SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ પ/૩/૫૦૬,૫૦૦ ૨૧૯ ૨૦. સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/ • સૂત્ર-૫૦૬,૫૦૩ - [ષ૦૬] જ્ઞાન પાંચ ભેદે કહ્યું, તે આ - અભિનિબોધિકાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન... [૫૦] જ્ઞાનાવરણીય કર્મ પાંચ ભેદે કહ્યું, તે આ પ્રમાણે છે : અભિનિબોધિક જ્ઞાનાવરણીય યાવત કેવલ જ્ઞાનાવરણીય. • વિવેચન-૫૦૬,૫૦૭ : [૫૬] પાંચ સંખ્યા ભેદો જેના છે તે પંચવિધ. જાણવું તે જ્ઞાન. આ ભાવ સાધન છે. જેના વડે કે જેનાથી જણાય તે જ્ઞાન. તેના આવરણનો ક્ષય કે ક્ષયોપશમ. અથવા જેમાં જણાય તે જ્ઞાન - તદાવક ક્ષયોપશમ કે ક્ષય પરિણામ યુક્ત. જાણે છે તે જ્ઞાન, તે જ સ્વવિષય ગ્રહણરૂપ હોવાથી અર્થથી તીર્થકરોએ અને સૂગથી ગણધરોએ - પ્રરૂપેલ છે. કહ્યું છે - અરિહંતો અને કહે છે, ગણધરો સૂત્રને ગુંથે છે. શાસનના હિત માટે, તેથી સૂગ પ્રવર્તે છે. અથવા તીર્થકર કે પ્રાજ્ઞપુરુષ વડે કે પ્રજ્ઞા વડે આપ્ત-પ્રાપ્ત અથવા સ્વાધીન કહ્યું તે પ્રાજ્ઞાપ્ત, પ્રજ્ઞાપ્ત, પ્રાજ્ઞાત કે પ્રજ્ઞાત. તે આ રીતે - અવિપર્યય રૂપવથી અર્ચને સન્મુખ, નિઃશંસયવથી નિયત. વાઘ - જાણવું તે અભિનિબોધ અથવા અભિનિબોધને વિશે થયેલ કે અભિનિબોધ વડે થયેલ અથવા તેના પ્રયોજનવાળું તે આભિનિબોધિક જ્ઞાન. જે અર્થને સમુખ કાર્યભૂતને નિશ્ચિત જાણે છે, તે આભિનિબોધિક - અવગ્રહાદિરૂપ મતિજ્ઞાન. તેનું વસંવેદિતરૂપ હોવાથી ભેદના ઉપચારથી - x• x• તે આભિનિબોધિક. તેના આવરણભૂત કર્મના ક્ષયોપશમ રૂપ છે. • X - X - X - X - - જે સંભળાય છે તે શ્રુત-શબ્દ જ. કેમકે ભાવથુતનું કારણ હોવાથી કારણમાં કાયૉપચાર કર્યો છે. અથવા જે વડે, જેથી, જે છતે સંભળાય છે તે શ્રત અર્થાત્ તદાવરણીય કર્મના ક્ષયોપશમરૂપ છે અથવા શ્રુતના ઉપયોગરૂપ પરિણામથી અનન્ય હોવાથી આત્મા જ સાંભળે છે, માટે આત્મા જ શ્રત છે. ધૃતરૂપ જ્ઞાન તે શ્રુતજ્ઞાન. - ૪ - - જે વડે, જેથી, જે છતે અર્થ જણાય તે અવધિ, નીચે નીચે વિસ્તારપૂર્વક જણાય તે અવધિ, અથવા મર્યાદા વડે જણાય તે અવધિ. અવધિ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ જ હોય કેમકે અવધિજ્ઞાનના ઉપયોગનો હેતુ છે અથવા જાણવું તે અવધિ - પદાર્થના વિષયનો બોધ, અવધિરૂપ જ્ઞાન તે અવધિજ્ઞાન. - X - X - ft • સર્વ પ્રકારે, વન – ઝવ – પ્રયન - જવું કે જાણવું તે પચયિ. ઘર + Aવ કે અા કે માય તે પર્યવ, પર્યય, પર્યાય. મનમાં કે મનનો પર્યવ, પર્યય કે પર્યાય તે મન:પર્યવ, મન:પર્યય અથવા મન:પર્યાય. સર્વતઃ મનનો બોધ. તે જ જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, મન:પર્યાયિજ્ઞાન અથવા મનના પયય, “ • ધર્મ અર્થાત્ બાહ્ય વસ્તુના આલોચનાદિ પ્રકારો, તેઓને વિશે જ્ઞાન, તે મન:પર્યાયિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અથવા મન:પર્યવજ્ઞાન. - x - ook-6C Adhayan-6\B. Saheib E:\Maharaj વન • મતિ આદિ જ્ઞાનાપેક્ષારહિત હોવાથી અસહાય અથવા આવરણ મલરૂપ કલંક રહિતતાથી શુદ્ધ અથવા સમસ્ત ઘાતિકર્મના આવરણના અભાવ વડે સંપૂર્ણરૂપે ઉત્પન્ન થવાથી સકલ અથવા અનન્ય સદૈશવથી અસાધારણ અથવા ડ્રોયાનનત્વથી અનંત યથાવસ્થિત સમગ્ર ભૂત, વર્તમાન, ભાવિભાવના સ્વભાવનું પ્રકાશક જ્ઞાન તે કેવલજ્ઞાન. કહ્યું છે - એક, શુદ્ધ, પરિપૂર્ણ, અસાધારણ, અનંત એવું જ્ઞાન તે કેવલજ્ઞાન. પ્રાયઃ આ જ્ઞાનશબ્દ જ્ઞાન સમાધિકરણ છે. મનઃ પર્યાય જ્ઞાનને વિશે તપુરુષ સમાસને બતાવેલ હોવાથી “પ્રાયઃ' છે. અહીં સ્વામી, કાળ, કારણ, વિષય, પરોક્ષવના સાધમ્મચી અને શેષ જ્ઞાનના સદ્ભાવથી આદિમાં મતિ અને શ્રુતજ્ઞાનનો ઉપન્યાસ કરેલ છે. તેથી કહે છે - જે મતિજ્ઞાનનો સ્વામી છે તે જ શ્રુતજ્ઞાનનો છે. કેમકે જ્યાં મતિજ્ઞાન ત્યાં શ્રુતજ્ઞાન. મતિજ્ઞાનનો સ્થિતિકાળ છે તેટલો જ શ્રુતજ્ઞાનનો છે. * * - સમકિતથી અપતિત જીવાપેક્ષા એ સાધિક ૬૬-સાગરોપમ કાળ છે. બંને જ્ઞાન ક્ષયોપશમહેતુક છે. બંને સામાન્યથી સર્વ દ્રવ્યાદિ વિષયવાળા છે, બંને જ્ઞાન પરોક્ષ છે. મતિશ્રુતજ્ઞાનનો ભાવ હોવાથી જ અવધિ આદિનો ભાવ છે. - x • મતિપૂર્વક શ્રત હોવાથી અથવા વિશિષ્ટ મતિના અંશરૂપ હોવાથી શ્રુતની પહેલાં મતિ કહેલ છે. આ અર્થ જણાવતી એક ગાથા પણ છે. કાળ, વિપર્યય, સ્વામી અને લાભના સાધચ્ચેથી મતિજ્ઞાન શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાન કહે છે, તે બતાવે છે. પ્રવાહની અપેક્ષાઓ જેટલો મતિ, શ્રુતજ્ઞાનનો સ્થિતિકાળ છે તેના આધારભૂત સમકિતથી અપતિત એક જીવની અપેક્ષાએ જેટલો કાળ છે તેટલો જ કાળ અવધિજ્ઞાનનો પણ છે. જેમ મતિ, શ્રુતજ્ઞાનનો વિપર્યય જ્ઞાનમાં થાય છે એ રીતે અવધિજ્ઞાન પણ મિથ્યાર્દષ્ટિને વિર્ભાગજ્ઞાન રૂપ થાય છે. જે મશ્રિતનો સ્વામી છે, તે જ અવધિનો સ્વામી છે. વિર્ભાગજ્ઞાની દેવાદિને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતા એક સાથે ત્રણ જ્ઞાનના લાભનો સંભવ છે. કહ્યું છે - કાળ, વિપર્યય, સ્વામીત્વ, લાભસામર્થ્ય વડે મતિ, શ્રુત પછી અવધિજ્ઞાન કહ્યું છે. તથા છાણ્ય, વિષય, ભાવ, પ્રત્યક્ષવના સાધર્મથી અવધિ પછી મન:પર્યવજ્ઞાન કહે છે જેમ અવધિજ્ઞાન છવાસ્થને હોય છે તેમ મન:પર્યવજ્ઞાન પણ હોય છે, જેમ અવધિજ્ઞાનરૂપી દ્રવ્યના વિષયવાળું છે તેમ આ જ્ઞાન પણ છે. વળી અવધિની જેમ આ જ્ઞાન પણ ક્ષાયોપથમિક છે. બંને જ્ઞાન પ્રત્યક્ષ છે. કહ્યું છે કે - છઠાસ્થd, વિષય, ભાવાદિના સાધર્મ્સથી અવધિજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાનનો ન્યાસ છે. મન:પર્યવજ્ઞાન પછી કેવલજ્ઞાનનો ઉપન્યાસ છે. કારણ અપમત સાદુરૂપ સ્વામીના સાધચ્ચેથી તેનું બધા જ્ઞાનમાં ઉત્તમત્વ છે. તે આ પ્રમાણે- જેમ મન:પર્યવજ્ઞાન ઉત્તમ યતિને જ થાય છે. તેમ કેવલજ્ઞાન પણ થાય છે. જે જીવ સર્વજ્ઞાન પ્રાપ્ત કરે છે તે ચોક્કસ અંતમાં કેવલજ્ઞાન પામે છે. જેમ મન:પર્યાય જ્ઞાન વિપર્યય સહિત હોતું
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy