SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ शीलादित्य ४ थानां ताम्रपत्रो ર ભાષાન્તર ૐ સ્વસ્વિ. પૂણિક ગામમાં વિજયી નિવાસસ્થાનમાંથી. કલિયુગના તોફાની સાગરના તરંગોથી ગ્રત થયેલા પૃથ્વીના ગોળાને પિતાના વિક્રમથી રક્ષણ કરવાને શક્તિમાન, પુરૂષમાં ઉત્તમ પિતાને દર્શાવીને લક્ષમીના ( પુરૂષોત્તમના સંબંધમાં લક્ષ્મી અને નૃપના સંબંધમાં દેલત) સ્વામિ પુરૂષોત્તમ સમાન, છૂપી રીતે અભિલાષના ત્રાસજનક કાતર (પિલ) ભરતા સાક્ષાત ધન (એટલે બીજે કુબેર) સમાન, જે ચાર સાગરથી આવૃત થયેલી ભૂમિમાંથી કરો લેવા આજ્ઞા કરતે ત્યારે તેને તે કુબેરના લક્ષ્મીના નગરને સેતુ માનતે . ... ... ... ... ... જે કેપથી ખેંચેલી અસના કૂર પ્રહારથી શત્રુઓના માતાના ભેદાએલા કુભમાંથી ઝરતા અને પ્રસરતા અગ્નિ સમાન મહાન યશની દિવાલોથી આવૃત અખિલ જગતમાં પોતાનું રાજય સ્થાપિત કરે છે, જે મંદર પર્વતથી ક્ષુબ્ધ થએલા પદધિના શ્વેત શિશુ સમાન સર્વ દિશામાં પ્રસરતા યશને છત્ર પોતાની ઉપર બનાવીને કરમાં ધારણ કરે છે, તે પરમમાહેશ્વર, શ્રી બ૫ને પાદાનુધ્યાત શ્રી શીલાદિત્ય-શ્રી શીલાદિત્યને પુત્ર, જે કલા સહિત નિત્ય વૃદ્ધિ પામતા નવ ઈની કલા (ઈન્દુ સંબંધમાં કલા અને શીલાદિત્ય માટે વિદ્યા-કળા) સમાન છે. ગિરિ ઉપરના વનની ભૂમિ ભૂષિત કરનાર કેસરી સિંહના બાળ સમાન રાજ્યલક્ષ્મી ભૂષિત કરનાર, મયૂરના નિશાનવાળા દેવના જેમ અલંકાર તરીકે પ્રકાશતા મુગટવાળ, અતિ મહાન પ્રતાપ અને યશસંપન્ન પદ્ધથી (શરના સંબંધમાં પન્ન અને નૃપના સંબંધમાં મહાન નિધિ-ખજાન ) અલંકારિત શરદના આરંભના સમાન પ્રતાપે ગરમી અને વિકમ)થી પૂર્ણ, મહાન મેઘ સમાન શત્રુઓના માતંગે યુદ્ધમાં હણનાર, ઉદય ગિરિના ઉપર ઉદય પામતાં સૂર્ય સમાન, તેના સામે યુદ્ધમાં થનાર શત્રુઓનાં આયુષ્ય ક્ષીણું કરનાર (હરનાર) પરમ માહેશ્વર- શ્રી શીલાદિત્યને પુત્ર, ડોલર કમની, રૌમ્યા સૌન્દર્યથી વિકસાવનાર ઈન્દ્રના પ્રકાશ સરખા ત યશથી સર્વ દિશાએ શ્રત ' કરનાર, વનમાં નિત્ય કપાતા અગુરૂચંદનના લેપથી શ્યામ વિંધ્યાચલના વિશાળ વિસ્તાર સહિત પૃથ્વીને સ્વામિ;- શ્રી પરગ્રહને વડીલ ભ્રાતા, જેના સીધા શરીરને લક્ષમી સ્પષ્ટ રીતે અન્ય તૃપાના પર્શના કલંકમાંથી મુક્ત થવાની અભિલાષથી આલિંગન કરતી, જે સર્વ નૃપેથી અતિ વિખ્યાત આચારના પ્રતાપથી અધિક હતું, જેનાં અને ચરણ નમાવેલા અને માયાળુપણુથી નમ્ર બનેલા અનેક દ્વાના મુગટનાં મણિના કિરણેથી આવૃત હતાં, જે તેના ગદા સમાન વિશાળ અને અળસંપન્ન કરથી શત્રુઓના મદને કચરી નાંખતે, જે પ્રસરતા તેજ વડે પોતાના શત્રુઓની શ્રેણી ભરમ કરી હતી, જે પ્રકૃયિ જનેને ધન આપતા, જે આકરિમક વિપત્તિમાંથી મુક્ત કરેલા અનેક (જનોના) અતિ અલ્હાદજનક દેખાવથી અને બાલિશતાથી મુક્ત હતા, જે સદા દ્વિજોને માન આપતે, અને અતુલ શૌર્યથી સમસ્ત જગત જિર્યું હોવાથી, જેણે બાલ સમાન ઘણાં પરાક્રમ બતાવ્યાં હતાં, જેથી સદા દ્વિજોને માન આપતા અને આ નૃથ્વીને એકજ પદમાં ભરી દેનાર ગદા અને ચક સહિત જળર્શય્યા પરના પ્રથમ દેવ પુરૂષોત્તમ સમાન, જે વિવિધ વર્ણ અને આશ્રમના નિયમે સ્થાપી સાક્ષાત ધર્મ સમાન હતું. પ્રાચીન ગ્રુપએ કરેલાં ધર્મદાન પૂર્વેના લેભી નૃએ હરી લીધાં હતાં તે દેવે અને દ્વિજેનાં મન તુષ્ટ કરીને પ્રસન્ન કરેલા ત્રિભુવનથી આનન્દથી વધાવેલા ધર્મધ્વજથી પિતાના કુળને જેણે પ્રતાપવાળું બનાવ્યું હતું, જેણે, દેવ, દ્વિજ, અને ગુરૂઓને તેમના ગુણ અનુસાર સતત મોટાં અને મુકરર કરેલાં ગામેનું દાન કરતા છતાં સંતુષ્ટ નહતે તે ગુણથી પ્રાપ્ત કરેલા પ્રભાવાળા યશ વડે સર્વ દિશાએ ઉજજવળ કરી હતી. જે આમ અર્થસૂચક ધર્માદિત્યના બીજ નામથી કહેવાતે, અને જે પરમમાહેશ્વર હત--શ્રી ધ્રુવસેનને વડીલ બધુ, જેણે ચશનાં શ્વેત વસ્ત્રથી ભૂષિત થઈ તેને અનુરક્ત અને પસંદગી બતાવતી તેના સ્વયંવર ઉપર માળા એટલે રાજ્યશ્રી અર્પતા મહાન નુ૫ મંડળને સ્વીકાર કર્યો હતો, જે અજિત હતો અને સર્વ શત્રુઓને નમાવવા પૂરતો વિક્રમ સંપન્ન હતા, જે ધનુષ્ય પર બળથી ખેંચેલાં શરાથી ભૂષિત શત્રુની ભુમિમાંથી દરેક શરદમાં પ્રતિવર્ષની "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy