SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પદાર્થ જાણતાં, ખૂબ ભાવ ઉછળી જાય કે પાપો પ્રત્યે પશ્ચાત્તાપનો ભાવ ઉભરાય વગેરે કારણે એકાએક આ સમકિત પ્રાપ્ત થાય. ' ઉપશમ સમકિત પ્રાપ્ત થાય ત્યારે પણ આત્મા ચોથા ગુણઠાણે પહોંચ્યો કહેવાય. પણ આ સમકિત અંતર્મુહૂર્તથી વધારે ટકતું નથી. જો ત્યારપછી બે કર્મો શાંત રહે અને સમકિત મોહનીસકર્મનો ઉદય થાય તો તે આત્મા ક્ષાયોપથમિક સમકિત પામે. સમકિત મોહનીયકર્મના ઉદયથી આવેલું આ સમકિત છે, તેથી આત્માના ઘરનું નથી. કર્મની મહેરબાનીથી મળ્યું છે. જે બીજાની મહેરબાનીથી મળે તે ઘણો સમય ન ટકે. તે શાંતિથી અનુભવી ના શકાય. આ સમકિત ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત ટકે પણ ૬૬ સાધિક સાગરોપમથી વધારે ન ટકે. ત્યાં સુધીમાં મોક્ષે પહોંચીએ અથવા તો નીચે પડીએ એટલે કે ત્રીજા-પહેલા ગુણઠાણે જઇએ. આ સમકિત મલિન છે. ભગવાનના વચનમાં શંકા કરાવી શકે. ત્રીજેથી ચોથા ગુણઠાણે, ચોથેથી ત્રીજા ગુણઠાણે, આ રીતે અનેકવાર અવરજવર ચાલે. ક્યારેક પહેલેથી ત્રીજે થઇને ચોથે તો ચોથેથી ત્રીજે થઇને પહેલે આવવા-જવાનું થાય. કયારેક ડાયરેટ પહેલેથી ચોથે તો ચોથેથી પહેલે પણ અવર-જવર ચાલે. આમ આ સમકિત ઘણીવાર આવે અને જાય. પણ આ સમકિત કાયમ તો ન જ ટકે. જ્યારે આત્મા અનંતાનુબંધી ચાર કષાયોને ખતમ કરીને, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય, એ ત્રણ દર્શન મોહનીય કર્મોને પણ ખતમ કરે ત્યારે તે ક્ષાયિક સમકિત પામે. આ આત્માના ઘરનું સમકિત છે. કર્મોની સહાય વિના-ઉદય વિના પ્રાપ્ત થાય છે. કાયમ ટકે છે. આવેલું કયારે ય પાછું જતું નથી. કૃષ્ણ મહારાજાએ ૧૮૦૦૦ સાધુઓને વંદના કરતાં આ ક્ષાયિક સમકિત પ્રાપ્ત કર્યું હતું. ચાર નારકી તોડી હતી. તીર્થકર નામકર્મ બાંધ્યું હતું. ક્ષાયિક સમકિતીએ જો આવતાભવનું આયુષ્ય બાંધ્યું ન હોય તો અંતર્મુહૂર્તમાં જ મરુદેવા માતાની જેમ તે કેવળજ્ઞાન પામે. પણ જો આવતાભવનું આયુષ્ય બાંધી દીધું હોય તો ત્રણ, ચાર કે પાંચ ભવ કરે, પણ તેથી વધારે ભવો તો તે ન જ કરે. તે પહેલાં જ તે મોક્ષે પહોંચી જાય. ક્ષાયિક સમકિતનો આવો વિશિષ્ટ પ્રભાવ છે. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું ૧૮૨
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy