SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૨I-I૬૬૦ ૧૨૩ અધમ છે, તેને આજ્ઞા કરવી. મને પરિતાપ ન આપવો, પણ બીજાને પરિતાપવા. મને વેતન આપીને કામ કરવા ન લઈ જવો, પણ બીજા શદ્રોને મજૂરીએ લઈ જવા. ઘણું કહેવાથી શું? મને ન મારવો પણ બીજાને મારવો. આ રીતે બીજાને પીડા કરવાના ઉપદેશથી અતિ મૂઢપણે અસંબદ્ધ બોલવાથી અજ્ઞાનતાથી ઢંકાયેલા, પેટભરા, વિષમ દષ્ટિવાળાને પ્રાણાતિપાત વિરતિરૂપ વ્રત હોતું નથી. ઉપલક્ષણથી મૃષાવાદ, અદત્તાદાન વિરમણનો અભાવ પણ જાણી લેવો. હવે અનાદિ ભવાભ્યાસથી દુત્યજ્ય સ્ત્રીસંગને કહે છે– પૂર્વોકત કારણોથી અતિ મૂઢવાદિથી પરમાર્થને ન જાણતાં અન્યતીર્થિકો સંબંધી કામો અથવા સ્ત્રીમાં તથા શબ્દાદિ વિષયોમાં મૂર્ણિત, વૃદ્ધ, ગ્રથિત, આસકત છે. * * * આ સ્ત્રી અને શબ્દાદિમાં પ્રવર્તન પ્રાયઃ જીવોને સંસારનું કારણ છે. કહે છે કે - મહાદોષને કારણે તે અધર્મનું મૂળ છે. આસંગ આસક્તને શબ્દાદિ વિષયાસક્તિ અવશ્ય હોય છે તેથી “સ્ત્રી-કામ”નું ગ્રહણ કર્યું આવા આસકતો - x • ચાર, પાંચ કે છ દાયકા સુધી જીવે. અહીં મધ્યમ વય લીધી. કેમકે પ્રાયે અન્યતીચિંકો વય વીત્યા પછી સાધુ બને, તેથી તેને આટલો જ કાળ સંભવે છે. અથવા મધ્યમવય લેવાથી વધુ-ઓછી સમજી લેવી. • x - તેઓ ગૃહવાસ છોડીને -x • સ્ત્રી તથા વિષય ભોગો ભોગવીને પછી ત્યાગી થઈને પોતાને સાધુ સમજે. તો પણ તેઓ ભોગથી નિવૃત થતાં નથી. જેથી મિથ્યાર્દષ્ટિપણાથી અજ્ઞાનરૂપી અંધત્વ વડે સમ્યગવિરતિ પરિણામથી હિત છે. આવા પરિણામને લીધે પોતાના આયુનો ક્ષય થતા કાળમાણે કાળ કરીને ઘોર તપ કરવા છતાં અસુર જાતિના દેવોમાં કિબિષિક દેવરૂપે ઉત્પન્ન થાય છે. અજ્ઞાનતપથી મરીને પણ હલકા દેવ થાય. તે સ્થાને પણ આયુક્ષય થતાં તે કિબિષિકો બાકીના અશુભ કર્મો ભોગવવા ઘેટા જેવા બોબડા થાય છે. કિલ્બિષિક સ્થાનેથી ચ્યવીને અનંતર ભવે મનુષ્ય થવા છતાં - ૪ - મંગા કે ન સમજાય તેવી ભાષા બોલનારારૂપે જન્મે છે. તથા અત્યંત અંધકા૫ણે એટલે જન્માંધપણે કે અતિ અજ્ઞાનથી આવૃત્ત હોય તેવા જમે છે. તથા જન્મથી મુંગા-વાચારહિત હોય. આ રીતે તે અન્યતીર્થિકો પરમાર્થથી સાવધ અનુષ્ઠાન ન છોડીને, ધાકમદિમાં પ્રવૃત્તિ થઈ, તેને યોગ્ય ભોગ ભોગવતા “લોભપ્રત્યયિક' સાવધ કર્મ બાંધે છે. આ ‘લોભપ્રત્યયિક' બારમું ક્રિયાસ્થાન કહ્યું. ધે બાર કિયાસ્થાનોનો સારાંશ કહે છે - અર્ચદંડાદિથી લોભપ્રત્યયિક-કિયાસ્થાનકર્મગ્રંથિને જે દર કરે તે દ્રવ અર્થાત સંયમ જેનામાં છે તે દ્રવિક-મુકિતગમત યોગ્યતાથી દ્રવ્યભૂત સાધુ વિચારે, તે બતાવે છે - કોઈ જીવને ન મારો એવું વર્તન અને તે ‘માહણ'. આવા ગુણવાળા સમ્યમ્ યથાવસ્થિત વસ્તુ સ્વરૂપ નિપણથી મિથ્યાદર્શન આશ્રિત, સંસાકારણને જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છોડે. • સૂત્ર-૬૬૧ - હવે તેમાં ઇયપિથિક યિાસ્થાન કહે છે. આ લોકમાં જે આત્માના ૧૨૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ કલ્યાણને માટે સંસ્કૃત અને અણગાર છે, જે ઇયસિમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાન માંs માત્ર નિક્ષેપણા સમિતિ, ઉરચાર પાસવણ ખેલ સિંધાણ જલ પારિષ્ઠાપનિકા સમિતિ, મનસમિતિ, વચનસમિતિ, કાય સમિતિથી યુકત છે, જે મનગુપ્ત, વચનગુપ્ત, કાસગુપ્ત છે, ગુખેન્દ્રિય, ગુપ્ત બહાચારી, ઉપયોપૂર્વક ચાલતા - ઉભા રહેતા - બેસતા - પડખાં બદલતા • ભોજન કરતા • બોલતાં • વા પણ કંબલ પદ પીંછનક ઉપયોગપૂર્વક ગ્રહણ કરે છે અને ઉપયોગપૂર્વક રાખે છે. ચાવત આંખોની પલકોને પણ ઉપયોગ પૂર્વક જ ઝપકાવે. છે. તે સાધુને વિવિધ સૂક્ષ્મ જયપથિક ક્રિયા લાગે છે. તે પહેલા સમયે બંધ અને ભ્રષ્ટ થાય છે. બીજ સમયે તે વેદાય છે અને ત્રીજા સમયે તેની નિર્જરા, થાય છે. આ પ્રમાણે તે ઇયપિથિકી ક્રિયા બદ્ધ સૃષ્ટ, ઉદીરિત-વેદિત અને નિઝણ થાય છે. પછીના સમયે તે ચાવત આકર્મ થાય છે. એ રીતે તે પથિક પ્રત્યયિક સાવધકર્મ બાંધે છે. એ રીતે તેમે ઇચહિત્યયિક ક્રિયાસ્થાન કહd. હું કહું છું . જે અતિત-વર્તમાન કે આગામી અરિહંત ભગવંતો છે. તેઓ બધાંએ આ તેર ક્રિયસ્થાનો કહ્યા છે . કહે છે અને કહેશે. પ્રતિપાદિત કર્યા છે - કરે છે અને કહેશે. આ રીતે તેરમું ક્રિયાથાન સેવ્યું છે - સેવે છે અને સેવશે. • વિવેચન-૬૬૧ - હવે તેરમું ઇપિથિક કિયાસ્થાન કહે છે. ગમન તે “ઇ” તેનો અથવા તેના વડે જે પંચ તે ઇર્યાપથ, તેમાં જે થાય તે ઇર્ષાપિયિક, તે કિયા તેને ઇર્યાપથિકા કહે છે. તે કોને હોય? કેવી હોય? કેવું કર્મફળ આપે? એ બધું દર્શાવતા કહે છે - આ જગતમાં પ્રવચનમાં કે સંયમમાં વર્તતા જે સાધુ હોય, તે જો આત્માના હિતને માટે મન-વચનકાયાથી સંવૃત બને. પરમાર્થથી આવાને જ આત્મભાવ હોય, બીજાને-અસંવૃતને આત્મવ હોતું નથી. કેમકે વિધમાન આત્માનું કાર્ય સંવૃતતા વિના ન સંભવે. એ રીતે આત્માર્થે સંવૃત આણગારને ઇયપિથિકાદિ પાંચ સમિતિ અને મનવચન-કાયાથી સમિત તથા ત્રણ ગુપ્તિ વડે ગુપ્તતા હોય. વળી ગુપ્તિના વિશેષ આદર માટે ફરી ગુપ્તિ ગ્રહણ કર્યું એ રીતે ગુપ્તિ વડે ગુપ્ત કહે છે. નવ બ્રહ્મચર્ય ગુપ્તિ વડે ગુપ્ત તે ગુપ્તેન્દ્રિય થાય. ઉભતા, ચાલતા, બેસતા, પડખાં બદલતા તેમાં ઉપયોગ રાખે. ઉપયોગપૂર્વક જ વસ્ત્ર, પત્ર, કંબલ, પાદપીંછનેકને ગ્રહણ કરે કે મૂકે. ચાવતું આંખની પલક પણ ફરકે તેમાં ઉપયોગ રાખે. એ રીતે અત્યંત ઉપયોગપૂર્વક વિવિધ માત્રામાં આવી સૂમ આંખની પલકના સંચલનરૂપ આદિ ઇયપિયિકા ક્રિયા કેવલીને વર્તે છે. કહે છે - સયોગી જીવો ક્ષણ માત્ર પણ નિશાલ રહેવા સમર્થ નથી. અગ્નિ વડે તપાવેલ પાણીની જેમ કામણ શરીરમાં રહેલ જીવ સદા હાલતો જ રહે છે. તેથી જ સૂરમાં કહ્યું છે કે હે ભગવ! જે સમયમાં જે આકાશ પ્રદેશમાંથી કેવલીએ પગ ઉપાડ્યો તે જ આકાશપ્રદેશમાં ફરી મૂકવા સમર્થ છે? હે ગૌતમાં તેમ ન બની શકે ઇત્યાદિ. એ રીત કેવલીને પણ સૂમ ગપ્રસંચાર હોય છે. અહીં કારણમાં કાર્યનો ઉપચાર કરીએ, તેથી
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy