SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ તો તે ડંખવાનું ક્યાંથી શીખ્યું ? (માણસ વિના) તેં વિષ ક્યાંથી ખરીદ્યું ? (દુકાન વિના) સાપ કરતાં પણ ઝેરી આજના માનવીને જોઇને કોઇએ કહ્યું છે : માનવીના ઝેર માટે તું પૂછ મા; સાપ પણ કાંઇ એટલા ડસતા નથી. * આજના માનવ પાસે : પ્રતિભા ખૂબ છે, શ્રદ્ધા નથી. જ્ઞાન છે, પણ વ્યાવહારિક બુદ્ધિ નથી. આડંબરયુક્ત સભ્યતા છે, પણ પ્રેમ કે સહાનુભૂતિ નથી. સિદ્ધાંતોની ચર્ચાઓ છે, પણ આચરણ નથી. * શાસન કરે છે : ૨૦ વર્ષે સંકલ્પ ૩૦ વર્ષે બુદ્ધિ ૪૦ વર્ષે નિર્ણયાત્મકતા પછી ચરિત્રનો અંશ * અંતિમ પ્રયાણ વખતે... પૈસા બેન્કમાં ગાડીઓ ગેરેજમાં પત્ની મકાનમાં પરિવાર સ્મશાનમાં શરીર ચિત્તામાં પડ્યા રહે છે... જીવ એકલો પોતાના કર્મ સાથે ચાલી નીકળે છે. * મૃત્યુ પછી : પરિવાર પૂછશે : તે કેટલી સંપત્તિ મૂકીને ગયો ? જગત પૂછશે : તે કેટલા સારા કાર્યો કરીને ગયો ? - આકાશગંગા • ૫૬ ૐ કરવાવાળા કેટલા ? સાંભળનારા લાખો છે. સંભળાવનારા હજારો છે. સમજનારા સેંકડો છે. પણ કરવાવાળા વિરલા જ છે. * જીવનનું રહસ્ય : જીવનનું રહસ્ય કર્તવ્યમાં છે. ‘સાગરમાં જઇને હું ફરવાનો આનંદ માણીશ' આવું કહેનાર નદીને શું કહેવું ? ‘માળામાં બેસીને જ ગગનનો આનંદ માણીશ' એવું કહેનાર પંખીને શું કહેવું ? * કુલીન પુરુષના ચાર ગુણ : હસમુખો ચહેરો ઉદાર હાથે મૃદુ ભાષણ નમ્રતા * ઉત્તમ કોણ ? ભણેલાથી ગણેલો સારો - તિરૂવલ્લુવર ગણેલાથી ફરેલો સારો ફરેલાથી કસાયેલો સારો * મનુષ્ય-આયુષ્ય શી રીતે બંધાય ? સરળ સ્વભાવ, વિનય, દયા અને ઇર્ષ્યાનો ત્યાગ આ ચાર ગુણોથી મનુષ્ય આયુષ્ય બંધાય છે. *** આકાશગંગા - ૫૭ - ઠાણંગ ૪/૪/૩૭૩
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy