SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪/૪૬૮, ૪૬૯ ૧૪૧ પરંતુ કોઈને મૃત્યુ સાથે મળી નથી, તેના આભાવ જ્ઞાનથી પલાયન થઈ શક્તા નથી. તેથી આજે જ યતિ-ધર્મનો સ્વીકાર કરીશું. તે જ ફળની ઉપમાના દ્વારથી દશવિ છે - આ ધર્મને સ્વીકારીને ફરી જન્મ લેવો નહીં પડે, કેમકે તેના નિબંધન રૂપ કર્મો દૂર થયા છે, આ જરા મરણાદિના અભાવ યુક્ત છે. આ મનોરમ વિષય સુખ આદિ અનાદિ સંસારમાં પૂર્વે ઘણી વાર પ્રાપ્ત કર્યા છે. તેને માટે ઘેર રહેવું યુક્ત નથી. અથવા આગતિ રહિત બીજું કંઈ નથી. કેમકે આનું અવસ્થન ધ્રુવભાવિપણે છે. જ્યાંથી પાછું આવવું ન પડે તેવું બીજું કોઈ સ્થાન નથી. તેથી આલોક-પરલોકમાં શ્રેય પ્રાતિ નિમિત્ત અનુષ્ઠાનની જ શ્રદ્ધા આપણે કરવી યુક્ત છે. તેથી સ્વજનની આસક્તિ રૂપ રાગને દૂર કરીએ, કેમકે તત્વથી કોણ કોનું સ્વજન છે અથવા નથી. - X - X - તેના વચન સાંભળીને પુરોહિત વ્રતગ્રહણ પરિણામ ઉત્પન્ન થતા, બ્રાહ્મણીને ધર્મવિજ્ઞકારણિ માનીને આમ કહે છે - • સૂત્ર - ૪૭૦, ૪૭૧ - હે વાશિષ્ઠિા પુત્રો વિના આ ઘરમાં મારો નિવાસ થઈ શકશે નહીં, ભિક્ષાવાયનો કાળ આવી ગયો છે. વૃક્ષ શાખાણી જ સુંદર લાગે છે. શાખા કપાઈ ગયા પછી તે માત્ર ઠંડું કહેવાય છે. પાંખો વિનાના પક્ષી, યુદ્ધમાં સેના સહિત રાજા, જહાજ ઉપર ધન રહિત વ્યાપારી જેમ સહાય હોય છે, તેમ જ પત્રો વિના હું અસહાય છું. • વિવેચન - ૪૭૦, ૪૭૧ - પ્રહીણપુત્ર - જેનાથી બંને પુત્રો દૂર થયાં છે તે. અથવા પુત્રથી ત્યજાયેલો એવા મને ઘરમાં રહેવું નહીં ગમે, હે વાણિષ્ટિા વશિષ્ટ ગોત્રમાં ઉત્પન્ન થયેલી હવે ભિક્ષા ગ્રહણ, ઉપલક્ષણથી વ્રત ગ્રહણનો કાળ આવી ગયો છે. એ પ્રમાણે કેમ? જેમ વૃક્ષ શાખા વડે જ સ્વાધ્ય પામે છે. છેદાયેલી શાખા વડે તે જ વૃક્ષને લોકો ઠુંઠા રૂપે ઓળખે છે. કેમકે શાખાઓ જ તેના શોભા સંરક્ષણમાં સહાયક હોવાથી વૃક્ષ માટે સમાધિનો હેતુ છે, એ પ્રમાણે મને પણ આ બંને પુત્રો સમાધિનો હેતુ છે, તેમના વિના હું પણ ઠુંઠા સમાન જ છું. તેમના વિના ઘેર રહીને શું? પક્ષ - પડતાં ને રક્ષણ રૂપ તે પાંખો, તેનાથી હિત અથતિ જેમ આ લોકમાં પક્ષીઓ પાંખો વિના પલાયન થવા અસમર્થ હોવાથી બિલાડા આદિથી અભિભૂત થઈ જાય છે. તથા જે પ્રમાણે પદાતી સૈન્ય રહિતનો રાજા સંગ્રામમાં શત્રુજનોથી પરાજિત જ થાય છે. તથા જેમ હિરણ્ય, રન આદિ જેના વિનાશ પામ્યા છે તેવા વણિફ સાંયાત્રિક વહાણ ભાંગી જતા થઈ જાય છે અને સમુદ્ર મધ્યે વિષાદ પામે છે. તેમ હું પુત્રથી ત્યજાતા થઈ જઈશ. ત્યારે વાશિષ્ટીએ કહ્યું - સૂત્ર - ૪૨ - સુસંગૃહીત કામભોગ ૨૫ ઘર વિષયરસ જે આપણને પ્રાપ્ત થયેલ છે, તેને પહેલાં કચ્છનુરૂપ ભોગવી લઈએ ત્યારપછી આપણે મુનિધર્મના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy