SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬/-/9૪૪ થી ૪૪ ૨૬૩ • વિવેચન-૩૪૪ થી ૩૪૭ : [૪૪] હે આદ્રકા તમે (મહાવીર વિશે કહો છો કે - બીજાને માટે અશોકવૃક્ષાદિ પ્રાતિહાર્યનો પરિગ્રહ તથા શિષ્યાદિ પરિવાર કર્યો છે, ધર્મદેશના તેમના દોષને માટે નથી, તેમ અમારા સિદ્ધાંતમાં પણ આટલા કાર્યો દોષ માટે થતા નથી - સચિત પાણીનો પરિભોગ, બીજકાય ઉપભોગ, સ્ત્રીનો સંસર્ગ કરવા વડે સ્વ-સ્પર ઉપકાર થાય. અમારા ધર્મમાં વર્તતા બગીચા, ઉધાનાદિમાં એકલા વિચરતા, તપસ્વીને અશુભ કર્મોનો બંધ થતો નથી. સારાંશ એ કે આ સયિત જળ વગેરે જો કે કિંચિત્ કર્મબંધ માટે છે, તો પણ ધર્મના આધારરૂપ શરીરનું પાલન કરતા એકાંતચારી તપસ્વીને કર્મનો બંધ થતો નથી. - ત્યારે આર્તકમતિ તેનું ખંડન કરતા કહે છે [૩૪૫ સચિત પાણી વગેરેનો પરિભોગ આદિ કરનાર ગૃહસ્થ છે, દીક્ષા લીધેલા નહીં. શ્રમણના લક્ષણ છે - અહિંસા, સત્ય, ચોરી, બ્રહ્મચર્ય, નિલભતા. તેમને સયિત પાણી, બીજ, આધાકર્મ, સ્ત્રીપસિમોણ ન હોય. તેથી તેઓ નામ અને વેશ માત્રથી શ્રમણ કહેવાય, પરમાર્થ-અનુષ્ઠાનથી શ્રમણ નથી. [૩૪૬] આદ્રક મુનિ આગળ કહે છે - એ કદાચ તમારો મત છે - એકાંતચારી, ભૂખ-તરસ આદિ પ્રધાન તપચાઢિ પાલન, તેટલાથી તે સાધુ કેમ ન કહેવાય ? તેનો ખુલાસો સાંભળો - જો બીજાદિ ઉપભોગી પણ તમારા મતે શ્રમણ કહેવાય તો ગૃહસ્થો પણ શ્રમણ કહેવાશે. તેમને પણ દેશિક અવસ્થામાં આશંસા હોય, પૈસા કમાવા એકલા ભટકવું, ભૂખ-તરસ સહેવાનું સંભવે છે * * * * * [9] આર્વક મુનિ ફરી બીનદિ ઉપભોગીના દોષો જણાવે છે - જેઓ દીક્ષા લઈને સચિત બીજ અને જળ આદિના ભોગી થઈને દ્રવ્યથી બ્રહ્મચારી છે અને ભિા માટે ફરે છે, તે જીવિતાર્થી છે. તેવાઓ સ્વજન સંબંધ છોડીને કાયામાં વર્તે છે. તેઓ આરંભમાં પ્રવૃત્ત થઈ જીવહિંસા કરે છે, સંસારનો અંત કરતા નથી. સારાંશ એ કે - તેઓએ માત્ર દ્રવ્યથી સ્ત્રી પરિભોગ તજેલ છે, તે સિવાય બીજાદિના ઉપભોગથી ગૃહસ્થ જેવા જ છે. જે ભિક્ષાભમણ કહ્યું, તે તો કેટલાંક ગૃહસ્થોને પણ સંભવે છે. એટલા માત્રથી તેઓ સાધુ બની જતાં નથી. આવું સાંભળીને ગોશાલક બીજો ઉત્તર આપવાં અસમર્થ હોવાથી બીજા મતવાળાની સહાય લઈને અવિવેકનાં અસાર વચનો કહે છે • સૂઝ-9૪૮ થી ૩પ૧ : હિં અદ્ધિક છે એમ કહીને તે બધાં પ્રવાદીઓની નિંદા કરે છે. બધાં પ્રવાદીઓ પોતાના સિદ્ધાંતને પૃથક પ્રગટ કરી પ્રદર્શનને શ્રેષ્ઠ કહે છે...દ્ધિક મુનિ કહે છે - તે શ્રમણ-બ્રાહ્મણ પરસ્પર નિંદા કરીને સ્વદતિ સિદ્ધિ, પરદતિ સિદ્ધિ બતાવે છે. હું તેના દર્શનને નિંદુ છું બીજું કંઈ નિંદતો નથી...અમે કોઈના રૂપ-વેશને નિંદતા નથી, પણ મારા દર્શનને પ્રગટ કરીએ છીએ, આ મM અનુત્તર છે, આર્ય પરષોએ તેને નિદોંષ કહો છે...ઉદd-ધો-તિર્થી દિશામાં જે ત્ર-સ્થાવર પ્રાણી છે, તેમની હિંસાની ધૃણા કરનારા સંયમી ફરજ ૨૧૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર આ લોકમાં કોઈની નિંદા કરતા નથી. • વિવેચન-૭૪૮ થી ૩૫૧ - [૪૮] હે આદ્રકા આવા વચનોથી તમે બધાં મતવાળાને નિંદો છો. કેમકે બધાં અન્યતીથિંકો બીજોદક ભોજી હોવા છતાં સંસારના છેદમાં પ્રવૃત્ત છે. પણ તમે તે સ્વીકારતા નથી. તે મતવાળા પોત-પોતાના દર્શનને પ્રગટ કરે છે. શ્લોકનો પશ્ચાદ્ધ આદ્રકુમાર કહે છે - બધાં દર્શનવાળા પોતાનો મત પ્રગટ કરે છે અને સિદ્ધ કરે છે, તેમ અમે પણ અમારું દર્શન બતાવીએ છીએ. સચિત બીજ અને પાણીથી કમબંધ જ થાય, સંસાર ઉચ્છેદ ન થાય. આ અમારું દર્શન છે, તેમાં બીજાની નિંદા કે અમારુ અભિમાન ક્યાં છે? [૪૯] તે દરેક મતવાળા શ્રમણ-બ્રાહ્મણાદિ સ્વદર્શનની પ્રતિષ્ઠા માટે બીજાના દર્શનને નિંદતા, સ્વદર્શનના ગુણો કહે છે. - X - બધાં સ્વપક્ષનું સમર્થન અને પરપક્ષનું નિંદન કરે છે - તે પશ્ચાઈથી બતાવે છે - સ્વપક્ષ સ્વીકારી ક્રિયા કરે તો જ પુન્ય થાય અને સ્વર્ગ-મોક્ષ મળે, બીજાનો મત સ્વીકારતા પુન્ય આદિ કશું નથી, એમ દરેક પક્ષવાળા પરસ્પર ખંડન કરે છે. તેથી અમે પણ યથાવસ્થિત તવ પ્રરૂપણા કરી, એકાંતર્દષ્ટિ યુતિરહિત છે, માટે નિંદીએ છીએ. • x • અમે અનેકાંત માર્ગ બતાવતા કોઈને નિંદવા નથી - કે “તું કાણો છે” વગેરે. અમે માત્ર સ્વ-પર દર્શન સ્વરૂપ બતાવ્યું, વસ્તુ સ્વરૂપ બતાવવાથી નિંદા થતી નથી. કહે છે કે - નેમ વડે કાંય, સાદિને જોઈને ડાહ્યો બીજા માર્ગે જાય તેમ કુજ્ઞાન, કુમાર્યાદિને સખ્ય રીતે વિચારતા બીજાની નિંદા કઈ રીતે થાય? અથવા એકાંતવાદીઓ માત્ર અસ્તિ-નાસ્તિ, નિત્ય-અનિત્ય, સામાન્ય-વિશેષ એવું એકાંત માને તો પરસ્પર ગહ દોષ થાય. અમને અનેકાંતવાદીને બધાંના સ0અસતનો કથંચિત સ્વીકાર છે. * * * સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી બધાં દ્રવ્યો ‘મતિ' છે, પર દ્રવ્યાદિથી નાત છે. તેથી અમે બીજાના એકાંતવાદની ભૂલો બતાવીએ, પણ રાગદ્વેષ ન કરીએ, માટે કોઈને ન નિંદીએ. [૫૦] આ વાત વધુ સ્પષ્ટ કહે છે - કોઈ શ્રમણ-બ્રાહ્મણના અંગની ખોડ કાઢીને, જાતિ-લિંગના દોષ ઉઘાડીને નિંદાની બુદ્ધિથી કશું કહેતા નથી. માત્ર અમારું દર્શન પ્રગટ કરીએ છીએ. જેમકે - બ્રહ્માનું માથું કપાયું, હરિ અક્ષિરોગી થયો, મહાદેવનું લિંગ કપાયુ, " X ચંદ્રમાં કલંક છે, ઇન્દ્ર પણ નિંદનીય શરીર કરાયો વગેરે. સન્માર્ગના ખલનથી મોટા પુરુષો પણ પીડા પામ્યા. આવું તેઓ પોતાના શાસ્ત્રોમાં કહે છે, અમે તો ફક્ત શ્રોતા છીએ. - આદ્રકુમાર હવે સ્વપક્ષ સિદ્ધ કરવા અડધા શ્લોકમાં કહે છે. સમ્યગ્દર્શનાદિ માર્ગ આયોંએ વર્ણવ્યો છે. આર્ય એટલે અધર્મને દૂરથી છોડનારા સર્વજ્ઞ. તેનાથી બીજો કોઈ શ્રેષ્ઠ માર્ગ નથી. પૂવપિર ખલના ન પામી યથાવસ્થિત જીવાદિ પદાર્થનું સ્વરૂપ બતાવ્યું છે. આ આયોં સપુરુષો છે, ૩૪-અતિશયયુકત છે. સર્વ પદાર્થ આવિર્ભાવક દિવ્યજ્ઞાની છે. તે માર્ગ પણ નિર્દોષ હોવાથી પ્રગટ છે, ઋજુ છે કેમકે
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy