SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ અધ્ય. ૬ ભૂમિકા પણ બલ અને વાહન સહિત ચૂર્ણ કરવામાં સમર્થ છે. બકુશ - શરીર, ઉપકરણ વિભૂષાનુવર્તી છેદ શબલ ચાસ્ત્રિયુક્ત. તે પાંચ ભેદે છે - આભોગ બકુશ, અનાભોગ બકુશ, સંવૃત્ત બકુશ, અસંવૃત્ત બકુશ અને યથાસૂક્ષ્મ બકુશ. આભોગ - જે જાણતાં કરે, અનાભોગ- અજાણતા કરે, સંવૃત્ત-મૂલ ગુણાદિમાં, અસંવૃત્ત- તેમાં જ યથાસૂક્ષ્મ - આંખથી ચપડા કે શરીરથી ધૂળને દૂર કરે. કુશીલ બે ભેદે છે. પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ, જ્ઞાનાદિ પાંચમાં કુત્સિત શીલવાલો તે કુશીલ. સખ્યમ્ આરાધનાથી વિપરીત તે પ્રતિસેવના તે જ્ઞાનાદિ પાંચમાં હોય. કષાયકુશીલ તે જ્ઞાનાદિ પાંચમાં કષાયોથી વિરાધના કરે છે તે. નિર્ચન્થ - અત્યંતર અને બાહ્ય ગ્રંથીથી નિર્ગત, તે તે ઉપશાંત કષાયી કે ક્ષીણ કષાયી. તે પાંચ ભેદે છે. પ્રથમ સમય નિર્ચન્હ, અપ્રથમ સમય નિગ્રન્થ. અથવા ચરમ સમય નિર્ચન્હ, અચરમ સમય નિર્ચન્થ અને યથાસૂમ નિર્ચન્થ. અંતર્મુહુર્ત નિગ્રન્થ કાળ સમય રાશિમાં પહેલાં સમયમાં વર્તતાને પ્રથમ સમય નિર્ચન્થ. બાકીના સમયમાં વર્તતો તે અપ્રથમ સમય નિર્ચન્થ. એ જ રીતે અંતિમ સમયમાં તે ચરમ, આદિ અને મધ્યમાં તે અચરમ, યથાસૂક્ષ્મ - આ બધામાં વર્તતા. - મોહનીય આદિ ધાતી ચાર કર્મના અપગમથી સ્નાતક કહેવાય. તે પાંચ ભેદે છે-(૧) અચ્છવિ- અવ્યથક, (૨) અશબલ- એકાંત શુદ્ધ, (૩) અકસ્મશ- જેમાંથી કમશિચાલી ગયેલ છે તે(૪) સંશદ્ધ જ્ઞાન-દર્શનમાં ધારણ કરે છે તે સંશુદ્ધ જ્ઞાનદર્શન ઘર. (૫) અરહંત જિન કેવલી - પૂજાને યોગ્ય તે અરહ, જેને રહસ્ય વિધમાન નથી તે અરહા - કષાય જિતવાથી જિન. આ પાંચ ભેદે સ્નાતક કહેલાં છે. ૦ ભાષ્ય • ૩ થી ૧૬ પુલાક, બકુશ, કુશીલ, નિર્ગસ્થ અને સ્નાતક એ પાંચ ભેદો કહ્યા છે. તેમાં પુલાક બે ભેદે છે - લબ્દિપુલાક અને આસેવનપુલાક લબ્ધિપુલાક સંઘાદિ કાર્યમાં લબ્ધિવિર્વે. આસેવન પુલાક પાંચભેદે છે - જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, લિંગ અને યથાસૂમ. જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિરાધનાથી અસાર કરે, લિંગપુલાક તે નિષ્કારણ વેશને કરે અને મનથી અકલ્પિતાદિને સેવે તે યથાસૂમ. બાકુશિકને શરીર અને ઉપકરણ બે ભેદથી જાણવા. ઇત્યાદિ - - - - x નિર્યુક્તિ- ૨૩૮ની વ્યાખ્યા મુજબ જાણવું. તેમને સંયમ, કૃત, પ્રતિસેવના, તીર્થ, લિંગ, વેશ્યા, ઉપપાત સ્થાનના વિકલ્પથી સાધવા. આ પુલાક આદિ પાંચ નિગ્રન્થ વિશેષ છે તે સંયમાદિ અનુગમ વિકલ્પો વડે સાબિત થાય છે તેમાં સંયમમાં પુલાક, બકુશ, કુશીલ એ ત્રણે પણ સામાયિક અને ' છેદોપસ્થાપનીયમાં છે. કષાય કુશીલો પરિહાર વિશુદ્ધિ અને સૂક્ષ્મ સંપરામાં આવે. પ્રજ્ઞમિમાં કહે છે - કષાયકુશીલની પૃચ્છા - સામાયિક સંયમમાં હોય ચાવતુ સૂક્ષ્મ સંપરાય સંયમમાં હોય. પણ યથાખ્યાત સંયમમમાં ન હોય. નિર્ચન્થ અને સ્નાતક બંને યથાખ્યાતમાં હોય. પુલાક, બકુશ, પ્રતિસેવના કુશીલ ઉત્કૃષ્ટથી અભિન્ન દશ પૂર્વધર હોય, કસાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009028
Book TitleAgam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy