SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શકું. મારું મોટું નહીં ખૂલે... મારા હોઠ સિવાઈ જશે...' જો, આવી રીતે કરવાનું નહીં.” “હું ડરતી નથી, શરમાઉં છું!' ધીરે ધીરે શરમ ઘટતી જશે. શિષ્ટાચાર તો કરવો જ પડે તેથી કુમારનું ચિત્ત ખૂબ પ્રસન્ન થાય...” સારું તારી શિખામણ માની, બસ! હવે તું મને કહે કે કાલે એમને મારે કેવું ચિત્ર આપવું? આજે હું ચિત્ર બનાવી દઈશ!' “ચકવાક-ચક્રવાકી... પક્ષીયુગલનું ચિત્ર બનાવ ને! માનસરોવરની સપાટી પર ચક્રવાકી માથાં પછાડીને રુદન કરે છે.. ને ચક્રવાક આકાશમાં ઊડી જાય છે.... સંધ્યાનું દશ્ય બતાવવાનું...” સરસ કલ્પના છે તારી! કવયિત્રી છે ને તું! સારું, મારી બહુ પ્રશંસા ના કર... હવે હું જાઉં છું માતાજી પાસે... મારી માં મારી રાહ જોતી હશે...' મદનરેખા કુસુમાવલીના ખંડમાંથી નીકળી ગઈ. અને પ્રિયંકરાએ પ્રવેશ કર્યો. “સ્વામિની, ભોજનનો સમય થઈ ગયો છે. માતાજી યાદ કરે છે.' “ચાલ, તારી સાથે જ હું આવું છું.” 0 ૦ ૦ ભોજનાદિથી પરવારીને કુસુમાવલી, ચિત્રગૃહમાં ચાલી ગઈ. તેણે ચિત્ર બનાવવાનું શરૂ કર્યું. તેના શરીરમાં થનગનાટ હતો. તેના પ્રિયતમને તેનું ચિત્ર ગમ્યું હતું, તેના ચિત્રની પ્રશંસા કરી હતી. એક પ્રહરમાં એણે ચિત્ર પૂર્ણ કરી દીધું. મનોમન તે બોલી ઊઠી : “આવું ચિત્ર તો મેં પહેલું વહેલું જ બનાવ્યું.' અનંત આકાશ... ભૂરો ભૂરો રંગ, અને દૂર ક્ષિતિજ ઉપર ખીલેલી સંધ્યા... માનસરોવરનાં નિર્મળ નીર... નીરમાં તરતી ચક્રવાકી... આકાશમાં ઊડતા પોતાના પ્રિયતમ ચક્રવાકની તરફ દૃષ્ટિ... દષ્ટિમાંથી ખરતાં અશ્રુબિંદુઓ.. તે સ્વગત બોલી : “માત્ર એક રાતનો વિરહ પણ આ પંખિણીથી સહન નથી થતો... કેવી છે આ પંખિણી!' તને જોઈને મારો પ્રિયતમ હવે મને વિરહની વધારે રાત ના રોવડાવે તો સારું!' શ્રી સમરાદિત્ય મહાકથા 04 For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy