SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષપકશ્રેણી માંડી ૬-૭-૮-૯-૧૦ થઈને ૧૨-૧૩-૧૪ થઈ સીધા મોક્ષે જલદી પહોંચી ગયા; પણ તેઓ ચોથે ગુણઠાણે તો પહોંચ્યા જ. | ચોથા ગુણઠાણે પહોંચતા અટકાવવાનું કામ એક ગાંઠ કરે છે. તે ગાંઠ ભેદીએ ત્યારે જ પ્રથમવાર સમકિત પમાય. કપડામાં ગાંઠ હોય તો પહેરવા કામ ન લાગે. રૂમાલમાં ગાંઠ હોય તો તે મરચા-લીંબુ વગેરે ભરવા કામ ન લાગે તેમ આત્મામાં જ્યાં સુધી ગાંઠ હોય ત્યાં સુધી તે સમકિત પામવા યોગ્ય ન બને. આ ગાંઠ છોડ્યા પછી જ તે સમકિત પામે. આત્મામાં રહેલો તીવ્ર રાગ તે ગાંઠ છે. આ ગાંઠ દૂર કર્યા પછી જ આપણે ચોથા ગુણઠાણે પહોંચી શકીએ. પ્રથમવાર ઉપશમ સમકિત પામીએ. તે વખતનો આનંદ અવર્ણનીય હોય. અંતર્મુહૂર્તથી વધારે તે ન ટકે. દુશ્મનના ઘરે રહીએ તો ગમે ત્યારે મોત છે. ત્યાં તો કેવી રીતે રહેવાય? રહેવા કોઈ સ્થાન ન હોય તો મિત્રે બે-ચાર મહીના રહેવા મકાન આપ્યું હોય તેમાં રહેવા જઈએ. દુશ્મનના મકાનમાંથી ત્યાં પહોંચતા કેવો આનંદ હોય? મિથ્યાત્વ એટલે દુશ્મનનું ઘર. ત્યાંથી ઉપશમ સમકિત મળે ત્યારે આનંદ વિશિષ્ટ હોય; પણ ત્યાં વધારે સમય ન રહી શકાય. છોડી દેવું પડે. ડાહ્યો માણસ તે સમય દરમ્યાન અન્ય વ્યવસ્થા કર્યા વિના ન રહે. છેવટે કાકા-મામાના ઘરે રહેવા જાય; પણ ત્યાંય કાયમ રહેવાની મજા આવે? એડજસ્ટમેન્ટ કરવું પડે. બધાના સમય સાચવવા પડે. ટેન્શનમાં રહેવું પડે. ડાહો માણસ કાકા-મામાના ઘરે કાયમ ન રહે. પોતાનું ઘરનું ઘર થાય તેવા પ્રયત્નો કર્યા વિના ન રહે ત્યાં કાચમ શાંતિથી જીવી તો શકાય. કાgિns 0 ઉપશમ સમકિતનું અંતર્મુહૂર્ત પૂર્ણ થતાં, જો સમકિત મોહનીય કર્મનો ઉદય થાય તો ક્ષાયોપથમિક સમકિત આવે. તે કાકા-મામાના ઘર જેવું છે. શાંતિ નહિ. પરમાત્માના વચનોમાં જાતજાતની શંકાઓ થયા કરે. સાધિક ૬૬ સાગરોપમથી વધારે ન ટકે. બારમા અય્યત દેવલોકમાં ઉપરા ઉપરી વધુમાં વધુ ત્રણવાર જઈ શકાય. ત્યાં ૩૩ x ૨ = ૬ સાગરોપમ પસાર થાય. વચ્ચેના માનવભવોનો થોડો ટાઈમ તેમાં ઉમેરવો. તેટલો કાળ આ ક્ષાયોપથમિક સમકિત ટકે અથવા બે વાર અનુત્તરવિમાનમાં દેવ બને તો ત્યાં ૩૩ સાગરોપમનું આયુષ્ય હોવાથી ૩૩ x ૨૪૬૬ સાગરોપમ પસાર થાય. વચ્ચેના માનવભવોનો કાળ ઉમેરતા સાધિક 6 સાગરોપમ સુધી આ ક્ષાયોપથમિક સમકિત ટકે. ત્યારપછી તે આત્મા જે સત્ત્વશાળી હોય તો ત્રણે દર્શનમોહનીય કર્મોને ખતમ કરીને ક્ષાયિક સમકિત પામે. ક્ષપકશ્રેણી માંડીને મોક્ષે જાય. નહિ તો તત્વઝરણું ૧૮૪
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy