SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [L૫૪ તમે બંને એ લમીનિલય છોડીને હસ્તિનાપુરનો માર્ગ લીધો. પરંતુ તારું મન હવે હસ્તિનાપુર જવા માનતું ન હતું. તારા મનમાં જિનમતીના વિચારો ચાલતા હતા. “જિનમતી શ્રાવકકુળમાં જન્મેલી છે, એટલું જ નહીં, તે જિનવચનને પામેલી છે. એનો એક-એક વિચાર જિનવચનને અનુરૂપ બનેલો છે. આવી સ્ત્રી શું કુળને કલંક લાગે તેવું કાર્ય કરે ખરી? શું ખોટું કામ કરતાં એને જિનવચનોએ રોકી નહીં હોય? એના જિનવચનથી વાસિત હૃદયે ખોટું કામ કરતાં એને વારી નહીં હોય? મારું મન કબૂલતું નથી... કે એ આવું અકાર્ય કરે... છતાં ગુરુદેવ અનંગ-દેવ કહેતા હતા કે “મોહનીય કર્મના તીવ્ર ઉદયને પરવશ બની ગઈ હશે? કર્મના ઉદયથી તે પથભ્રષ્ટ થઈ હશે? તો તો પાપકર્મો જ ધિક્કારને પાત્ર છે. જો પાપકર્મોનો ઉદય એને સન્માર્ગથી ભ્રષ્ટ કરી શકે તો મને પણ કેમ ના કરી શકે? આ સંસાર જ ખરેખર એવો છે. સંસારમાં સારા કરતાં નરસાં નિમિત્તો વધારે મળે છે. નિમિત્તો જીવનું પતન કરે છે, માટે હવે હું આ સંસારનો, સહવાસનો જ ત્યાગ કરી દઉ.... જો હું ઘરે જઈશ. માતા-પિતા આ વાત જાણશે તો મને બીજી કન્યા સાથે પરણાવવા આગ્રહ કરશે. માટે ઘરે નથી જવું. ગુરુદેવ અનંગદેવની પાસે જાઉં... અને એમની પાસેથી સાધુધર્મ અંગીકાર કરી લઉં. આ લોક અને પરલોક સુધારી લઉં.. તો પછી, ગુરુદેવ અત્યારે ક્યાં બિરાજે છે, તે જાણીને એમની પાસે ચાલ્યો જાઉં. માર્ગમાં કોઈ સાધુપુરુષ મળી જાય તો એમને પૂછી લઈશ... અને જો મારે હસ્તિનાપુર નથી જવું. તો આ મંગલને શા માટે મારી સાથે રાખવો? એને કહી દઉં કે તે હસ્તિનાપુર ચાલ્યો જા, હું ગુરુદેવ પાસે જઈને સાધુધર્મ સ્વીકારવા ઇચ્છું છું. એણે મને ઘણો સાથ અને સહયોગ આપ્યું છે...' તે મંગલકને કહ્યું : “મંગલ, તું હસ્તિનાપુર ચાલ્યો જા. હું હસ્તિનાપુર નથી આવવાનો. હું ગુરુદેવ અનંગદેવ આચાર્ય પાસે જઈને સાધુધર્મ સ્વીકારીશ. મારું મન વૈષયિક સુખો પરથી ઊઠી ગયું છે.” મંગલકે કહ્યું : “સમુદ્રદત્ત, આ તારો ક્ષણિક વૈરાગ્ય છે. જિનમતીના વિરહથી વ્યથિત થઈ તું ગૃહવાસ છોડવા વિચારે છે, એ ઉચિત નથી. જિનમતી જેવી અનેક શ્રેષ્ઠી કન્યાઓ તને મળી શકે એમ છે. તે જિનમતીને ભૂલી જા.” મિત્ર. જિનમતી તો નિમિત્ત બની છે. એ નિમિત્તને પામીને મેં સંસારનું - ૩૯૨ ભાગ-૧ ( ભવ ત્રીજો For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy