SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - થોડી વાર વિચાર કરીને, ધરણે કહ્યું : “પિતાજી, આ અંગે મને થોડા દિવસ વિચારવા દો. ઉતાવળ નથી...” “વત્સ, ભલે તું થોડા દિવસ વિચાર કર, પરંતુ અમારી ઈચ્છા તારે પૂરી કરવી પડશે.” ધરણે મૌન ધારણ કર્યું. તેને લક્ષ્મી યાદ આવી ગઈ. તે નિસાસો નાખીને, ઊભો થયો. માતા-પિતાને પ્રણામ કરી, પોતાના ખંડમાં ચાલ્યો ગયો. તેના ચિત્તમાં લક્ષ્મીના, સુવદનના.. ટોપશેઠના... વિચારો શરૂ થઈ ગયા. તેનું ચિત્ત ચંચળ બની ગયું. તેને મિત્ર હેમકુંડલ યાદ આવ્યો... કિન્નરકુમાર સુલોચન યાદ આવ્યો. અને સુવર્ણદ્વીપની વંતરી પણ યાદ આવી ગઈ.. પલ્લીપતિ કાલસેન પણ સ્મૃતિપટ પર આવી ગયો.. આ બધા વિચારો કરતાં કરતાં તે ઊંઘી ગયો. કોઈ સંદેશો મોકલાવ્યા વિના, મહારાજા કાળમેઘ, રથમાં બેસી, બંધુદત્તની હવેલીએ આવ્યા. બંધુદને અને ધરણે તેમનું સ્વાગત કર્યું. ઉચિત સન્માન-સત્કાર કર્યા પછી, મહારાજાએ ધરણને કહ્યું : કુમાર, હું ઈચ્છું છું કે તું આ મંત્રી મુદ્રા ગ્રહણ કર અને રાજ્યનું સંચાલન સંભાળ. તું બુદ્ધિમાન છે. ન્યાયપ્રિય અને મારો વિશ્વાસપાત્ર છે.” હે કૃપાવંત, મંત્રી મુદ્રાની શી જરૂર છે? આપની આજ્ઞા મુજબ, જે કાર્ય કરવાનું હશે તે હું કરીશ.' કુમાર, જે કાર્ય રાજ્યાધિકારથી થઈ શકે છે, તે કાર્ય અધિકાર વિના નથી થતું. માટે તારે મંત્રી મુદ્રા ગ્રહણ કરવી જોઈએ. મહામંત્રીના પદ માટે તું સુયોગ્ય છે.” મહારાજા, આપનો આગ્રહ હશે તો હું મંત્રી મુદ્રા ગ્રહણ કરીશ, પરંતુ એ પૂર્વે મારી એક પ્રાર્થનાનો સ્વીકાર કરો.” કહે, તારી પ્રાર્થના મને કબૂલ જ છે.” દેવ, કારાવાસમાંથી સર્વ કેદીઓને મુક્તિ આપો અને નગરમાં ઘોષણા કરાવો કે કોઈ જીવની હિંસા કરવી નહીં.' મહારાજાએ ધરણની બંને વાતો સ્વીકારી, તરત જ એનો અમલ કરાવ્યો. ત્યાર પછી ધરણે મંત્રી મુદ્રા ગ્રહણ કરી. મહારાજાએ ધરણ સાથે એકાંતમાં રાજ્ય અંગેની કેટલીક વાર્તા કરી... ત્યાર બાદ, બંધુદત્તના આગ્રહથી ત્યાં જ ભોજન કરી, તેઓ રાજમહેલમાં પહોંચ્યા. બીજા દિવસે રાજસભામાં મહારાજાએ ઘોષણા કરી : પ્રિય પ્રજાજનો, તમે જાણીને આનંદિત થશો કે મેં શ્રેષ્ઠી બંધુદત્તના સુપુત્ર શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only
SR No.008951
Book TitleSamaraditya Mahakatha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy