SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧/૧/૧૧/૩૯૬ છે, સ્વચ્છ પાણીથી તેમાં અભલેપપણું છે. કેમકે તેમાં સંસ્કૃષ્ટ આદિનો અભાવ છે, પછીની ત્રણ પામૈષણા વધુ-વધુ વિશુદ્ધ હોવાથી એવો જ ક્રમ છે. હવે આ બતાવેલા સૂત્રો વડે શું કરવું ? તે કહે છે. • સૂચ-૩૯૭ : આ સાત fજા તથા સાત પાનૈષણામાંથી કોઈપણ એક પ્રતિમાને ઘારણ કરનાર મુનિ એવું ન કહે કે, આ બધાં સાધુઓએ મિસ્યારૂપથી પ્રતિમા અંગીકાર કરી છે, હું એકલો જ શુદ્ધ પ્રતિમાને વહન કરું છું. પિરંતુ તે એમ કહે કે જે સાધુ ભગવંતો આ પ્રતિમા સ્વીકારીને વિચારે છે અને જે હું પણ આ પ્રતિમાને સ્વીકારીને વિચારું છું તે બધાં જિનાજ્ઞામાં ઉધત છે તે અન્યોન્ય સમાધિસહ વિચરે છે. આ જે તે સાધુ-સાદડીની સમગ્રતા - સાધુપણું છે. • વિવેચન : આ રીતે આ સાd furror કે પાવૈષણામાંની કોઈ પણ પ્રતિજ્ઞા સ્વીકાતાર મુનિ એમ ન બોલે કે, બીજા સાધુઓ સમ્યક રીતે પિંડ-એષણાદિ અભિગ્રહો પાળતા નથી, હું એક જ બરાબર પાળે છે, તેથી મેં જ વિશદ્ધ અભિગ્રહ કર્યો છે, આ કોઈએ નહીં. આ રીતે ગચ્છનિર્ગતુ કે ગયછવાસીને સમર્દષ્ટિએ જોવા. પણ ઉત્તરોત્તર પિંડએષણાના ધારકે ગચ્છવાસી સાધુએ પૂર્વ-પૂર્વની પિંડ-એષણાના પાકને દૂષિત ન સમજવા. ત્યારે શું કરવું તે કહે છે આ જે સાધુઓ પિંડ-એષણાદિ વિશેષ અભિગ્રહો ધારણ કરીને ગામ-ગામ વિચરે છે અને હું જે પ્રતિજ્ઞાને ધારણ કરીને વિચારે છે. તેથી અમે બધાં જિનાજ્ઞામાં કે જિનાજ્ઞા વડે અeગુઘત વિહાર કરનારા સંવૃત છીએ. તેઓ બધાં એકબીજાને સમાધિ વડે જે ગયછમાં જેને સમાધિ બતાવી હોય તેને તે પાળે. કેમકે ગચ્છવાસીને સાતે પ્રતિજ્ઞા પાળવાની છે, ગચ્છનિતિોને પહેલી બે સિવાયની પાંચનો અભિગ્રહ છે, તે વડે તેઓ પ્રયત્ન કરે, તે પ્રમાણે તે પાળીને વિચરતા હોય તે બધા જિતેશરની આજ્ઞા ઉલ્લંઘતા નથી. કહ્યું છે કે, “કોઈ બે વરુ, કોઈ ત્રણ, કોઈ ઘણાં વસ્ત્ર અને કોઈ વસ્ત્રરહિત વિયરે છે, તો પણ તે પરસ્પર નિંદા ન કરે કેમકે તે બધાં જિનાજ્ઞામાં છે.” આ સાધુસાધ્વીનો સંપૂર્ણ ભિલુભાવ છે - કે પોતાના અભિમાનનું વર્જન કરવું. ચૂલિકાન, અધ્યયન-૧ “fપ ઉપUT'' ઉદ્દેશા-૧૧નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર છે શ્રુતસ્કંધ-૨, ચૂલિકા-૧, અધ્યયન-૨ છે 0 પ્રથમ અધ્યયન કહ્યું. હવે બીજું કહે છે. તેનો સંબંધ આ રીતે-અધ્યયન૧માં ધર્મના આધારસ્પ શરીરની પ્રતિપાલનાયૅ પહેલા પિંડ ગ્રહણ વિધિ કહી. તે પિંડ લઈને જ્યાં ગૃહસ્યો ન હોય તેવા સ્થાનમાં ભોજન કર્યું. તેથી સ્થાનના ગુણ-દોષ બતાવવા આ બીજું અધ્યયન કહે છે. આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુયોગદ્વારા કહેવા. તેમાં નામનિષ્પક્સ નિફોપે ‘શઐષણા' નામ છે. તેનો નિક્ષેપો કQામાં જ્યાં fપવા નિયુક્તિ સંભવે છે, ત્યાં પ્રથમ ગાથા વડે અને બીજી આ નિયુકિતઓને યથાયોગ સંભવતી બીજી ગાથા વડે પ્રગટ કરીને બીજી ગાથા વડે શસ્યા શબ્દના છ નિક્ષેપાના વિચારમાં નામ સ્થાપના છોડીને નિક્તિકાર કહે છે [નિ.3૦૧] દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ એ ચાર પ્રકારે શય્યા છે. તેમાં દ્રવ્ય શસ્યા અહીં પ્રસ્તુત છે, તે દશવિ છે, તે દ્રવ્યશય્યા કેવી છે ? સંયતોને યોગ્ય એવી શમ્યા જાણવી જોઈએ. દ્રવ્યશય્યા કહે છે [નિ.૩૦૨] દ્રવ્યશય્યા ગણ પ્રકારે છે. સચિતા, અયિતા, મિશ્રા. તેમાં સચિવાપૃથ્વીકાયાદિ, અયિતા-પ્રાસક પૃવી, મિશ્રા - અર્ધપરિણિત પૃથ્વી અથવા સયિતશય્યાનું વર્ણન નિર્યુક્તિકાર પોતે જ હવે કરે છે. ત્રશસ્યા તે જે ગામ આદિમાં શય્યા કરાય છે. કાળશચ્યા તે જે ઋતુબદ્ધ કાળમાં શય્યા કરાય, દ્રવ્યશય્યા કહે છે. [નિ.303] દ્રવ્યશય્યાને એક દષ્ટાંતથી સમજાવે છે - (સંક્ષેપમાં) એક અટવીમાં ઉકલ અને કલિંગ નામે બે ભાઈઓ હતા. તે ચોરી કરતા. તેમને વઘુમતી નામે બેન હતી. ત્યાં ગૌતમ નામે નિમિતક આવ્યો વઘુમતીએ કહ્યું આ આપણી પલ્લીનો વિનાશ કરશે, બહેનના કહેવાથી ભાઈઓએ તેને કાઢી મૂકયો. નિમિતક તેના પર હેપી બન્યો અને પ્રતિજ્ઞા કરી કે વસુમતીનું ઉંદર ચીરીને હું તેમાં સુઈશ. આ જ કથામાં વૃત્તિકારે બીજા આચાર્યનો મત ટાંકીને પણ આ દૃષ્ટાંત રજૂ કરેલ છે - x • x • x • એ રીતે ગૌતમ વસુમતીના ઉદર પર સુતો તે સચિત્ત દ્રવ્યશા. [નિ.૩૦૪] હવે ભાવશય્યા કહે છે - તે બે પ્રકારે છે. કાયવિપયા અને છે ભાવવિષયા. તેમાં જે જીવ ઔદયિકાદિ ભાવમાં જે કાળે વર્તે તે તેની છ ભાવરૂપ ભાવશય્યા છે, કેમકે શયન તે શય્યાસ્થિતિ છે. તે જ પ્રમાણે જે જીવ આી વગેરેની કાયામાં ગર્ભપણે રહેલો છે તે જીવને સ્ત્રી વગેરેની કાયા ભાવશય્યા છે કેમકે આ આદિની કાયામાં સુખમાં, દુ:ખમાં, સુતા, ઉઠતા તે જીવ તેની અંદર રહેલી બધી અવસ્થાવાળો થાય છે, માટે તે કાયસંબંધી માવસ્યા છે. અધ્યયનો બધો અધિકાર શસ્યા સંબંધી છે, હવે ઉદ્દેશાર્ક અધિકાર બતાવવા કહે છે વિ.૩૦૫] આ બધા એટલે ત્રણે ઉદ્દેશા જો કે શસ્યા વિશુદ્ધિ કરનાર છે, તો પણ તે દરેકમાં કંઈક વિશેષ છે, તે હું કંઈક કહીશ. ૬ ચૂલિકા-૧, અધ્યયન-૧નો ટીકાનુવાદ પૂર્ણ ક્ર * * * * * * * * * * * * * * * * * * * 2િ/11]
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy