SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૪/૯ ૧ર૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ છે સ્થાન-૨ - ઉદ્દેશો-૪ @ - X X — x – o બીજો ઉદ્દેશો કહો. હવે ચોથો ઉદ્દેશો આરંભે છે. આ જીવાજીવવકતવ્યતા પ્રતિબદ્ધ ચોથા ઉદ્દેશાનો પૂર્વના ઉદ્દેશા સાથે આ સંબંધ છે - પૂર્વ પુદ્ગલ અને જીવોના ધર્મો કહ્યા. અહીં જીવ-જીવાત્મક સ્વરૂપ છે. હવે સૂગ કહે છે– - સૂગ-૯ : ૧-સમય કે આવલિકા જીવ અને અજીવ કહેવાય છે. ર-આનપાસ કે તોક જીવ અને અજીવ કહેવાય છે. 3-ાણ કે લવ જીવ અને અજીવ કહેવાય છે. એવી રીતે --મુહૂત અને અહોરાત્ર, પ-પક્ષ અને માસ, ૬-શકતુ અને અયન, સંવત્સર અને યુગ, ઢસો વર્ષ અને હજાર વર્ષ, ૯-લાખ વર્ષ અને કોડ વર્ષ, ૧૦-પૂવગ અને પૂર્વ, ૧૧-ત્રુટિતાંગ અને ગુટિd, ૧ર-આડડાંગ અને અડડ, ૧૩-અપપાંગ અને પપાત, ૧૪-૯૯તાંગ અને હૂહૂત, ૧૫-ઉત્પલાંગ, અને ઉત્પાત, ૧૬iાંગ અને પu, ૧૦-નલિનાંગ અને નલિન, ૧૮-અાનિકુરાંગ, અને અક્ષનિકટ ૧૯અયુતાંગ અને યુત, ૨૦-નિયુતાંગ અને નિયુત, ૧પ્રસુતાંગ અને પ્રયુત, રર-ચૂલિકાંગ અને ચૂલિકા, ૩-શીfપહેલિકોમ અને શિfપહેલિકા, ર૪-પલ્યોપમ અને સાગરોપમ, ૫-ઉત્સર્પિણી, અવસર્પિણી એ પ્રત્યેક જીવ અને અજીવપણે કહેવાય છે. [અહીં બધે ‘અને' થવાના અમિાં છે.] ગામ, નગર, નિગમ, રાજધાની, ખેડ, કર્મટ, મર્ડબ, દ્રોણમુખ, પાટણ આકર, આશ્રમ, અંબાહ, સંનિવેશ, ઘોષ, આરામ, ઉધાન, વન, વનખંડ, વાપી, પરિણી, સરોવર, સરપંક્તિ, કુપ, તળાવ, દ્રહ, નદી, પુરી, ઘનોદધિ, વાતહધ, અવકાશશાંતર, વલય, વિગ્રહ, દ્વીપ, સમુદ્ર, વેલ, વેદિક, દ્વારતોરણ, નૈરયિક, નકવાસો, યાવતુ વૈમાનિક, વૈમાનિકાવાસ, કલ્ય, કલાવિમાનાવાસ, પક્ષો, વધિ પર્વતો, કૂટ, કૂટાગાર, વિજય કે રાજધાની, બધાં જીવ અને આજીવ કહેવાય છે. છાયા, તપ, જ્યોત્સના, અંધકાર, વિમાન, ઉન્માન, અતિયાનગૃહ, ઉધાનગૃહ, અવલિંબ કે સનિપપાત જીવ અને અજીવ કહેવાય છે. બે રાશિ કહી છે - જીવરાશિ અને અજીવરાશિ. • વિવેચન- - આ સૂત્રોનો અનંતર સૂત્ર સાથે આ સંબંધ છે - પૂર્વના સૂત્રમાં જીવ વિશેષોનું ઉચ્ચવલક્ષણ ધર્મ કહ્યો. અહીં તે ધર્મના અધિકારથી જ સમયાદિ સ્થિતિ લક્ષણ ધર્મ-જીવ અને અજીવ સંબંધી ધર્મ અને ધર્મીના અભેદપણાથી જીવ અને જીવપણામો જ કહેવાય છે. તેમાં સઘળા કાલ પ્રમાણમાં પહેલા પરમસુમ, અભેધ, નિવયવ, ઉત્પલ શતપમના ભેદનના ઉદાહરણ વડે ઓળખાતો સમય કહેવાય છે. તે સમયનું અતીતાદિ કાલ વિવક્ષા વડે બહુપણાથી બહુવચન છે, માટે સૂગકાર કહે છે. તમારું વા, ઇત્યાદિ. ત્તિ શબ્દ સમીપ અર્થ બતાવવામાં અને વા શબ્દ વિકલપાર્કમાં છે. અસંખ્યાતા સમયના સમુદાયવાળી આવલિકા, મુલક ભવગ્રહણ કાળના ૫૬માં ભાગે છે. સૂત્રમાં સમય અથવા આવલિકાઓ છે. તે કાલવસ્તુ જીવનો પર્યાય હોવાથી સામાન્યથી જીવ છે, પર્યાય અને પર્યાવીના કથંચિત્ અભેદ છે તથા જીવોનોપુદ્ગલાદિનો પર્યાય હોવાથી અજીવ છે. કાર સમુચ્ચયાર્ચે છે અને દીર્ધતા પ્રાકૃતવથી છે. * * * જીવાદિ સિવાય સમય વગેરે નથી. તેથી કહે છે - જીવ અને અજીવોની સાદિ અને સપર્યવસાનાદિ ભેદવાળી જે સ્થિતિ છે તે સ્થિતિના ભેદો સમય આદિ છે. તે જીવ-જીવનો ધર્મ છે. ધર્મ અને ધર્મીનો અત્યંત ભેદ નથી. અત્યંત ભેદ હોય તો એક અંશમાત્ર ધર્મ જણાતા પ્રતિનિયત ધર્મના વિષયમાં સંશય જ નહીં થાય, કેમકે તે ધર્મના અન્ય ધર્મોથી પણ તેનો ભેદ અવિશેષપણે છે. વળી દેખાય છે કે - જ્યારે કોઈ પુરુષ લીલા વૃક્ષની તરણ શાખાના વિવરના અંતરથી કંઈક પણ શુક્લ વસ્તુને જુવે છે, ત્યારે તે એમ વિચારે છે કે શું આ પતાકા છે ? અથવા બલાકા છે? એ પ્રમાણે પ્રતિનિયત ધર્મીના વિષયમાં સંશય થાય છે. જો કેવલ અભેદ હોય તો પણ સર્વથા સંશયની ઉત્પત્તિ જ ન થાય. કેમકે ગુણના ગ્રહણથી ગુણીનું પણ ગ્રહણ થાય છે. આ સૂત્રમાં અભેદનયનો આશ્રય કરવાથી નવાફ યા ઇત્યાદિ કહ્યું છે. અહીં તો સમય, આવલિકા લક્ષણ બે અર્થને, જીવ-જીવ દ્વયાત્મકપણે કહેતા બે સ્થાનકમાં અવતાર જાણવો. એવી રીતે આગળના સૂત્રોમાં પણ જાણવું એમાં જે વિશેષ છે. તે અમે કહીશું. - આપણા પાપૂ. ઇત્યાદિ. આનપ્રાણ એટલે ઉચ્છવાસનિઃશ્વાસ કાળ તે સંખ્યાત આવલિકા પ્રમાણ છે. કહ્યું છે કે - હર્ષિત, ગ્લાનિરહિત, નિરપકૃષ્ટ પ્રાણીને જે એક ઉચ્છવાસ-નિઃશ્વાસ છે, તે પ્રાણ કહેવાય છે. તથા સ્તોક, તે સાત ઉચ્છવાસનિઃશ્વાસ પ્રમાણ છે. સંખ્યાત આનપ્રાણવાળા ક્ષણો છે અને સાત સ્તોક પ્રમાણ કાળવાળો લવ કહેવાય છે. એ પ્રમાણે જેમ પૂર્વના ત્રણ સૂત્રમાં જીવ-અજીવ કહેવાય છે, એમ કહ્યું. તેમજ બધા આગળના સૂત્રો જાણવા. | મુહૂર્ત-૭૭ લવ પ્રમાણ છે. કહ્યું છે કે - સાત પ્રાણનો સ્તોક, સાત સ્તોકનો લવ, g૭ લવનો મુહૂર્ત જાણવો. ૩૩૭૩ ઉચ્છવાસનિઃશ્વાસનો યોક મુહર્ત સર્વે અનંતજ્ઞાનીઓએ કહેલ છે. 30 મુહર્ત પ્રમાણ એક અહોરાત્રિ કાળ છે. ૧૫-અહો સમિ પ્રમાણ એક પક્ષ છે. બે પક્ષ પ્રમાણ એક માસ છે. બે માસ પ્રમાણ એક વસંતાદિ ઋતુઓ છે. ત્રણ ટકતુના પ્રમાણવાળો અયન છે. બે અયન પ્રમાણવાળા વર્ષ છે. પાંચ વર્ષ પ્રમાણ યુગ છે. સો વર્ષ વગેરે પ્રતીત છે. ૮૪ લાખ વર્ષ પ્રમાણવાળા પૂવગ છે, પૂવગને ૮૪ લાખ વડે ગુણતા એક પૂર્વ
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy