SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ઉપાર્જન થાય. [૩૩] જે સર્વ દાનાદિ સ્વ-પર હિત માટે આચરવામાં આવે તો અપરિમિત, મહા ઉંચા ભારે, નિરંતર ગાઢ પાપ-કર્મોનો ઢગલો પણ ક્ષય પામે. સંયમ તપના સેવનથી લાંબા કૂળના સર્વે પાપ કર્મો વિનાશ પામે છે. ૩િ૪૦ થી ૩૪] જો સમ્યક્તની નિર્મળતા સહ કર્મ આવવાના દ્વારો બંધ ક્રીને જ્યારે જ્યાં અપ્રમાદી બને ત્યારે ત્યાં બંધ અ૫ રૈ ને ઘણી નિજા રે. આશ્રવ દ્વાર બંધ ક્રીને, જિનાજ્ઞા ન ખંડે, જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિમાં દઢ બને ત્યારે પૂર્વ બદ્ધ સર્વ ર્મો ખપાવે, અલ્પસ્થિતિક ર્મ બાંધે, અનુદિત કર્મ પણ ઘોર ઉપસર્ગ પરીષહ સહી ઉદીરણા ક્રી ક્ષય રે અને કમને જીતે. આ રીતે આશ્રવના કારણો રોકી, સર્વ આશાતના તજીને, સ્વાધ્યયન-ધ્યાન યોગોમાં તેમજ ધીર-વીર તપમાં લીન બને. સંપૂર્ણ સંયમ ત્રિવિધે પાલન રે, ત્યારે ઉત્કૃષ્ટ બંધ ન કરે અને અનંત ગણી કર્મ નિર્જરા રે. [૩૪૫ થી ૩૪૮] સર્વ આવશ્યક ક્રિયામાં ઉધમવંત બનેલ, પ્રમાદ-વિષય-રાણકષાયાદિના આલંબન રહિત બાહ્યાવ્યંતર સર્વ સંગથી મુક્ત, રાગ દ્વેષ મોહ રહિત, નિયાણા વગરનો જયારે થાય, વિષયોના રાગથી નિવૃત્ત થાય, ગર્ભ પરંપરાથી ભય પામે, આશ્રવ દ્વાર રૂંધી ક્ષમાદિ યતિ ધર્માદિમાં રહેલો હોય, તે શુક્લ ધ્યાનની શ્રેણીમાં આરોહણ ક્રી શેલેશીકરણને પામે છે, ત્યારે લાંબાકાળનું બાંધેલ સમગ્ર કર્મ બાળીને ભસ્મ રે, નવું અલ્પ કર્મ ન બાંધે, ધ્યાન યોગ અગ્નિમાં પાંચ હૃસ્વાક્ષર કમાં ભવ સુધી ટક્નાર બધાં કર્મ બાળીને ભસ્મ ક્રી દે છે. ૩િ૪૯, ૩૫o] આ પ્રમાણે જીવના વીર્ય અને સામર્થ્ય યોગે પરંપરાથી કર્મ ક્લક્તા ક્વચથી સર્વથા મુક્ત પ્રાણી એક સમયમાં શાશ્વત, પીડા-રોગ-જરા-મરણથી રહિત, જેમાં કોઇ દિવસ દુઃખ-દારિદ્ર ન હોય, શાશ્વત સુખ હોય તેવો મોક્ષ પામે. [૩૫૧ થી ૩૫ ગૌતમ ! એવા પણ પ્રાણીઓ છે, જેઓ આસવ દ્વારો બંધ ક્રીને, ક્ષમાદિ દશવિધ સંયમ સ્થાનાદિ પામેલા હોય તો પણ દુઃખ મિશ્રિત સુખ પામે છે. તેથી જ્યાં સુધી આઠે કર્મો ઘોરતપ અને સંયમથી બાળી ન નાંખે, ત્યાં સુધી જીવને સ્વપ્ન પણ સુખ ન હોય. જગતમાં બધાં પ્રાણીને વિશ્રાંતિ સહિત દુ:ખ સતત ભોગવવાનું હોય છે. એક સમય એવો નથી કે જેમાં આ જીવે આવેલ દુઃખ સમતાપૂર્વક સહન કર્યું હોય. [૩૫૪, ૩૫૫] કુંથુઆના જીવનું શરીર ક્વડું? હે ગૌતમ! તે તું વિચાર, નાનામાં નાનું, તેથી પણ અલ્પતર. તેમાં કંશુઆનો પગ કેવડો ? પગની અણી જેટલી અન્ય તમ. તેનો પણ ભાગ જો આપણા શરીરને સ્પર્શે કે કોઇના પણ શરીર ઉપર ચાલે તો પણ આપણને દુઃખનું કારણ બને. લાખો શુઆના શરીરો એક્કાં ક્રીને વજન ક્રો તો એક પલ ન થાય. તો એક કુંથુઆનું શરીર કેટલું માત્ર હોય ? એવા સૂક્ષ્મ કુંથુના પગની અણીના ભાગનો સ્પર્શ પણ સહન કરી શક્તો નથી અને તે સ્પર્શથી પૂર્વોક્ત અવસ્થા જીવો અનુભવે છે. તો હે ગૌતમ ! તેવા દુઃખ સમયે કેવી ભાવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy