SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ 1/10/-/43 થી 436 દૂર થાય છે. તેઓ કેવો ધર્મ કહે છે? હજુ-સરળ, જે વસ્તુનું જેવું સ્વરૂપ હોય તેવું નિરૂપણ કરીને. શાક્યો માફક સર્વ વસ્તુ ક્ષણિક છે, તેમ માનીને નહીં - કરેલાનો નાશ અને ન કરેલાનું આગમનાદિ માનીને નહીં. તેઓ પોતે છેદતા નથી પણ છેદનનો ઉપદેશ આપે છે. સિક્કા-ચાંદી વગેરે પોતે ન લે, પણ બીજા પાસે તેનો ક્રય-વિક્રય કરાવે છે. વળી સાંખ્યમતીઓ બધું અપચ્ચત, અનુત્પા, સ્થિર એક સ્વભાવવાળું નિત્ય માનીને તેથી કમબંધ અને મોક્ષનો અભાવ થતો જાણીને તે દોષથી બચવા પ્રગટ અને ગુપ્ત ભાવનો આશ્રય લીધો ઇત્યાદિ કુટિલભાવ છોડીને સરળ અને તથ્ય ધર્મ કહ્યો. તથા સમ્યમ્ સધાય તેવા મોક્ષ કે મોક્ષમાર્ગ પ્રતિ આત્મા જેના વડે યોગ્ય રીતે સ્થપાય તે ધર્મ વડે આ ધર્મસમાધિ કહી અથવા ધર્મ કહ્યો અને ધર્મધ્યાનાદિ | સમાધિ કહી. સુધમસ્વિામી કહે છે - તે ધર્મ કે સમાધિ ભગવંતે કહી છે, તે તમે સાંભળો. તે આ પ્રમાણે - જેને આ લોક કે પરલોકના સુખની આકાંક્ષા તપઅનુષ્ઠાન કરતાં ન હોય તે અપ્રતિજ્ઞ. ભિક્ષાથી નિવહ કરે તે ભિક્ષુ. તે જ પરમાર્થથી સાધુ છે, ધર્મ અને ધર્મસમાધિને પામેલો છે, જેને આરંભરૂપ પ્રાણીઓને દુઃખનું નિદાન ન હોય તે અનિદાન. એવે તે સાવધ અનુષ્ઠાન રહિત, સંપૂર્ણ સંયમ અનુષ્ઠાન પામે છે અથવા અનિદાન-અનાશ્રવરૂપ કમોંપાદાન રહિત સારી રીતે દીક્ષા પાળે અથવા નિયાણારહિત જ્ઞાનાદિમાં ચિત્ત રાખે અથવા નિદાના હેતુ કારણ જે દુ:ખના છે, તે છોડીને કોઈને દુઃખ ન આપે તે અનિદાન થઈ સંયમમાં પરાક્રમ કરે. [44] પ્રાણાતિપાત આદિ કર્મના નિદાનો [મૂળ] છે. આ પ્રાણાતિપાત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ભેદથી ચાર પ્રકારે છે. તેમાં ક્ષેત્ર પ્રાણાતિપાત કહે છે : સર્વ પ્રાણાતિપાત પ્રજ્ઞાપકની અપેક્ષાએ ઉર્વ-અધો-તીઈિ દિશામાં જાણવો. અથવા ઉદર્વઅધો- તિરૂપ ત્રણ લોકમાં તથા પૂર્વ આદિ દિશા-વિદિશામાં ફોગ-પ્રાણાતિપાત છે. દ્રવ્ય પ્રાણાતિપાત આ પ્રમાણે - ત્રાસ પામે તે બસ, તે બેઇન્દ્રિયાદિ છે. સ્થાવરો પૃથ્વીકાયાદિ છે. વડે પેટા ભેદ જાણવા. કાળ પ્રાણાતિપાત તે દિવસે કે રાત્રે જીવો હણવા તે. ભાવ પ્રાણાતિપાત કહે છે - આ પૂર્વોક્ત જીવોને હાથ-પગ વડે બાંધીને ઉપલાણથી આ જીવોને બીજી રીતે કદર્થના કરી દુ:ખ થાય, તેવું ન કરવું. અથવા એ જીવોને પોતાના હાથ-પગ સંયમમાં રાખી સંયતકાય થઈ ન હણે. 2 શબ્દથી ઉચ્છવાસ, નિઃશ્વાસ, ખાંસી, છીંક, વાતનિસગદિમાં સર્વત્ર મન-વચન-કાય કર્મથી સંયત થઈને ભાવસમાધિને પાળે તથા બીજાનું ન આપેલું ન ગ્રહણ કરે એમ કહી બીજ વ્રતને [પણ] સૂચવ્યું. અદત્તાદાનના નિષેધથી પરિગ્રહનો નિષેધ થાય છે. પરિગ્રહ વિના સ્ત્રી-સેવન ન થાય, એ રીતે મૈથુન નિષેધ પણ કહ્યો. બધા વ્રતના સમ્યક્ પાલનના ઉપદેશથી મૃષાવાદ પણ અર્થ નિષેધ કર્યો. [45] જ્ઞાન-દર્શન સમાધિને આશ્રીને કહે છે - જે સાધુ સારી રીતે શ્રુત 218 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ચા»િનામક ધર્મ કહે છે, તે “સ્વાખ્યાત ધમ' છે. એ રીતે જ્ઞાનસમાધિ કહી છે. કેમકે વિશિષ્ટ પરિજ્ઞાન વિના સ્વાખ્યાત ધર્મવ ન ઉદ્ભવે. - ચિતની શંકા કે વિદ્વાનોની નિંદા, તેને છોડીને “તે જ સત્ય છે, જે જિનેશ્વરોએ કહ્યું છે.” એવું નિશંકપણે માની મનમાં કોઈ શંકા ન લાવે. એ કથનથી દર્શનસમાધિ કહી. જે કંઈ પ્રાસુક આહાર, ઉપકરણ આદિ મળે તેનાથી વિધિપૂર્વક આત્માનું પાલન કરે તે નાજ, તે આવો થઈને સંયમ પાળે. વારંવાર જન્મે તે પ્રHT - પૃથ્વી આદિ જીવો. તેને પોતાના આત્મા સમાન માનીને સર્વે પ્રાણીને આત્મવત્ જુએ, તે જ ભાવસાધુ છે. કહ્યું છે કે - જેમ મને દુઃખ પ્રિય નથી તેમ બધાં જીવોને જાણીને તેમને ન હણે, ન હણાવે એમ સમભાવે વર્તે તે સમજ - શ્રમણ છે. જેમ મને કોઈ આક્રોશ કરે કે આળ ચડાવે તો દુઃખ થાય છે, તેમ બીજાને પણ થાય એવું માનીને પ્રજાજીવોમાં આત્મવત્ ભાવ રાખે. હું અસંયમ જીવનના અર્થી બની ઘણો કાળ સુખેથી જીવીશ એવા અધ્યવસાયથી કર્મનો આશ્રવ ન કરે તથા આહાર, ઉપકરણ આદિ કે ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ આદિ પરિગ્રહ ભાવિ સુખ માટે સારો તપસ્વી-વિકૃષ્ટતપથી કાયા શોષવનારો ભિક્ષુ સિંચય ન કરે. [46] વળી બધી ઇન્દ્રિયો અને સ્પર્શ આદિથી નિવૃત્ત થઈ જિતેન્દ્રિય બને. ક્યાં ? પ્રજ્ઞા - સ્ત્રીમાં, કેમકે તેણીમાં પાંચ પ્રકારે શબ્દાદિ વિષયો વિધમાન હોય છે તથા કહ્યું છે - યુવાન સુંદરીઓના વાક્યો કર્ણને પ્રિય છે, રૂપ જોવાનું રમ્ય લાગે છે, તે સુંદરીનો સ્પર્શ આશ્ચર્યકારી આનંદ આપે છે સ અને ગંધ ચુંબનથી આનંદ આપે છે. એ રીતે સ્ત્રીમાં પાંચે ઇન્દ્રિયોના વિષયના સંભવથી સર્વ ઇન્દ્રિયોમાં સંવૃત થવું. તે દશવિ છે– સંયમ અનુષ્ઠાનમાં રહેલ સાધુ બાહ્ય-અત્યંતર સંગથી વિશેષ મુક્ત અર્થાત્ નિઃસંગ કે નિકિંચન રહે. તે આવો સર્વ બંધનમુક્ત થઈ જુદા જુદા પૃથ્વી આદિ કાયોમાં સૂમ, બાદર, પયત, અપતિ તથા પ શબદથી વનસ્પતિકાયમાં સાધારણ શરીરમાં એકસાથે રહેલા અનંત જીવોને જુએ. તે કેવા છે ? અસાતા વેદનીયના ઉદયરૂપ દુ:ખી દુ:ખી છે અથવા દુ:ખ એટલે આઠ પ્રકારના કર્મોથી આd-પીડાતા સર્વ રીતે સંસાર કડાયા મધ્યે પોતાના કરેલા કર્મ ઇંધન વડે પકાવાઈ રહ્યા છે અથવા દુપ્રણિહિત ઇન્દ્રિયોના આdધ્યાન યુક્ત મન-વચન-કાયાથી પરિતાપ પામી રહ્યા છે, તે તું જો. * વળી - * સૂત્ર-૪૩૩ થી 480 :- અજ્ઞાની જીવ પૃથ્વીકારાદિને દુ:ખ આપી પાપકર્મ કરતો વારંવાર -તે યોનિઓમાં ભમે છે, તે આ પાપકર્મ પોતે કરે છે કે બીજા પાસે કરાવે છે...આદીનgતિવાળો પણ પાપકર્મ કરે છે, તેમ માની એકtત સમાધિ કહી છે, તેથી પંડિત સાધુ ભાવસમાધિ અને વિવેકરત બની પ્રાણાતિપાત વિરત એવો તિભા બને...સર્વ જગતને સમભાવે જોનાર કોઈનું પિય કે અપ્રિય ન કરે,
SR No.008994
Book TitleAgam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy