SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ધરસેન ૨ જાનાં બનાવટી તામ્રપત્રો શક સંવત્ ૪૦૦. ગુ. સ. (૨૫) વલભીના ધરસેન ૨ જા એ શક સંવત ૪૦૦માં આપેલું હોવાના આશયવાળું નીચે આપેલું દાનપત્ર બ. , . એ. સો.ના મ્યુઝીયમની માલિકીનું છે. તેની પ્રથમ નોંધ સદૂગત મી. ભાઉ દાજી જ . . . . . . ૮ પા ૨૪૪)એ લીધી હતી, અને પછી મહું ( ઈ. એ . , પા ૧૧૦; . ૭ ૫, ૧૬૩) લીધી હતી. ૧૮૮માં બોમ્બે ગવર્નમેન્ટ ને ડો. અર્જસને “ફેટેઝીગ્રાફ કરવા માટે આપ્યું હતું. મૂળ બે કડીઓ વડે સાથે બાંધેલાં 5 ઇંચx૭ ઈંચનાં બે પતરાંઓ ઉપર આ દાનપત્ર કેતરેલું છે. ફક્ત ડાબી બાજુની કડી જેના ઉપર મુદ્રા ચટાડી છે તે જ સાચવેલી છે. મુદ્દા ઉપર ઉભા રહેલા નંદીની છાપ છે, જેનું મુખ જમણી તરફ છે, અને તેપર “વિશેન” એવો લેખ છે દાનપત્ર વલભીથી કાઢેલું છે અને તેની તારીખ, શકસંવત્ ૪૦૦( ઈ. સ. ૪૭૮)ના વૈશાખની પૂર્ણિમા છે. દાન આપનાર, ભટ્ટાર્ક એટલે ભટ્ટાર્ક)નો પિત્ર અને ગુહસેનને પુત્ર ધરસેન દેવ કો છે. દાન મેળવનાર, સામવેદની છ ગ શાખાના, તથા કૌશિક ગાવના, અને દશપુરના રહીશ એક ચતુર્વેદી, ભટ્ટ ઈસર એટલે ઈશ્વરને પુત્ર ભટ્ટ ગેમદ( એટલે ગોવિંદ) છે. દાનની વદતુ, સંતરા કરાર (એટલે કતારગામના સોળસો વિષય અથવા જીલ્લામાં આવેલું) નંદીઅર અથવા નદીસર ગામ છે. ગામની સીમા નીચે મુજબ આપેલ છે. પૂર્વે, ગિરિવિલિ ગામ, દક્ષિણે મદવિ નદી પશ્ચિમે મહાસાગર, અને ઉત્તરે દેથલિ ગામ. વલભી રાજાએ આપેલા કહેવાતા એક દાનમાં ગુર્જર લિપિ તથા શક સંવતને થએલે ઉપયોગ, તેના બીજા અને મુખ્યભાગનું ઉમેટાનાં ગુર્જર શાસન સાથે નિકટ મળતાપણું, તથા વલભી રાજાઓની વંશાવળીમાં દેખીતી ભૂલ, વિગેરે બાબતોને આધારે મી. ભાઉ દાજીએ તથા મેં આ પતરાને બનાવટી હોવાનું જાહેર કરેલ છે. -- -- - - • • • • • -- -- —* ** ૧ ઇ. એ. , ૧૦ ૫. ૨% છે. જી, મ્યુલર "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy