SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ श्री शालिभद्र महाकाव्यम् FRERERE શાલિભદ્રનો અદ્ભુત વૈભવ : ગોભદ્ર શેઠે આપેલી દિવ્ય ભોગ-સામગ્રી વડે રૂપથી કામદેવના ગર્વનું ખંડન કરતો શાલિભદ્ર શોભી રહ્યો હતો. જાણે સાક્ષાત્ રસાધિરાજ શ્રીશ્રૃંગારસ શોભી રહ્યો હતો ! ॥ ૯૯ ॥ દેવો જે જીવન પર્યંત તેનો તે જ શ્રૃંગાર (આભૂષણ વગેરે) પહેરી રાખે છે, તે તો પીસાયેલાને પીસવા જેવું યા ચવાયેલાને ચાવવા જેવું છે. | ૧૦૦ || વિદ્વાન વક્તા જેમ નવા પદાર્થોને રજૂ કરે, મહાન કવિ જેમ નૂતન કાવ્યનું સર્જન કરે, તેમ દરરોજ સવારે તે નવા-નવા શણગાર સજતો હતો. ॥ ૧૦૧ ॥ ગામડિયા લોકો મોંમાંથી ઘણા વખત સુધી પાનના ડૂચા ન છોડે તેમ દેવો ઊજળા વસ્ત્રો અને અમ્લાન પુષ્પમાળા લાંબા કાળ સુધી છોડતા નથી. ॥ ૧૦૨ || વિકસ્વર, પૃથ્વીજન્ય, ગોભદ્રદેવે મોકલેલા ફૂલોનો સમૂહ તેનો સમાગમ હંમેશ માટે પામી શક્યો નહિ. (બીજા દિવસે તે ફેંકી દેવાતા હતા.) તેનું આટલું ભાગ્ય ક્યાંથી ? ગૌણાર્થ : વિદ્વાન શ્રેણિક રાજા પણ તેના શરીરનો સ્પર્શ લાંબા કાળ સુધી પામી શક્યો નહિ. (ખોળામાં બેઠેલો શાલિભદ્ર મ્યાન થઇ જતાં તરત જ શ્રેણિક રાજાએ તેને છોડી દેવો પડેલો) તેનું આટલું પુણ્ય ક્યાંથી ? ॥ ૧૦૩ ॥ દેવોને પણ કરવા લાયક કાર્યોમાં પહેલાં અવધિજ્ઞાનથી મન જોડવું પડે છે. (પછી જ તેમને પદાર્થો મળે છે.) તે શાલિભદ્રને તો દરેક પદાર્થો સ્વયં સિદ્ધ છે, વિચારણા વિના જ મળી જનારા છે. તેથી દેવોથી પણ તે અધિક પુણ્યશાળી ગણાય. || ૧૦૪ || | ERERERERY પ્રક્રમ-૩ |‰‰ |
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy