SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જા. જિનમતીએ જેનું ઘર માંડ્યું છે, એનું ઘર શોધી કાઢ... તારે જિનમતીને ના મળવું હોય તો વાંધો નહીં, પણ એ ક્યાં રહે છે, એ જાણી લાવ...” શા માટે?” મંગલકે પૂછ્યું. હું જિનમતીને પ્રત્યક્ષ મળવા ઇચ્છું છું...' “તને ખ્યાલ આવે છે કે જિનમતીને મળવા જતાં, તારા ઉપર કેવી આપત્તિ આવે? એનો પ્રેમી પુરુષ તને હતો ન હતો કરી નાખે. અરે, જરૂર પડે જિનમતી પોતે જ તારી હત્યા કરાવી નાંખે.. તું સ્ત્રીચરિત્ર નથી જાણતો? શું આચાર્ય અનંગદેવે આપણને સ્ત્રીચરિત્ર નહોતું સંભળાવ્યું? સ્ત્રી મનમાં એક પુરુષને ચાહે, વચનથી. બીજાને પ્રેમ કરે, અને કાયાથી ત્રીજાને ભોગવે! ગહન હોય છે સ્ત્રીચરિત્ર, જિનમતી ભલે તારી સાથે હતી ત્યારે મહાસતી હશે, અહીં પિયરમાં આવીને એનું ચરિત્ર બગડી ગયું હશે... હું તો તને એક મિત્ર તરીકે સલાહ આપું છું... કે તું હવે જિનમતીને ભૂલી જા. તને એના કરતાં પણ ચઢિયાતી શ્રેષ્ઠી કન્યાઓ મળી રહેશે.. આપણે અહીંથી સીધા હસ્તિનાપુર જઈએ. તેં શાન્તિથી મંગલકની વાતો સાંભળી. તારા મનમાં ઘોર વિષાદ ભરાઈ ગયો હતો. તે જિનમતીને સાચા હૃદયથી ચાહતો હતો... વળી, જિનમતીના પિતાનો સંદેશો મળવાથી તું લેવા માટે આવ્યો હતો. ઘડીકમાં તને જિનમતી નિર્દોષ લાગતી હતી, તો ઘડીકમાં દોષિત લાગતી હતી. મંગલકની વાત તને સાચી લાગતી હતી... તો પળવાર તેની વાત ઉપર અવિશ્વાસ થઈ આવતો હતો. તે મંગલકને પૂછ્યું : મંગલ, આ બધી વાતમાં આપણી સાથે બનાવટ તો નથી થઈ રહીને? તું બરાબર વિચાર.. ફરીથી તપાસ કર. ઉતાવળ કરીને આપણે ચાલ્યા ના જવું જોઈએ. તું જિનમતીને પણ ગમે તે રીતે મળ.” તારી વાત સાંભળીને મંગળે બનાવટી ગુસ્સો કર્યો. ‘શ્રેષ્ઠીપુત્ર, તને મારે કેવી રીતે સમજાવવો? તારો જિનમતી ઉપરનો મોહ મિથ્યા છે. હું ફરીવાર નગરમાં જવાનો નથી, તને મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો તું પોતે જ તારા શ્વસુરગૃહે જા.. અને ત્યાંનું કરુણ વાતાવરણ જોઈ આવ... પછી તને વિશ્વાસ પડશે મારી વાત પર અને તારી ઇચ્છા હોય તો જિનમતીને પણ મળી. આવજે... એના પ્રેમીને પણ મળી આવજે. તને શું વધારે કહું? છેવટે તું મારો શેઠ છે.. તારી મર્યાદા મારે રાખવી પડે છે... અને તારો સાથે હું છોડી શકતો નથી.' | ‘સારું, તારી વાત માનું છું. ચાલ, આપણે અહીંથી આપણા નગર તરફ પ્રયાણ કરીએ.” તમે ત્યાંથી ચાલ્યા. છે કે રફ શ્રી સમરાદિત્ય મહાકથા 3c૧ For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy