SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮/૫૬૬ થી ૫૬૯ ૧૭૫ પામ્યા છે, તેની નીકટ મૃગના હનનથી તેમ થાય તેવું વિચાર્યું. મંદ પુણ્ય, રસ મૂર્જિત, હનનશીલ એવા મારા વડે. તેથી ઘોડાને છુટા કર્યો. તે અણગારને કહ્યું કે - હું સંજય નામે રાજા છું, ઉચિત પ્રતિપત્તિથી ચરણમાં વંદના કરી, આ અતિ આદર બતાવવા કહ્યું છે. કેમકે તેમના પગ પણ સ્તવનીય છે. હે ભગવન! આ મૃગયારૂપ મારો અપરાધ ક્ષમા કરો. ત્યારે વચનના નિરોધ રૂપ મનથી ગર્દભાલી આણગાર ધર્મધ્યાનમાં રહેલા હોવાથી કંઈ બોલ્યા નહીં કે - હું ક્ષમા કરું છું કે નથી કરતો. ત્યારે તેમના પ્રતિવચનના અભાવમાં આ અવશ્ય ક્રુદ્ધ છે, તેથી મારે સાથે કઈ બોલતા નથી એમ વિચારીને રાજા સંજય અતી ભયભીત થયો કે હું જાણતો નથી કે આ ક્રુદ્ધ અણગાર શું કરશે? ત્યારે તે બોલ્યો કે હું સંય નામે રાજા છું - *- ભગવના મારી સાથે કંઈક તો વાત કરો. ભયથી ત્રસ્ત તે બોલ્યો કે - ક્રોધયુક્ત થયેલા મુનિ તેજલેશ્યાદિ વડે કરોડો મનુષ્યોને ભસ્મસાત્ કરી દે છે. તેથી હું ઘણો જ ડરી ગયેલો છું. આ જ વાતનો નિર્યુક્તિકાર કહે છે - • નિયુક્તિ - ૩૯૮ થી ૪૦૧ + વિવેચન - ઘોડા ઉપર બેસેલો રાજા તેને જોઈને સંભ્રમથી ત્યાં આવ્યો. બોલ્યો કે- અરેરે! હું આ કષિ વધથી લેપાયો. ઘોડાને છોડીને તે સાધુની પાસે આવ્યો. વિનયથી વંદન કરીને અપરાધની ક્ષમા માંગી. મૌન રહેલા તે અણગારે રાજાને જવાબ ન આપ્યો. તેમના તપ તેજથી ડરેલા રાજાએ આ પ્રમાણે કહ્યું - હું કાંપિલ્યપુરનો અધિપતિ રાજા સંજય છું. હું આપના શરણે આવેલો છું, મને તમારા તપ-તેજથી બાળશો નહીં. • સૂત્ર - ૫૭૦ થી ૫૭૬ - (૫૭૦) સાધુએ કહ્યું- હે રાજા તને અભય છે. તે પણ અભયદાતા બન. આ અનિત્ય જીવલોકમાં તું ફેમ હિંસામાં સંલગ્ન છે. (૫૧) બધું છોડીને જ્યારે તારે અવશ્ય લાચાર થઈને જવાનું છે, તો આ અનિત્ય જીવલોકમાં તું કેમ રાજ્યમાં આસક્ત થાય છે? (૫૭૨) રાજન ! તું જેમાં મોરમુગ્ધ છે. તે જીવન અને રૂપ વિજળીની ચમક માફક ચંચળ છે. તું પ્રત્યાર્થને સમજતો નથી. (૫૭૩) સ્ત્રી, પુત્ર, મિત્ર, બંધુજન આવતાની સાથે જ જીવે છે, કોઈ પણ મૃત વ્યક્તિની પાછળ જતાં નથી. (૫૭૪) પરમ દુ:ખ સહિત પુત્ર પોતાના મૃત પિતાનું નીરણ કરે છે. તે પ્રમાણે જ પુત્રને પિતા અને ભાઈને ભાઈ બહાર કાઢે છે. તેથી હે રાજ! તું તપનું આચરણ કર. (૫૫) મૃત્યુ પછી, તે મૃત વ્યક્તિ દ્વારા- અર્જિત ધન અને સારી રીતે રાખેલ નીઓનો હૃષ્ટ, તુષ્ટ, અલંકૃત થઈને બીજ ઉપભોગ કરે છે. (૫૭૬) જે સુખ કે દુઃખના કર્મો જે વ્યક્તિએ કરેલા છે. તે તેના તે જ કર્મો સાથે પરભવમાં જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy