SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માર્ગમાં આવતાં ગામોની પાંથશાળાઓમાં અમે સંધ્યા સમયે મુકામ કરતા. પ્રભાતે ભોજનાદિ કૃત્યોથી પરવારીને આગળ વધતા. આ અમારી પદયાત્રાનો કાર્યક્રમ હતો. બહુ થાકી ગયા હોઈએ અને સારું ગામ હોય તો બે દિવસ પણ મુકામ કરતા. ધનદેવને ભોજન બનાવતાં આવડતું હતું, એટલે એ ભોજન બનાવતો, હું બીજાં કાર્યો કરતો. ક્રમશઃ પદયાત્રા કરતાં કરતાં અમે “સ્વસ્તિમતી' નામના ગામમાં પહોંચ્યા, ગામ સારું હતું. મેં ધનદેવને કહ્યું : આજે તો મનગમતું ભોજન બનાવજે. અહીં આપણે વધુ રોકાઈશું..” જ્યારથી અમે નીકળ્યા હતા ત્યારથી ધનદેવના મનમાં લોભદશા જાગી ગઈ હતી. એને મારાં કમાવેલાં રત્નો પોતાનાં કરી લેવાં હતાં. એ જાત-જાતની યોજનાઓ બનાવતો, પણ એને સફળતા મળતી ન હતી. મને ક્યારેક એના પર હસવું આવતું.... તો ક્યારેક ભાવદયાથી મારું હૃદય ભરાઈ જતું. ક્યારેક એણે મારાં રત્નો સંતાડી દીધાં... પણ એ ફાવ્યો નહીં. મેં રત્નો શોધી લીધાં! ક્યારેક એણે મારાં રત્નો જમીનમાં દાટી દીધાં. પણ એની યોજના સફળ ના થઈ. મેં ખોદીને રત્નો કાઢી લીધાં! છેવટે તેણે વિચાર કર્યો : “અનંગદેવને મારી નાંખું... તો જ એનાં રત્નો મને મળી શકે! પણ એને મારવો કેવી રીતે? મારા પર કલંક ના આવે અને એને મારી શકાય. એવો ઉપાય કરવો જોઈએ. લગભગ એક કરોડ સોનામહોરોની કિંમતનાં રત્નો છે, એ રત્નોને લઈ હું મારા નગરમાં જઈશ.... રોતો રોતો અનંગદેવના ઘેર જઈને એનાં માતા-પિતાને કહીશ... એક નદીના કિનારા પર અમે પાણી પીવા ગયેલાં, હું પાણી પીને આગળ ચાલ્યો. એ પાણી પીતો હતો. ત્યાં જ એક સિંહે એના પર તરાપ મારી અને એને ઉપાડીને જંગલમાં અદૃશ્ય થઈ ગયો. મેં દૂરથી આ દૃશ્ય જોયું. મને પણ શરીરે પસીનો આવી ગયો. ધ્રુજવા લાગ્યો. ન ત્યાંથી ખસાય.. ના દોડાય... છેવટે એક પ્રહર વીત્યા પછી હું આગળ વધ્યો...' પછી હું આ રત્નોથી વેપાર કરીશ. ભવ્ય હવેલી બંધાવીશ. અનેક પ્રકારના રંગરાગ ને ભોગવિલાસ કરીશ! નગરનો શ્રેષ્ઠ શ્રીમંત કહેવાઈશ.” જ્યારે મારા મનમાં બીજા જ મનોરથ જાગતા હતા. “હું આ સંપત્તિનો ઉપયોગ દીન-અનાથ લોકોના ઉદ્ધાર માટે કરીશ. સદાવ્રત ખોલીશ... સાધુપુરુષોને ભિક્ષા આપીશ. ભવ્ય જિનમંદિરોનું નિર્માણ કરીશ.. મારે આ સંપત્તિને શું કરવી છે? પિતાજીની સંપત્તિ પણ અઢળક છે... વળી, મારે તો પરિગ્રહનું પરિમાણ છે. એટલે પરિમાણ કરતાં વધારે સંપત્તિ શ્રી સમરાદિત્ય મહાકથા પ3 For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy