SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૩, ૯૪ ૧૧૫ ચૈત્યસ્તૂપે રહેલ કાગડા, ભિંત ઉપર રહેલ આતપ, હે સખી ! લોકો નિદ્રાનો ત્યાગ કરતા નથી. આમ કહીને પોતાનું દુઃખિતપણું પ્રગટ કરે છે. તે બ્રાહ્મણી પણ પતિના વિરહથી દુઃખિત થઈ. સત્રિમાં નિંદ્રાને ન પામી, એ પ્રમાણે માગધિકા - અર્થ છે. પછી તેણીને તે પુત્રી સાંભળીને માગધિકાને પ્રતિ ભણે છે તે આ પ્રમાણે - • નિયુક્તિ - ૧૩૬ + વિવેચન - તમે જ હે માતા ! શિક્ષા સમયે કહેતા હતા કે - વિમનસ્ક થતી નહીં. વિમુખ થતાં ચક્ષ આવ્યો. યક્ષાહતક ખરેખર પિતા હતા. હવે અન્ય તાતની શોધ કર, એ માગધિકા અર્થ છે. પછી તે બ્રાહાણી આ પ્રમાણે કહે છે - ૦ નિર્વત્તિ - ૧૭ + વિવેચન - જે કન્યાને નવ માસ કુક્ષિમાં ધારણ કરી, જેણીના મળ અને મૂત્રનું મર્દન કર્યું (મળ-મૂત્ર ચુંથ્યા) તે પુત્રીએ જ મારા પતિને હરી લીધો. એ હેતુથી જ ચોરી લીધો. શરણ જ અશરણ થયું, મને અપકારી થયા. - અથવા - એક બ્રાહ્મણે તળાવ ખોદાવ્યું, ત્યાં જ પાળીના દેશાભાગે દેવકુલ અને આરામ તૈયાર કરાવ્યા. ત્યાં તેણે યજ્ઞ શરૂ કર્યો. જ્યાં બકરીને મારી નંખાય છે. અન્ય કોઈ દિવસે તે બ્રાહ્મણ મૃત્યુ પામ્યો અને બકરારૂપે જખ્યો. તે બકરાને તે બ્રાહ્મણના પોતાના પુત્રો વડે જ ગ્રહણ કરાયો. તે જ તળાવમાં યજ્ઞમાં મારવાને માટે લઈ જવાયો. લઈ જવાતા એવા તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પોતાની ભાષામાં તે બકરો - બેં કરતો, પોતે જ વિચારે છે કે જે મારા વડે જ મેં પ્રવર્તાવ્યો એ પ્રમાણે વિલાપ કરતાં બકરાને કોઈ એક અતિશયડાની સાધુએ જોયો. તે સાધુ આ પ્રમાણે બોલ્યા - • નિર્યુક્તિ - ૧૩૮ + વિવેચન - સ્વયં જ વૃક્ષોને તમે રોપ્યા. પોતે જ તળાવ ખોદાવ્યું. પ્રાર્થિતના પ્રાપ્તની ઉપર દેવો વડે દેવાયોગ્યની યાચના કરી. તેના વડે અવસર પ્રાપ્ત થયો. તે જ ઉપયાચિત લબ્ધક તું છે. તો પછી હે બકરા ! હવે તું શા માટે બેં-બેં કર્યા કરે છે ? આરટે છે. એ માગધિકાનો અર્થ છે. ત્યાર પછી તે બકરો, સાધુના કથનને સાંભળીને મૌન થઈને રહ્યો. તે બ્રાહ્મણ પુત્રોએ વિચાર્યું કે - આ પ્રવ્રુજિત વડે એવું શું બોલાયું કે - જેનાથી આ બકરો મૌન થઈને રહેલો છે. ત્યાર પછી તેણે તે તપસ્વી સાધુને પૂછ્યું - ભગવન્! આ બકરો આપના વડે કંઈક કહેવાતા જ મૌન કેમ થઈ ગયો ? સાધુએ તેને કહ્યું કે - આ જ તારો પિતા છે, કઈ રીતે જાણવું? કે જેથી મને પણ ખબર પડે. તે બકરાએ પૂર્વભવમાં પુત્રની સાથે નિધાન દાટેલ, ત્યાં જઈને બંને પગવડે ખટુ ખ કરવા લાગ્યો. તેનાથી બ્રાહમણ પુત્રએ જાણીને બકરાને મુક્ત કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009028
Book TitleAgam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy