SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ મારા સાત અજ્ઞાન : ૧. હું સર્વોપરિ ચૈતન્યનો અંશ છું, તે હું જાણતો નથી. ૨. હું અહંમાં પૂરાયેલ છું, તે હું જાણતો નથી. ૩. મને નામ-રૂપ ખૂબ ગમે છે, પણ વસ્તુતઃ તે જ દુ:ખ દાયી છે, તે હું જાણતો નથી. ૪. દશ્યમાન જગત જ મને સારું લાગે છે. અદૃશ્યમાન વિશ્વ કેવું હશે ? તેનો હું કદી વિચાર કરતો નથી. ૬. હું શરીર છું – એ જ ખ્યાલમાં હું રાચતો રહું છું. ૭. જગતના જીવોની સાથે મારો સંબધ હું જુદો માનું છું. નેપોલિયન અને સિકંદર જેવા તો લડાઈ વખતે પણ પુસ્તકો વાંચતા હતા. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ રૂઝવેલ્ટ મુલાકાત વખતે પણ સમય મળતાં પુસ્તક વાંચવાનું છોડતા નહિ. એક મુલાકાતી જાય અને બીજો આવે ત્યાં સુધીના સાવ થોડાક સમયનો પણ તેઓ આ રીતે સદુપયોગ કરી લેતા હતા. - કલમ : કલમ ! એ તો મગજની જીભ છે. - સર્વેન્ટિસ - કલમ અને તલવાર : જગતમાં બે તાકાત છે : તલવાર અને કલમ ! આખરે તલવારને પણ કલમ પાસે ઝૂકવું પડે છે. - નેપોલિયન લેખક કોણ બની શકે? તે લોકો લખી શકે છે જેમના હૃદયમાં કંઇક દર્દ હોય છે, અનુરાગ હોય છે, વિચાર હોય છે. જેઓ પૈસા અને ભોગવિલાસમાં ડૂબી ગયા છે તેઓ શું લખવાના ? - પ્રેમચંદ વિચારો, બોલો, લખો... પણ... વિચારો ખૂબ પણ બોલો થોડું અને લખો એનાથી પણ થોડું ! - ઇટાલિયન કહેવત જ્યાં સાહિત્ય નથી... અંધકાર હૈ વહાં, જહાં આદિત્ય નહિ હૈ; મુર્દા હૈ વહ દેશ, જહાં સાહિત્ય નહિ હૈ. - મૈથિલી શરણ ગુપ્ત | આકાશગંગા • ૧૩૦ - ત્રણ ભણેલાઓએ મંત્રથી સિંહને જીવિત કર્યો. ચોથો અભણ ઝાડ પર રહ્યો. ત્રણને સિંહ ખાઇ ગયો. અભણ બચી ગયો. ગણતર વિનાનું ભણતર નકામું છે. ૨૫. ગુરૂ * ન થાય : છે ડૉકટર પાસે કપટ કરનારો દર્દી નીરોગી ન થાય. cક વકીલ પાસે કપટ કરનારો અસીલ વિજયી ન થાય. છે શિક્ષક પાસે કપટ કરનારો વિદ્યાર્થી પાસ ન થાય. cછે પિતા પાસે કપટ કરનારો પુત્ર યશસ્વી ન થાય. છે ગુરુ પાસે કપટ કરનારો શિષ્ય ભવપાર ન થાય. ન આકાશગંગા • ૧૩૧ -
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy