SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ (109) પ/૩/૪૯૬ થી ૫૦૩ ૨૧૭ [૫૦૨] પુofવ ગાથા - જે વર્ષમાં પૃથ્વીના રસને અને ઉદકના રસને - માધુર્ય, સ્નિગ્ધતા લક્ષણ સ પુષ્પ તથા ફળોને તેવા સ્વભાવથી સૂર્ય આપે છે અર્થાત્ તથાવિધ ઉદક અભાવે પણ આપે છે, જેથી અા વર્ષા વડે પણ જોઈએ તેટલું ધાન્ય ઉત્પન્ન થાય તે સૂર્ય સંવત્સર, [૫૦]] સાફ - ગાથા - સૂર્યના તેજથી તપ્ત પૃથ્વી આદિના તાપમાં પણ ઉપચારથી ક્ષણ વગેરે તયા તેમ માનવું. તેમાં ક્ષr - મુહd, નવ • ૪૯ ઉચશ્વાસ પ્રમાણ, વિણ - અહોરાક, ત્રનું - બે માસ. જેમાં અતિક્રમે છે અને જે વાયુ વડે ઉડેલ ઘળથી ભૂમિપ્રદેશ વ્યાપ્ત થાય છે, તેને આચાર્યો લક્ષણથી અભિવર્ધિત સંવત્સર કહે છે, તે જાણ. સંવત્સરાદિ વ્યાખ્યાન પ્રાયઃ તવાદિ ટીકા અનુસાર છે. સંવત્સર કહ્યો તે કાળરૂપ છે, કાળ વ્યતીત થતાં શરીરથી નીકળવું થાય છે, આ હેતુથી તેના માર્ગનું નિરૂપણ કરે છે– • સૂત્ર-૫૦૪,૫૦૫ - [૫૪] શરીરમાંથી જીવને નીકળવાનો માર્ગ પાંચ પ્રકારે છે, તે આ - પગથી, સાથળથી, હદયથી, મસ્તકથી, સવગથી... જીવ જે પગેથી નીકળે તો નરકગામી થાય, સાથળથી નીકળે તો તિગામી થાય, છાતીથી નીકળે તો મનુષ્યગામી થાય, મસ્તકેથી નીકળે તો દેવગામી થાય, સવગેથી નીકળતા સિદ્ધિગતિગામી થાય છે. [] છેદન પાંચ પ્રકારે કહેલ છે. તે આ - ઉતપાદદન, વ્યયછેદન, બંધોદન, પ્રદેશછેદન, દ્વિધકારછેદન... અનંતર્ય પાંચ પ્રકારે કહેલ છે, તે આ • ઉત્પાદનોતર્ય, વ્યયાનંતય, પદેશાનંતર્ય, સમયાતંતય, સામસાનાંતર્ય... આના પાંચ ભેદે કહ્યા છે, તે આ - નામાનંત, સ્થાપનાનંત, દ્રવ્યાનંત, ગણનાનંd, uદેશાનંત અથવા અનંતા પાંચ ભેદે કહAIL. તે આ - એકd: અનંત, દ્વિધા અનંત, દેશવિસ્તારામંત, સર્વવિસ્તારામંત, શાશ્વતાનંત. • વિવેચન-૫૦૪,૫૦૫ - | [૫૪] સૂત્ર સ્પષ્ટ છે. નિયન - મરણકાળે જીવનો શરીરમાંથી નીકળવાનો માર્ગ તે નિયણિ માર્ગ - પગ વગેરે. તેમાં માર્ગભૂત અને કરણતાને પામેલ બંને પણ દ્વારા જીવ શરીસ્થી નીકળે છે. એ રીતે બંને સાથળ દ્વારા ઇત્યાદિને વિશે પણ જાણવું. હવે ક્રમશઃ આ નીકળવાના માર્ગના ફળને કહે છે - બંને પગ દ્વારા શરીરથી નીકળતો જીવ નકમાંથી જનારો હોય છે. એ રીતે અન્યત્ર પણ જાણવું. વિશેષ એ કે - બધા અંગો તે સવગો, ત્યાંથી નીકળતો સિદ્ધિગતિને પામે છે. સિદ્ધિગતિરૂપ ભ્રમણનો અંત જેને છે તે સિદ્ધિગતિ પર્યવસાન છે. [૫૦૫ નિયમ આયુ છેદન કરતા થાય છે, માટે છેદન પ્રરૂપતા સૂત્રકાર કહે છે. સત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે • દેવવાદિ પર્યાયાંતરના ઉત્પાદ વડે જીવાદિ દ્રવ્યનો ook-6CI SaheiblAdhayan-6\B ૨૧૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ વિભાગરૂપ છેદ તે ઉત્પાદછેદન. વ્યય, મનુષ્યવાદિ પયયિના નાશ વડે જીવાદિને છેદવું તે વ્યયછેદન... જીવની અપેક્ષાએ કર્મના બંધનું છેદવું તે બંધ છેદન. તથા સ્કંધોની અપેક્ષાએ સંબંધનું છેદવું તે બંધ છેદન. જીવડંઘને જ નિર્વિભાગ અવયય રૂપ પ્રદેશોથી બુદ્ધિ વડે પૃથક્ કરવું તે પ્રદેશછેદન... જીવાદિ દ્રવ્યનું જે બે વિભાગરૂપ કરવું તે દ્વિઘાકાર, તે જ છેદન તે દ્વિઘાકાર છેદન. આ ગિધાકારાદિના ઉપલક્ષણ રૂપ છે... આ કથન વડે દેશથી છેદના કહ્યું અથવા ઉત્પત્તિનું છેદન એટલે વિરહ, જેમ નરકગતિમાં બાર મુહૂર્તો છે... વ્યય છેદન એટલે ઉદ્વર્તન. તે એ પ્રમાણે જ છે.. બંધનવિરહ - જેમ ઉપશાંત મોહવાળાને સપ્તવિધ કર્મબંધનની અપેક્ષાએ પ્રદેશનું છેદન તે પ્રદેશવિરહ, જેમ ક્ષય કરેલ અનંતાનુબંધી આદિ કર્મપ્રદેશોનો પ્રદેશવિરહ હોય છે. બે ધારા છે જેની તે દ્વિઘારા, તરૂપ છેદન તે દ્વિધારા છેદન. ઉપલક્ષણથી એક ધારાદિ છેદન પણ જાણવું. તે ક્ષર, તલવાર, ચકાદિ છેદન શબ્દના સામ્યથી અહીં ગ્રાહ છે. પાઠાંતરથી પયિછેદન-એટલે માર્ગનું છેદવું - રથ - માર્ગનું ઉલ્લંઘવું. છેદનનું વિપર્યય આનંતર્ય છે. - તેથી કહે છે - આનંર્વ - અવિરહ, ઉત્પાદનો અવિરહ જેમ નરકગતિમાં જીવોને ઉત્કર્ષથી અસંખ્યાત સમયો સુધી છે. એ રીતે વ્યયનો પણ અવિરહ જાણવો.. પ્રદેશો અને સમયોનો અવિરહ પ્રસિદ્ધ છે.. વિવેક્ષા ન કરાયેલ ઉત્પાદ, વ્યયાદિ વિશેષણવાળું આનંતર્ય સામાન્ય આનંતર્યા છે. અથવા શ્રામવિરહ વડે જે આનંદર્ય તે શ્રામસ્યાનંતર્ય. અથવા બહુ જીવોની અપેક્ષાએ શ્રામસ્થના સ્વીકાર વડે આનંતર્ય છે. અનંતર સૂત્રમાં આનંતર્ય કહ્યું. તે સમય અને પ્રદેશો અનંતા છે, તેથી અનંતકની પ્રરૂપણા. સૂત્ર પ્રસિદ્ધ છે. વિશેષ એ કે - નામ વડે અનંતક તે નામ અનંતક. જેમ સિદ્ધાંત ભાષાએ વસ્ત્ર.. સ્થાપના વડે અક્ષ આદિનું સ્થાપવું તે સ્થાપના અનંતક. ડ્રાશરીર, ભવ્ય શરીરદિથી વ્યતિરિક્ત ગણનીય અણુ આદિ દ્રવ્યોનું અનંતક તે દ્રવ્ય અનંતક. ગણના લક્ષણ અનંતક તે અવિવક્ષિત અણુ આદિ સંખ્યાવિશેષ તે ગણના અનંતક.. સંખ્યા કરવા યોગ્ય પ્રદેશોનું અનંતક તે પ્રદેશાનંતિક... આયામ લક્ષણ એક અંશ વડે અનંતક એકત: અનંતક-એક શ્રેણિક ક્ષેત્ર. આયામ અને વિસ્તાર બંનેથી જે અનંતર તે દ્વિધા અનંતક - પ્રતિરોગ.. ચક અપેક્ષાએ પૂવદિ દિશામાંથી કોઈ પણ એક દિશાલક્ષણ દેશનો ક્ષેત્ર વિસ્તાર, તેના પ્રદેશાપેક્ષાએ અનંતક તે દેશવિસ્તારામંતક.. સર્વ આકાશના વિસ્તારરૂપ ચોથું અનંતક.. શાશ્વત અનંતક કેમકે અનંત સમય સ્થિતિક હોવાથી જીવાદિ દ્રવ્ય શાશ્વત અનંતક છે. આવા પદાર્થનો બોધ જ્ઞાનથી થાય, માટે જ્ઞાનનું સ્વરૂપ કહે છે :\Mahal
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy