SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૮ પ્રવેશે છે. ઈત્યાદિ - ૪ - પ્રવેશ પછી જે કૃત્ય છે, તે કહે છે - તે ભરતરાજાએ કાકણીરત્નને સ્પર્શે છે. શું વિશિષ્ટ છે, તે કહે છે - ચાર દિશામાં ચાર કોણ, બે ઉદઈ અને અધો, એ પ્રમાણે છ સંખ્યામાં તલ જેમાં છે તે. તે અહીં મધ્યખંડરૂપ છે. જે ભૂમિમાં અવિષમપણે રહે છે. બાર-નીચે, ઉપર, તીછ ચારે દિશામાં પ્રત્યેક ચારે ખૂમા જેમાં છે તે. કર્ણિકા-કોણ. અહીં ત્રણ ખૂણા મળે છે. તેમાં નીચે-ઉપર પ્રત્યેક ચારેના સભાવથી અષ્ટકર્ણિક, અધિકરણીસોનીનું ઉપકરણ, તેની જેમ સંસ્થિત, સમચતુરાત્વથી તેના જેવો આકાર છે. ધે તામાન કહે છે - આઠ સુવર્ણમાન છે, તેથી અષ્ટ સૌવર્ણિક. તેમાં સુવર્ણમાન આ પ્રમાણે છે - ચાર મધુર વૃણફળોનો એક શ્વેતસર્ષપ, સોળ શેતલપનો એક ધાન્યમાપફળ, બે ધાન્યમાપફળનો એક ગુંજ, પાંચ ગુંજનો એક કર્મમાષક, ૧૬-કર્મમાષકનો એક સુવર્ણ. આવા આઠ સુવર્ણ વડે એક કાકણીના નિut થાય છે. આ અધિકારમાં - આ મધુરતૃણફળાદિ ભરત ચકીના કાળના સંભવતા જ ગ્રહણ કરવા. અન્યથા કાળ ભેદથી તેનું વૈષમ્ય સંભવતા કાકણીરન બઘાં ચકીનું તુલ્ય ન થાય. આ કથન માટે અનુયોગદ્વાર વૃત્તિ અને સ્થાનાંગ વૃત્તિનો સાક્ષીપાઠ છે. • x • અહીં અંગુલ-પ્રમાણાંગુલ જાણવું. કેમકે બધાં ચકીના કાકણી આદિ રનોનું પ્રમાણ તુલ્ય છે વળી -x-x - અનુયોગ દ્વાર સૂત્રના બળથી ઉસેધાંગુલ પણ નિપજ્ઞ છે કોઈ વળી સાત એકેન્દ્રિયરનો સર્વે ચક્રવર્તીને આમાંગુલ વડે કહે છે અને બાકીના સાત પંચેન્દ્રિય રત્નો તે કાળના પુરષોચિત માનવી કહે છે. • x - આ ત્રણે પક્ષમાં સત્ય તો સર્વવિદ્ જાણે. • x - કાકણી રત્નને સ્પર્શીને શું કરે છે ? તે કહે છે – કાકણીરત્નને ચકવર્તી રાજાએ લઈ ૪૯ સુધી મંડલો આલેખ્યા, પછી પ્રવેશ કર્યો. તે મંડલો કેવા છે ? ચાર ગુલ પ્રમાણ માત્ર, એકૈકના ખૂણા ચાર અંગુલ પ્રમાણ વિઠંભવાળા છે. * * * આના સમયતરસત્વથી લંબાઈ અને વિકુંભ પ્રત્યેકના ચાર ગુલ પ્રમાણ જ થાય છે. જે ઉદર્વ કરાતા લંબાઈ થાય, તે જ તીછ ખાતા વિઠંભ થાય છે. - x • તેથી વિઠંભના ગ્રહણથી લંબાઈનું પણ ગ્રહણ જાણવું, કેમકે સમચતુરસ છે. એ પ્રમાણે બધે જ ચાર અંગુલ પ્રમાણ આ સિદ્ધ છે. અનુયોગદ્વાર સૂત્રમાં “એકૈક કોડી ઉસેધાંગુલ વિઠંભ, તે શ્રમણ ભગવનું મહાવીરનું અદ્ધગુલ" કહ્યું, તેને મતાંતર જાણવું, તથા આઠ સુવર્ણ વડે નિષ્પન્ન તે આઠ સુવર્ણ મૂલદ્રવ્ય વડે નિષ્પન્ન કહેવું. વિષ-જંગમાદિ ભેદ ભિન્ન, તેનું હરણ, કેમકે આઠ ગુણ સુવર્ણ મધ્ય વિષહરણ પ્રસિદ્ધ છે. આ તેવા સ્વામિય હતું. અતુલ-તુલા હિત અનન્ય સદંશ, ચાર ખૂણાના આકારે રહેલ, અધિકરણી દષ્ટાંતથી કહેવું. (શંકા) અધિકરણિ દટાંતને વિચારતા પૂર્વોક્ત ચાર આંગળ પ્રમાણ થશે નહીં, કેમકે અધિકરણની નીચેનો ભાગ સંકુચિત હોય - તે વિષમ ચતુર હોય છે. સમ પણ ન્યૂનાધિક છ તલ જેને છે તે આ જ કથન ચતુ શબ્દ ગભિત વાક્ય દ્વારા વિશેષથી કહે છે - જેથી કાકણી રનથી માનોન્માન યોગ-માન વિશેષ વ્યવહાર 2િ6/5]. જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ લોકમાં પ્રવર્તે છે. તેમાં માન-ધાન્યમાન સેતિકા કુડવ આદિ. સમાન-ચોસઠાદિ, ઉન્માન-કપિલાદિ ખાંડ-ગોળ આદિ દ્રવ્યમાન હતુ. ઉપલક્ષણથી સુવણદિ માન હેતુ પ્રતિમાને પણ ગુંજાદિ ગ્રહણ કરવું. તે વ્યવહારમાં શું વિશેષ છે ? સર્વ જનોના માપના દ્રવ્યોનું આટલું નિણયિક છે. અર્થાત્ જે રીતે હાલ આપ્તજન કૃત્ નિર્ણય અંકથી કુડવાદિમાનનો લોક વિશ્વાસ વ્યવહાર પ્રવર્તે છે. તેની જેમ ચક્રવર્તીકાળે કાકણીરને અંકિત તેના કાળ મુજબ જાણવું. શબ્દગર્ભ વાકયથી જ બીજું માહામ્ય કહે છે - ચંદ્ર ત્યાં અંધકારનો નાશ ન કરી શકે. સૂર્ય પણ નહીં, દીપ આદિનો અગ્નિ કે મણીઓ પણ ત્યાં તિમિરનો નાશ ન કરી શકે - x • x • તેવી અંધકારવાળી ગિરિ ગુફાદિમાં તક-કાકણીરન, દિવ્ય-પ્રભાવયુક્ત, અંધકાનો નાશ કરે છે. હવે તે કેટલા ક્ષેત્રને પ્રકાશે છે, તે કહે છે - બાર યોજન તેની લેગ્યા-પ્રભા વૃદ્ધિ પામે છે અથતુિ અમંદપણે પ્રકાશે છે. તે વેશ્યા કેવી છે? તિમિરના સમૂહને પ્રતિષેધ કરી તમિસા ગુફાના પૂર્વ-પશ્ચિમે બાર યોજન વિસ્તાર બંને બાજુ પ્રસરીને રહે છે. તે રન રાશિમાં પણ સર્વ કાળે રૂંધાવારમાં દિવસ જેવો પ્રકાશ કરે છે. જેવું દિવસે દેખાય તેવું જ રાત્રિમાં પણ દેખાય છે, જેના પ્રભાવથી ચક્રવર્તી તમિસા ગુફામાં પ્રવેશે છે. સૈનાસહિત બીજા અધભારત - ઉત્તર ભારતને જીતવા જાય છે. - X - X - રાજવર-ભરત કાકણીરત્ન લઈને તમિસા ગુફાના પૂર્વ અને પશ્ચિમ ભીંતોમાં યોજનના અંતરે પ્રમાણાંકુલ નિષ્પન્ન યોજનનો અંતરાલ છોડીને, અવગાહનાની અપેક્ષાથી ઉભેધાંગુલ નિષ્પન્ન ૫૦૦ ધનુષ વિડંભ, વૃત્તના ગ્રહણથી વિડંબ જેટલી જ લંબાઈ પણ જાણવી. એ રીતે ચકીના હાથથી કાકણીરત્ન વડે મંડલો કરાયા, આ મંડલ અવગાહ સ્વ-વ પ્રકાશ્ય યોજન મધ્ય જ ગણાય છે. અન્યથા ૪૯ મંડલોના અવગાહમાં ભેગા કરાયેલ ગુફાની ભીંતની લંબાઈ ઉકત પ્રમાણથી અધિકપમાણ થાય. - તેથી જ યોજન માત્ર ક્ષેત્ર પ્રકાશક કહ્યું. જેટલાં મંડલનું અંતરાલ, તેટલા મંડલ પ્રકાશ્ય ગુફાની ભીંતોગ જાણવું. ચકની પરિધિ, તેવા આકારે વૃત લેવું. ચંદ્રમંડલના ભાસ્વરવ સદેશ છે. ૪૯ મંડલો-ગોળ, સુવર્ણ રેખારૂપ, કેમકે કાકણીરત્ન સુવર્ણમય છે. આલેખતો-આલેખતો - વિન્યાસ કરતો ગુફામાં પ્રવેશે છે, તેમ જાણવું. અહીં વીણા વચન આમીશ્યને જણાવવા માટે છે. મંડલ આલેખનો ક્રમ આ છે – ગુફામાં પ્રવેશતો ભરત પાછળ આવતા લોકોને પ્રકાશ કરવાને માટે દક્ષિણ દ્વારમાં પૂર્વ દિશાના કમાડે પહેલું યોજન છોડીને પહેલું મંડલ આલેખે છે. પછી ગોમૂઝિકાક્રમે આગળ પશ્ચિમ દિકુ કમાડ ઉલ્કમાં ત્રીજા યોજનાદિમાં બીજું મંડળ આલેખે છે. એ રીતે • x • ચોથા યોજનની આદિમાં ત્રીજું મંડલ, પછી પશ્ચિમદિક ભીંતમાં પાંચમા યોજનાની આદિમાં ચોથું મંડલ * * * * * એ કમે ચાલતાં ઉત્તર દિશાના દ્વારે પશ્ચિમ દિશાના કમાડમાં પહેલાં યોજનની
SR No.009017
Book TitleAgam Satik Part 26 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy