SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૬/-/૫૮૩,૫૮૮ ક્ષય વડે થયેલ તે ક્ષાયિક. ક્ષાયોપથમિક બે ભેદે છે - ક્ષાયોપશમ, ક્ષયોપશમ નિપજ્ઞ. કેવલજ્ઞાન પ્રતિબંધક જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાયરૂપ ચાર ઘાતિકર્મોનો ક્ષયોપશમ છે. અહીં ક્ષયોપશમ એટલે ઉદીનો ક્ષય અને અનુદીર્ણ વિપાકને આશ્રીને ઉપશમ. - x • ઔપશમિકમાં ઉપશાંત પ્રદેશ અનુભાવ વડે પણ વેદવાનો નથી, ક્ષયોપશમ એ જ ક્ષાયોપથમિક અને ક્ષયોપશમ નિષજ્ઞ તે આત્માના આભિનિબોધિક જ્ઞાનાદિ લબ્ધિપરિણામ જ છે. ક્ષયોપશમથી ઉત્પન્ન તે ક્ષાયોપથમિક. પરિણમવું તે પરિણામ - પૂર્વાવસ્થાને ન ત્યાગીને તે ભાવમાં જવું, કહ્યું છે કે - પરિણામ જ અતિર ગમન છે. સર્વથા વ્યવસ્થાનરૂપ નથી, તેમ સર્વથા નાશરૂપ નથી. તેમ પરિણામવિદને આ ઇષ્ટ છે. તે જ પારિણામિક કહેવાય છે. તે આદિ, અનાદિ બે ભેદે છે. તેમાં આદિ જૂના ઘી વગેરે, તેના ભાવના સાદિવથી અને અનાદિ પારિણામિક ભાવ તો ધમસ્તિકાયાદિને છે, કેમકે તેના ભાવનું અનાદિપણું છે. સતિપાત તે મેલક, તેના વડે થયેલ તે સાલિપાતિક. આ ભાવ ઔદયિકાદિ પાંચ ભાવોના દ્વયાદિ સંયોગથી સંભવ-અસંભવ અપેક્ષાએ ૨૬-ભંગરૂપ છે. તેમાં બ્રિકસંયોગે દશ, ત્રિકસંયોગે દશ -x - આદિ છે. અહીં અવિરુદ્ધ પંદર સાન્નિપાતિક ભેદો ઈચ્છાય છે. તે આ પ્રમાણે (ગાથા વ્યાખ્યા-] ઔદચિક, ક્ષાયોપથમિક, પરિણામિક નિષ્પન્ન સાન્નિપાતિક એકેક ભેદ ચારે ગતિમાં પણ છે. તે આ - ઔદયિક નારકપણું, ક્ષાયોપથમિક ઇન્દ્રિયાદિ અને પરિણામિક જીવપણું. એ રીતે તિર્યચ, મનુષ્ય અને દેવમાં પણ જોડવું. એ રીતે ચાર ભેદો તથા ક્ષાયિકના યોગ વડે ચાર ભેદ તે જ ગતિમાં થાય છે. અભિશાપ આ પ્રમાણે દયિકનારકત્વ, ક્ષાયોપથમિક ઇન્દ્રિયો, ક્ષાયિક સમ્યકત્વ અને પરિણામિક જીવવ. એ રીતે તિર્યંચાદિ ગતિમાં પણ કહેવું. તેમાં પણ ક્ષાયિક સમ્યગુર્દષ્ટિ હોય છે, અન્યથા અધિકૃત ભંગોની ઉપપતિ નહીં થાય. ક્ષાયિક અભાવે અને થી શેષ ત્રણના સભાવમાં ઉપશમ વડે પણ ચાર ભંગ થાય છે. કેમકે ઉપશમ મામનો ચારે ગતિમાં સદભાવ છે. અભિલાપ પણ તેમજ કરવો. વિશેષ એ કે - સમ્યકત્વના સ્થાને ઉપશાંત કષાયત્વ કહેવું. આ આઠ ભંગ અને પૂર્વોક્ત ચાર એમ બાર ભાંગા થયા. ' ઉપશમ શ્રેણીમાં એક ભંગ કેમકે તે મનુષ્યમાં જ હોય. અભિલાષ પૂર્વવતું. વિશેષ એ કે - મનુષ્ય વિષયમાં જ. કેવલીને તો એક જ ભંગ છે - ઔદયિક માનુષત્વ, ક્ષાયિક સમ્યકત્વ, પરિણામિક જીવવ તથા સિદ્ધનો એક જ ભંગ છે - ક્ષાયિક સમ્યકત્વ, પારિણામિક જીવ7. એ રીતે આ ત્રણ અને પૂર્વોક્ત બાર, રોમ ૧૫ ભંગો થાય. વળી ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક, ઔદયિક, પારિણામિક તેના અનુક્રમે ૨, ૯, ૧૮, ૨૧, 3 ભેદો છે. તેમાં - ઔપથમિકમાં સમ્યકત્વ અને ચાસ્ત્રિ, પયિકમાં દર્શન-જ્ઞાન-દાન-લાભ-ભોગ-ઉપભોગ-વીર્ય-સમ્યકત્વચારિત્ર એ નવ, ક્ષાયોપથમિકમાં ૪૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 જ્ઞાન-૪, અજ્ઞાન-૩, દર્શન-3, દાનાદિ-પ-લબ્ધિ, સમકિત, ચાસ્ત્રિ, સંયમસંયમ એ૧૮ ભેદો, ઔદયિકમાં - ગતિ-૪, કષાય-૪, લિંગ-3, લેશ્યા-૬, અજ્ઞાન-૧, મિથ્યાત્વ૧, અસિદ્ધવ-૧, અસંયમ-૧ એ ૨૧-ભેદો છે. પારિણામિકમાં જીવવ, ભવ્ય, ભવ્યત્વ એ 3-ભેદો છે. એ રીતે પાંચ ભાવોના કુલ-૫૩-ભેદો છે. ભાવો કહ્યા, તેમાં અપ્રશસ્તમાં જે વર્તવું અને પ્રશસ્તમાં જે ન વર્તવું, વિપરીત શ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા કરી હોય તેને માટે પ્રતિક્રમણ કરવું જોઈએ, માટે હવે પ્રતિકમણને કહે છે • સૂત્ર-૫૮૯ થી પ૯૧ - [૫૯] પ્રતિક્રમણ છ ભેદે કહ્યું - ઉચ્ચાર પ્રતિકમણ, શ્રવણ પ્રતિકમણ, scરિક, ચાવકણિક, જંકિંચિમિચ્છા, સ્વMાંતિક. પિ૯] કૃતિકા નક્ષત્ર છ તારા આશ્લેષા નક્ષત્રના છ તારા કહ્યા છે. પિ૧] જીવો છ સ્થાને નિવર્તિત યુગલોને પાપકપણે એકત્ર કર્યા છે - કરે છે - કરશે. પૃedીકાયનિવર્તિત ચાવતુ ત્રસકાયનિવર્તિત. એ રીતે ચય, ઉપચય, બંધ, ઉદીરણ, વેદન, નિર્જરા જાણવા... છ પ્રદેશવાળા સ્કંધો અનંતા કહ્યા... છ પ્રદેશ વગાઢ પગલો અનંતા કા. છ સમય સ્થિતિક પુદ્ગલો અનંતા કહ્યા... છ ગુણ કાળા યુગલો યાવત્ છ ગુણ ૨૪ પુલો અનંતા કહ્યા છે. • વિવેચન-૫૮૯ થી ૨૯૧ : | [૫૮૯] પ્રતિકમણ-પ્રાયશ્ચિત્તના બીજા ભેદરૂપ મિસ્યા દુકૃતકરણ. તેમાં ઉચ્ચારૂ વડીનીતિનો ત્યાગ કરીને જે ઇચપચિકીનું પ્રતિક્રમવું તે ઉચ્ચાર પ્રતિક્રમણ. એ રીતે પ્રશ્રવણમાં પણ જાણવું. કહ્યું છે - ઉપયોગ યુક્ત ભૂમિમાં ઉચ્ચાર, પ્રશ્રવણનો ત્યાગ કરીને ઈરિયાવહી પ્રતિકમે. જો સાધુ મારકમાં પ્રશ્રવણ ત્યાગે તો પ્રતિક્રમે નહીં પણ જે પરઠવે તે નિયમથી પ્રતિક્રમે. ઇવર : સ્વલાકાલિક, દૈવસિક સત્રિકાદિ... યાવકયિક જીવન પર્યન્ત મહad કે ભક્તપરિજ્ઞાદિ રૂ૫. આનું પ્રતિક્રમણવ, વિનિવૃત્તિ લક્ષણરૂપ સાર્થક યોગથી છે... iffecછા • ગ્લેમ, સિંધાનને અવિધિથી ભાગવામાં આવ્યોગ, અનાભોગ, સહસાકાર આદિ અસંયમરૂપ જે કાંઈ મિથ્યા છે તેનું મિથ્યાદુકૃતકરણ તે ચકિંચિત્ મિથ્યા પ્રતિક્રમણ. કહ્યું છે - સંયમયોગમાં તત્પર સાધુએ જે કાંઈ વિપરીત આચર્યું હોય તો “આ મિથ્યા કર્યું છે' એમ જાણી મિથ્યાદુકૃત દેવું. ગ્લેમ કે સિંધાનક અપડિલેહિત-અપ્રમાર્જિત હોય તેને પરઠવી પ્રતિક્રમે છે. તેનું પણ મિથ્યાદુકૃત આપે. સૂવાની ક્રિયાના અંતે થયેલ તે સ્વપ્નાંતિક. • x " સૂઈને ઉઠેલ સાધુ અવશ્ય ઈરિયાવહી પ્રતિકમે. અથવા નિદ્રાવશ વિકા, તેનો અંત-વિભાગ, તે સ્વપ્નાંત, તેમાં થયેલ તે સ્વપ્નાંતિક. સ્વપ્ન વિશેષમાં અવશ્ય પ્રતિક્રમણ કરે. કહ્યું છે કે - ગમનાગમનમાં, વિહારમાં, સૂવામાં, રાત્રિમાં સ્વપ્નદર્શનમાં નાવ વડે નદી ઉતરવામાં
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy