SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તેણે ચિત્રને ભીંત ઉપર ટાંગી દીધું. સંધ્યા સમયે મદનરેખા, પ્રિયંકરા વગેરે સખીઓ કુસુમાવલીના ભવનમાં આવી પહોંચી. સહુએ ચક્રવાક-ચક્રવાકીનું ચિત્ર જોયું... આંખો પહોળી થઈ ગઈ... ‘અરે, રાજકુમારીએ કેવું અદ્ભુત ચિત્ર બનાવ્યું છે!' પ્રિયંકરાએ કહ્યું : ‘અરે ચક્રવાક, તું આકાશમાંથી નીચે ઊતરી આવ... આ તારી ચક્રવાકી ઝૂરી-ઝૂરીને મરી જશે... મદનરેખા બોલી : ‘અત્યારે નહીં આવે... એ તો કાલે સવારે જ આવશે! અત્યારે તો બિચારી ચક્રવાકીને આંસુ જ પાડવાનાં..' કુસુમાવલીએ કૃત્રિમ રોષ કરતાં કહ્યું : ‘તમારે બીજું કોઈ કામ છે કે નહીં? મારું ચિત્ર જ્યાં હતું ત્યાં મૂકી દો... અને તમારી ચર્ચા બંધ કરો!' Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘અરે, આ ચક્રવાકી રોતી નથી... પણ ગુસ્સો કરે છે!' પ્રિયંકાએ વધુ છેડતી કરતા કહ્યું. કુસુમાવલી મોઢું છુપાવીને પલંગમાં પડી. સખીઓ ખડખડાટ હસી પડી. મદનરેખાએ પલંગ પર બેસી કુસુમાવલીના માથે હાથ ફે૨વવા માંડ્યો. ‘કુસુમ, મહારાણી મુક્તાવલીએ મહારાજાને કહી દીધું કે મારી પુત્રીને ૨ાજકુમાર ગમી ગયો છે, માટે વિવાહ નક્કી કરી દો.’ કુસુમાવલીએ મદનરેખા સામે જોયું. ‘તું સાચું બોલે છે?’ ‘તદ્દન સાચું...’ ઉ મહામંત્રી સુબુદ્ધિ અત્યારે મહારાજા પુરુષદત્તના મહેલમાં વિવાહ નક્કી કરી રહ્યા હશે!’ For Private And Personal Use Only ભાગ-૧ ૪ ભવ બીજો
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy