SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख કરનારાં દુઃખને હરે છે, જે શ્રી અને સરસ્વતીના એકત્ર નિવાસને પુરાવે છે, જેને પ્રભાવ શત્રુગણની લહમીને સંતાપવામાં દક્ષ છે; અને જે પરંપરાથી પ્રાપ્ત કરેલી વિમળ રાજ્યશ્રી સંપન્ન છે. તે પરમ માહેશ્વર મહારાજ શ્રીધરસેન (૨) કુશળ હાલતમાં સર્વ આયુકતક, વિનિયુક્ત, દ્રાફિક, મહત્તર, ચાટ, ભટ, ધ્રુવાધિકરણિક, દડયાશક, રાજસ્થાનીય, કુમારામાત્ય, આદિને તેમના સંબંધ અનુસાર શાસન કરે છે (લી. ૨૧) તમને જાહેર થાઓ કે મારાં માતપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થે અને આ લોકમાં તેમજ પરલોકમાં મારાં ઈચ્છિત ફળની પ્રાપ્તિ અર્થે, ઉનતના વાસી, વાજસનેયિકવ સન્નાચારી અને વત્સ ગોત્રના બ્રાહ્મણ રૂદ્રભૂતિને બલિ, ચરૂ, વિશ્વદેવ, અગ્નિહોત્ર, અને અતિથિના પંચમહાયજ્ઞના અનુષ્ઠાન અર્થે ચંદ્ર, સૂરજ, સાગર, નદીઓ, અને પૃથ્વીના અસ્તિત્વ કાળ સુધી પુત્ર અને પત્રોના ઉપગ માટે અન્તરત્રા ગામમાં, શિવકક્ષદ્રક કહેવાતા પાદરમાં વીરસેન દક્વિકની માલિકીની ૧૦૦ પાદાવ ભૂમિ, (અને આની પશ્ચિમે ૧૫ પાદાવર્ત, વળી પશ્ચિમ સીમામાં સ્કન્નસેનની માલિકીનાં ૧૨૦ પાદાવર્ત(અને પૂર્વ સીમામાં ૧૦ પાદાવર્ત-ભિગ્રામમાં પૂર્વસીમામાં વધેકિની માલિકીનાં ૯૦ પાદાવા-વાગ્રામમાં પશ્ચિમ સીમામાં સર્વથી ઉંચા ભાગમાં ૧૦૦ પાદાવર્ત અને મહત્તર વકિદિનની માલિકીને ૨૮ પાદાવર્ત વિસ્તારને વાપી (અને ભ્રભુપદ્રકનામના પાદરમાં ભેટક ખેડૂતની માલિકીનાં ૧૦૦ પાદાવર્ત અને ચેક વાપી --આ સર્વ ઉત્કંગ અને ઉપરિકર સહિત, વાત, ભૂત, અશ, સુવર્ણ આદેય સહિત, ઉદ્ભવતી વેઠના હકસહિત, (અ) રાજપુરૂષના હસ્તપ્રક્ષેપણુ મુક્તભૂમિછિદ્રના ન્યાયથી મારાથી, પાણીના અર્ધથી અપાયું છે. (લી. ર૯ ) આથી આ માણસ જ્યારે બ્રહ્રદય અનુસાર ઉપભેગ કરતો હેય, ખેતી કરતે હેય, અથવા ખેતી કરાવે અથવા અન્યને સોંપે તેમાં કેઈએ પ્રતિબંધ કરે નહિ. (લી. ૩૦) અને આ અમારા દાનને અમારા વંશના ભાવિ ભદ્ર તૃપિએ લક્ષમી અનિત્ય છે, જીવિત અનિશ્ચિત છે, અને ભૂમિદાનનું ફળ ( દાન કરનાર અને તે રક્ષનારને) સામાન્ય છે એ મનમાં રાખી અનુમતિ આપવી અને રક્ષવું જોઈએ. અને જે આ દાન જપ્ત કરશે અથવા તેની જપ્તિમાં અનુમતિ આપશે તે પંચ મહાપાપ અને અન્ય અ૯૫ પાપોને દેશી થશે. (લી. ૩ર) અને ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે--ભૂમિ દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષ વસે છે, ( ૫ણ ) દાનજત કરનાર અને (જપ્તિમાં) અનુમતિ આપનાર તેટલાજ વર્ષ નર્ટમાં વસે છે! નૃપમાં ઉત્તમ છે યુધિષ્ઠિર! બ્રિજેને આપેલ્લી ભૂમિનું સંભાળથી રક્ષણ કર (ખરેખર) દાનનું રક્ષણ દાન કરવા કરતાં અધિક છે! સગરથી માંડીને ઘણું નૃપાએ ભૂમિને ઉપભેગ કર્યો છે, જે સમયે જે ભૂપતિ હશે તે તેનું રક્ષણ કરે તે તેને તે સમયનું (આ હમણાં કરેલાં દાનનું ) ફળ છે! (લી. ૩૫) સાંધિવિગ્રહિક સ્કન્દ ભટથી આ દાનપત્ર લખાયું છે. (અ) મારા મહારાજ શ્રી ધરસેનના સ્વહરત છે. દૂતક ચિાર્બર છે. સંવત્ ૨પર, વૈશાખ વદિ ૧૫. "Aho Shrut Gyanam'
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy