SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/૧૪૮ સૂત્ર - ૧૪૮ - કેટલાંક ભિક્ષુની અપેક્ષાએ ગૃહસ્થો સંયમમાં શ્રેષ્ઠ હોય છે. પણ શુદ્ધાચારી સાધુજન બધાં ગૃહસ્થો કરતાં સંયમમાં શ્રેષ્ઠ હોય છે. ૦ વિવેચન ૪. - કોઈ કુપ્રાવચની ભિક્ષુ કરતાં ગૃહસ્થો - દેશ વિરતિ રૂપ સંયમથી પ્રધાન હોય છે -x-x- પરંતુ અનુમતિ વર્જિત બાકી સર્વોત્તમ દેશવિરતિ પ્રાપ્ત કરેલી છતાં સાધુઓ તે ગૃહસ્થોથી વધુ સંયમી છે કેમકે તેમને પરિપૂર્ણ સંયમ છે. તેથી વૃદ્ધ સંપ્રદાય કહે છે · એક શ્રાવક, સાધુને પૂછે છે કે - શ્રાવક અને સાધુમાં શું અંતર છે? સાધુ એ કહ્યું - સરસવ અને મેરુ જેટલું. તેથી વ્યાકુળ થઈને તે ફરી પૂછે છે - કુલિંગી અને શ્રાવકોમાં કેટલું અંતર છે? તે પણ સરસવ અને મેરુ જેટલું છે. તેનાથી સમ્યક્ અશ્વાસિત થયો. - x - આના વડે તેમનો ચાસ્ત્રિ અભાવ દર્શાવીને પંડિત મરણના અભાવનું સમર્થન કર્યું છે. (શંકા) કુપ્રાવયની ભિક્ષુ પણ વિચિત્ર વેશ ધારી છે. તેનાથી ગૃહસ્થો વધુ સંયમી કેમ? તે કહે છે - ૦ સૂત્ર - ૧૪૯ દુરાચારી સાધુને વાં, અજિનયમ, નગ્નત્વ, જટા, ગોદડી, શિરો મુંડન આદિ બાહ્યાચાર દુર્ગતિથી બચાવી ન શકે. – વિવેચન ૧૪૯ ચીર - વસ્ત્રો, અનિ - મૃગચર્મ આદિ, નગ્નતા, જટાપણું, સંઘાટી - વસ્ત્ર સંહતિ જનિન, મુંડી - શિખા પણ સ્વસિદ્ધાંતથી છેદેલ હોય. તેથી મુંડિત્વ, એ પ્રમાણે સ્વ-સ્વ પ્રક્રિયા વિરચિત વ્રતી-વેષ રૂપો. ગૃહસ્થો પાસે શું છે? આ બધું દુષ્કૃત કર્મવાળાને ભવથી રક્ષણ ન આપે. કેવા સ્વરૂપનું આ? દુરાચાર કે પ્રવ્રજ્યા પર્યાય પ્રાપ્ત. અથવા દુષ્ટશીલંરૂપ પર્યાયથી આવેલ, પણ ક્યાય ક્લુષ ચિત્તથી બાહ્ય બગલા વૃત્તિ કષ્ટ હેતુ પણ નરકાદિ કુગતિ નિવારવા પુરતા નથી. માત્ર વેશ ધારણાદિથી વિશિષ્ટ હેતુ સરતો નથી. ગૃહાદિનો અભાવ છતાં તેમની દુર્ગતિ કેમ કહી? . ૨૦૫ Now Jain Education International - - સૂત્ર - ૧૫૦ - ભિક્ષાવૃત્તિક પણ જો દુશીલ હોય, તો તે નથી મુક્ત થઈ શક્તા નથી. ભિક્ષુ હોય કે ગૃહસ્થ, પણ જો તે સુવતી હોય તો સ્વર્ગમાં જાય છે. ♦ વિવેચન ૧૫૦ - પિંડ • ઘેર ઘેરથી લાવીને એકઠું કરેલ, તેને સેવનાર. જે સ્વયં આહારના - w અભાવથી પરદત ઉપજીવી છે તે પણ. જો પૂર્વવત્ દુઃશીલ હોય, પોતાના કર્મોથી ઉપસ્થાપિત થઈને સીમંતકથી મૂકાતા નથી. અહીં તેવા પ્રકારના દ્રમકનું દૃષ્ટાંત છે - રાજગૃહીમાં એક પિંડાવલગ ઉધાનિકામાં રહેલાં લોકો પાસેથી ભિક્ષા લેતો, તેને કોઈએ કંઈ ન આપ્યું. તેણે નજીકના પર્વને ચડીને મોટી શિલાને હલાવી, આ બધાંની ઉપર હું નાંખું, એમ રોદ્રધ્યાયી થઈ, શિલા છૂટી જતાં તેની નીચે તેની જ કાયા ચૂર્ણ થઈ જતાં, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009028
Book TitleAgam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy