કાંજી આદિ. જે ખાવું તે ખાદ, તેના વડે થયેલ - x - તે ખાદિમ-શેકેલા ચણા વગેરે. સ્વાદ લેવો તે સ્વાદ, તેના વડે બનેલ, દાતણ વગેરે, અશનાદિને અર્થે કહે છે - અશન તે ભાત, સાથવો, મગ, સાબ વગેરે. ખાધક વિધિ-ખાવા યોગ્ય પુડલાદિ, ક્ષીર-આદિ તથા સૂરણ આદિ, મંડક વગેરેને અશન જાણવું. પાન-કાંજી, જવ, ઘઉં, ચોખા વગેરેનું ધોવાણ, મદિરાદિ, સર્વે અકાય, શેલડીનો રસ વગેરે બધાં પાનક જાણવા. મુંજેલા ચણા, દંત્યાદિ, ખજૂર, નાળિયેર, દ્રાક્ષ આદિ, કાકડી, કેરી, ફણસ આદિ ઘણા પ્રકારે ખાદિમ જાણવું. દંતવાણ-દાંતણ તાંબુલ, વિવિધ અwગ, કુહેડક, મધુ, પીપર, સુંઠાદિ અનેક સ્વાદિમ છે. એ પ્રતિલાભીને - આત્માને લાભવાળો કરવાનો જે સ્વભાવ છે, તે અ૫ આયુષ્યપણાએ કમને બાંધે છે. અર્થાત્ ઉક્ત પ્રાણાતિપાતાદિ ત્રણ કારણો વડે જીવો અલ્પાયુયપણાએ કમને બાંધે છે. અહીં પ્રાણાતિપાતયિક પક્ષ નિર્દેશ છતાં પ્રાણાતિપાતને જ અપાયુ બંધક કારણરૂપે જાણવું. આ સૂત્રની આ ભાવનાઅધ્યવસાય વિશેષ ત્રણ કારણ જેમ કહેલ છે, તેમ ફળરૂપ થાય છે અથવા જે જીવ, તીર્થક દિના ગુણાનુરાગથી તેઓની પૂજાદિને માટે પૃથ્વી આદિના આરંભ વડે અને ન્યાસાપહારાદિથી પ્રાણાતિપાતાદિમાં વર્તે છે. તે જીવને સરોગસંયમ અને નિરવધદાનના નિમિતથી જે આયુ બંધાય તેની અપેક્ષાએ આ અલ્પાયુષ્યપણું જાણવું. શંકા-તમારું કહેવું યોગ્ય નથી, કેમકે સૂત્રમાં વિશેષણ નથી. કેમકે ક્ષુલ્લક ભવના ગ્રહણ રૂપ અપાયુષ્યને પણ પ્રાણાતિપાતાદિ હેતુ વર્ષે યોજાય છે. તેથી તમે એમ કેમ કહો છો કે સવિશેષણ પ્રાણાતિપાતાદિ વર્તી જીવ અપેક્ષાઓ અપાયુ ?
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy