SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. અચૌર્ય : માયાને કાઢ્યા વિના તમે મારું પાલન નહિ કરી શકો. માત્ર ચાર જ નહિ, દુકાન પર બેસનારા વેપારી પણ માયાનો આશ્રય લેતા હોય છે, તેથી તેઓ પણ ચોર જ છે. માયાવી માણસ ચાર જ છે. પોતાની જાતને તો એ અવશ્ય છેતરે જ છે. અપરિગ્રહ (બ્રહ્મચય) : મારું પાલન કરવું હોય તો લાભને લાત મારીને હડસેલી દેજો. કારણ કે લોભી માણસ કદી અપરિગ્રહી બની શકતો નથી અને અકામી પણ બની શકતો નથી. (અબ્રહ્મ પરિગ્રહાન્તર્ગત જ એક દોષ છે. આથી જ મહાવિદેહ ક્ષેત્રમાં કે મધ્ય તીર્થકરોના કાળમાં એની જુદી ગણતરી કરવામાં આવી નથી.) * * * પાંચ વ્રતનું ફળ : છે અહિંસાના પાલનથી સુંદર તન (શરીર) મળે. Cછે સત્યના પાલનથી સુંદર વચન મળે. છે અચૌર્યના પાલનથી સુંદર (ન્યાયયુક્ત) ધન મળે. છે બ્રહ્મના પાલનથી સુંદર ઇન્દ્રિય મળે. cછે અપરિગ્રહના પાલનથી સુંદર (અસંક્લિષ્ટ) મન મળે. પાંચ વ્રતમાં પાંચ સહાયક સમિતિ : ૧. ઇર્ષા સમિતિઃ અહિંસા વ્રતનું પાલન કરવામાં સહાયક. ૨. ભાષા સમિતિ : સત્યવ્રતનું પાલન કરવામાં સહાયક. ૩. એષણા સમિતિઃ નિર્દોષ આહાર લાવવાથી અચૌર્યવ્રત પાળવામાં સહાયક. ૪. આદાન-ભંડમત્ત-નિક્ષેપણા સમિતિઃ ચીજ-વસ્તુ લેતાં મૂકતાં પૂજવા-પ્રમાર્જવામાં દૃષ્ટિ નીચે રહે તેથી બ્રહ્મવ્રત પાળવામાં સહાયક. ૫. પારિષ્ઠાપનિકા સમિતિ : બિનજરૂરી ચીજોનો ત્યાગ કરવાથી અપરિગ્રહવ્રતમાં સહાયક. ચાર વ્રતોથી ચાર કષાય જાય : ૧. અહિંસા: મારું સારી રીતે પાલન કરવું હોય તો ક્રોધને કાઢજો . ક્રોધી માણસ કદી અહિંસક બની શકતો નથી. સત્ય: મારું પાલન કરવું હોય તો અભિમાનને અળગો રાખજો , કારણ કે અભિમાની માણસ સ્વ પ્રત્યે તીવ્ર રાગી અને પર પ્રત્યે તીવ્ર દ્વેષી હોવાથી કદી સાચું બોલી શકતો નથી. પોતાનામાં ન હોય તોય ગુણો દેખાય અને બીજામાં ન હોય તોય દોષો દેખાય, આવો માણસ સત્ય શી રીતે બોલી શકે? ન આકાશગંગા • ૩૪ | ( ૯. વાણી - મૌત) * જિનવાણી છે પાણી : છે પુદ્ગલની તૃષ્ણા મિટાવે. છે કષાયનો દાહ શમાવે. cછે કર્મની મલિનતા હટાવે. પુષ્પરાવર્ત મેઘ સમી પ્રભુની વાણી : છે પહેલા આરામાં દશ હજાર વર્ષે વરસાદ વરસે. Cછે બીજા આરામાં એક હજાર વર્ષે વરસાદ વરસે. Cછે ત્રીજા આરામાં સો વર્ષે વરસાદ વરસે. ce ચોથા આરામાં બાર વર્ષે વરસાદ વરસે. cછે પાંચમા આરામાં દર વર્ષે વરસાદ વરસે. આકાશગંગા • ૩૫ F
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy