SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨/૬/૧૦૩ ૧૮૩ મૌન તે સંયમ છે. અથવા મુનિનો ભાવ તે મૌન અને વચનનો સંયમ છે અને તે પ્રમાણે કાયા અને મનનું પણ જાણવું. સર્વચા સંયમને આદરીને કર્મશરીર કે ઔદારિક શરીરને આત્માથી જુદું કમમત્વ છોડ. તે મમવ કેવી રીતે મૂકાય ? સ રહિત તથા ઘી આદિ હિત લખું ભોજન કર. દ્રવ્ય અને ભાવથી - પ્રાંત એટલે “ધૂમ'રહિત, સૂક્ષ એટલે ‘ગાર’હિત વીર સાધુઓ ગૌચરી કરે છે. તે સાધુઓ રગદ્વેષરહિત કે સમ્યકત્વદર્શી-પરમાર્થ દષ્ટિવાળા છે તેઓ જાણે છે કે, આ શરીર કૃતન, નિરૂપકારી છે. એના માટે પ્રાણીઓ આલોક-પરલોકમાં કલેશ પામે છે. - x • તેથી પ્રાંત રક્ષ આહાર સેવનથી સમત્વદર્શી કમદિ શરીર છોડીને ભાવથી ભવસમદ્ર તરે છે અથવા ઉત્તમ ક્રિયાથી ભવ સમળે તરે છે. જે બાહ્ય અત્યંતર પરિગ્રહ રહિત છે તે મુક્ત છે. જે ભાવથી શબ્દાદિ વિષયનો રોગ તજે તે પરિગ્રહમુક્ત છે. જે મુક્તતા, વિરતતાથી વિખ્યાત છે તે જ મુનિ ભવસમુદ્રને તરે છે તીર્ણ છે. તેમ હું કહું છું. જે મુકતવ-વિરતતાથી વિખ્યાત ન થયો તે કેવો થાય ? • સૂઝ-૧૦૪ - જિન આજ્ઞા ન માનનાર મુનિ “દુર્વસુ' છે. તે ધર્મકથનમાં ગ્લાનિ પામે છે કેમકે તે તુચ્છ છે. જ્યારે તે ‘વીર’ પ્રશસ્ય છે જે લોક સંગનો ત્યાગ કરે છે. તીર દ્વારા પ્રરૂપિત આ જ ન્યાય માર્ગ છે. • વિવેચન : વસુ-દ્રવ્ય છે. ભવ્ય અર્થમાં ઉત્પન્ન થયું છે. ભવ્ય એટલે મુક્તિગમન યોગ્ય. આ ભવ્યદ્રવ્ય તે વસુ. દુર્વસુ એટલે મોક્ષગમન અયોગ્ય. તે તીર્થકરના ઉપદેશથી હિત કે સ્વેચ્છાચાચી દુર્વસુ થાય છે તે સ્વચ્છંદી કેમ બને છે ? - x - મિથ્યાત્વ મોહિત લોકમાં બોધ દુષ્કર છે. વ્રતોમાં આત્માને રોવો, રતિરતિ નિગ્રહ, શબ્દાદિ વિષયમાં મધ્યસ્થતા, પ્રાંત-નૃક્ષ ભોજન. એવી તીર્થકર આજ્ઞા તલવારની ધાર પર ચાલવાની જેમ કુકર છે. અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગો સહેવા કઠણ છે. સ્વભાવથી દુ:ખમાં બીકણ, સુખનો પ્રિય અને અતીતકાળ સુખની ભાવનાથી વીતરાગ આજ્ઞામાં વસવું મુશ્કેલ છે. આજ્ઞામાં ન વસવાથી તુચ્છ-દ્રવ્યથી નિર્ધન, જલરહિત અને ભાવથી જ્ઞાનાદિ રહિત થાય. તેથી કોઈ પૂછે ત્યારે બોલવામાં ગ્લાની પામે અથવા જ્ઞાનવાળો પણ ચાસ્ત્રિભ્રષ્ટ હોય તો - X - ગ્લાનિ પામે. ઇત્યાદિ - ૪ - જે કષાયરૂપી મહાવિષ યળનાર, ભગવદ્ આજ્ઞા પાલક છે તે ‘સુવસુ' મુનિ છે. તે યથાવસ્થિત વસ્તુના પરિજ્ઞાન અને અનુષ્ઠાનથી બોલવામાં ગ્લાની ન પામે, રિકતું પણ ન હોય. સુવણુ મુનિ જ્ઞાનાદિથી ભરેલ અને યોગ્ય માર્ગ પરૂપક છે, કર્મ વિદારવાથી વીર છે. વિદ્વાન દ્વારા પ્રશંસિત છે. વળી ભગવંતની આજ્ઞાને અનુસરનારો વીરપુરુષ અસંયત લોકગી થતા મમત્વને ત્યજે છે. તે લોક બે પ્રકારે છે : (૧) બાહ્ય - ધન, સુવર્ણ, માતા-પિતાદિ (૨) અંતરાગદ્વેષાદિ અથવા તેનાથી બંધાતા આઠ પ્રકારના કર્મ. તે બંનેનું મમ:વ-તેના સંયોગને ઉલંઘે છે. અર્થાતુ મમતવ ત્યાગે છે. ૧૮૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ આ લોક મમવનું ઉલ્લંઘન તે સન્માર્ગ છે - મુમુક્ષનો આચાર છે અથવા જે લોકનો સંયોગ ત્યજે છે, તે જ શ્રેષ્ઠ આત્માનો મોક્ષનો ન્યાય છે - સદુપદેશથી મોક્ષ મેળવનાર કહેવાય છે - હવે તે ઉપદેશ કેવો છે તે કહે છે • સત્ર-૧૦૫ - અહીં મનુષ્યોના જે દુ:ખો બતાવ્યા છે. કુશળ પુરુષો આ દુઃખોની પરિણા-વિવેક બતાવે છે. આ કર્મોને જાણીને સર્વ પ્રકારે દુનિવૃત્તિ કરવી.] જે અનન્યને જુએ છે, તે અનન્યમાં મણ કરે છે, જે અનન્યમાં મણ કરે છે તે અનન્યને જુએ છે. જેમ પુPચવાનને ઉપદેશ કહે છે, તેમ તુચ્છને પણ કહે છે અને જેમ તુચ્છને ઉપદેશ કરે છે, તેમ પુણ્યવાનને પણ કરે છે. • વિવેચન : જે દુ:ખ, દુ:ખનું કારણ કે લોકમમવથી બંધાતુ કર્મ છે, તે તીર્થકરોએ બતાવેલ છે. આ સંસારમાં જીવોને આવાં દુ:ખો છે. આ સાતાલક્ષણ કર્મને ધર્મકથા લધિસંપ, સ્વસમય-પરસમયના જાણ, ઉધુક્ત વિહારી, બોલે તેવું પાળનારા, જિતનિદ્ર, જિતેન્દ્રિય, દેશકાળાદિ ક્રમજ્ઞ એવા સાધુઓ આવી પરિજ્ઞા બતાવે છે કે • દુ:ખોનું કારણ અને તેને રોકવાના કારણો જાણીને જ્ઞ પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે પાપને ત્યાગે. વળી મનુષ્યોનું જે દુઃખ કહ્યું, જે દુ:ખની પરિજ્ઞા કુશલપુરષોએ બતાવી. તે દુ:ખ કર્મકૃત છે. તે કર્મો જાણીને તેના આશ્રવહારો જાણવા તે આશ્રવહાર આ પ્રમાણે - જ્ઞાન પ્રત્યેનીકતાથી જ્ઞાનાવરણીય આદિ. પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તે પાપને ત્યાગવા. તે આશ્રવોમાં યોગમિક અને કરણગિકથી ન પ્રવર્તવું. અથવા સર્વથા પરિજ્ઞાન તે કેવલી, ગણધર અને ચૌદપૂને હોય છે. અથવા ‘સર્વચા'થી આક્ષેપણિ આદિ ચાર ધર્મકથા લેવી. જૈન સિવાયના તત્વને માને તે અન્યદર્શી. યથાવસ્થિત પદાર્થનો દ્રષ્ટા તે અનન્યદર્શી. તે સમ્યગુર્દષ્ટિ જિન પ્રવચનના તાવાર્થને જ માને છે. આવો અનન્ય દષ્ટિ મોક્ષમાર્ગ સિવાય બીજે મણતા ન કરે.-x - જે ભગવના ઉપદેશથી અન્યમા ન રમે તે અનન્યદર્શી અને જે અનન્યદર્શી તે બીજે મે નહીં. કહ્યું છે કે, વૈશેષિક તથા બૌદ્ધોના ચેલા કુશાસ્ત્રોનું ભલું થાઓ કેમકે તેમનામાં વિસંવાદ જોઈને જિનવચનમાં અમારું મન રંજિત થાય છે. આ પ્રમાણે સમ્યકત્વ સ્વરૂપ કહ્યું છે તે કહેનાર રાગદ્વેષ દૂર કરનારો થાય છે તે બતાવે છે - તીર્થકર, ગણધર, આયાદિ જે પ્રકારે ઇન્દ્ર, ચકવર્તી, માંડલિકાદિને ઉપદેશ આપે છે, તે જ રીતે કઠીયારાદિ તુચ્છને પણ આપે છે. અથવા જાતિ-કુળથી પુણવંત કે તુચ્છ છે, વિજ્ઞાનવાળો પૂર્ણ અને અન્ય તુચ્છ છે. તે દરેકને સમાનભાવે ઉપદેશ આપે છે. કહ્યું છે કે, જ્ઞાન, ઐશ્વર્ય, ધનવાળો, જાતિ-વંશબલી, તેજસ્વી-મતિમાનું વાત એ બઘાં પૂર્ણ છે અને તેથી વિપરીત તે તુચ્છ છે. પરમાર્થ છે કે જેમ તુચ્છને
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy