SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મારે રાખવાની જ નથી! ધનદેવને પણ થોડાં રત્નો આપીશ. એ રાજી થશે. મારી ખાતર એ પરદેશમાં આવ્યો... મારે એને રાજી કરવો જ જોઈએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir અને, છેવટે તો સર્વ સંપત્તિનો ત્યાગ કરી, મારે સાધુધર્મ અંગીકાર કરવાનો છે. મનુષ્યજીવનની સફળતા સાધુધર્મના પાલનથી જ છે... સાધુધર્મ મોક્ષમાર્ગ છે. એના વિના મોક્ષ મળે જ નહીં.' ધનદેવ સ્વસ્તિમતી. ગામમાં ગયો. ત્યાં એણે લાડવા બનાવ્યા, એક લાડવામાં એણે ઝેર ભેળવી દીધું. ‘આ લાડવો હું અનંગદેવને ખવડાવીશ... બસ, કામ પતી જશે... એ પરલોક જશે... હું રત્નો લઈને રથવીરપુર ભેગો થઈ જઈશ!' ઝેરવાળો લાડવો એણે જુદો ના રાખ્યો. એના ઉપર નિશાની કરી. જુદો રાખે તો હું એને પૂછું ને કે ‘આ લાડવો જુદો કેમ રાખ્યો છે?‘ એટલે એણે જુદો ના રાખ્યો. માર્ગમાં અને વિચારોની ઉત્તેજનામાં વ્યગ્ર બનેલો ધનદેવ... ઝેરયુક્ત લાડવાની નિશાની ભૂલી ગયો... એ મારી પાસે આવ્યો. એક થાળમાં લાડવા હતા, બીજા થાળમાં બે જાતના વ્યંજન હતાં... તે ગભરાયેલો હતો. મેં એને પૂછ્યું : ‘ધનદેવ, તું કેમ અસ્વસ્થ છે?’ એણે કહ્યું : ‘આજે હું, ખૂબ થાકી ગયો છું!' મેં એને કહ્યું : આ લાડવા ખાઈશ એટલે થાક ઊતરી જશે. સરસ લાડવા બનાવ્યા છે તેં!’ એમ કહીને મેં જ એને એ લાડવો ખવરાવ્યો... કે જેમાં ઝેર હતું. એને આનાકાની તો કરી...' મને ભૂખ નથી... મારે ખાવું નથી... મારી તબિયત સારી નથી... મારું પેટ દુ:ખે છે...’ પરંતુ મેં ખૂબ જ આગ્રહ કરીને, એના મોઢામાં લાડવો ઠૂંસી દીધો! મને ક્યાં ખબર હતી કે મેં જે લાડવો એને ખવરાવ્યો, તેમાં ઝેર છે! મેં તો પ્રેમથી એને લાડવો ખવરાવ્યો હતો... તેના શરીર ઉપર ઝેરની અસર થવા લાગી. એ આકુળ-વ્યાકુળ થઈ ગયો. જમીન પર આળોટવા લાગ્યો... હું ગભરાયો. ‘અરે, અચાનક આને શું થઈ ગયું?' મેં એના માથે હાથ મૂકીને પૂછ્યું : ‘ધનદેવ, તને શું થાય છે?' પણ એની વાણી હરાઈ ગઈ હતી. જીભ ખેંચાઈ ગઈ હતી. ઝેર અતિ ઉગ્ર હતું... હું કર્તવ્યમૂઢ થઈને એની પાસે બેસી રહ્યો... અને એનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું. હું સમજી ના શક્યો કે એ શા કારણે મરી ગયો. એને કોઈ રોગ ન હતો... સા-સારો હતો... ને અચાનક બે-ચાર ક્ષણમાં જ મરી ગયો...? ૫૪ અમારી પાંથશાળામાં બીજા પણ યાત્રિકો હતા. મેં એમને વાત કરી. સર્વ વૃત્તાન્ત જણાવ્યો. અમે સહુએ ભેગા થઈ મૃતદેહનો અગ્નિસંસ્કાર કર્યો. For Private And Personal Use Only ભાગ-૧ " ભવ બીજો
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy