SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મારી પ્રાર્થનાનો એની પાસે સ્વીકાર ના કરાવત અને આવી દુઃખદ પરિસ્થિતિ ઊભી ના થાત. Acharya Shri Kailassagarsuri Gyanmandir પરંતુ આવું કેમ બન્યું? એ તપસ્વીના પારણાના દિવસે જ મને શિરોવેદના કેમ ઊપડી? બીજા પારણાના દિવસે જ યુદ્ધ-પ્રયાણનું નિમિત્ત કેમ ઊભુ થયું, ત્રીજા પારણાના જ દિવસે પુત્રજન્મ કેમ થયો? પારણાના દિવસ સિવાયના દિવસોમાં આવી આકસ્મિક ઘટનાઓ ના બની... આવો યોગાનુયોગ હશે? મારા ભાગ્યમાં એ મહાત્માને પારણું કરાવવાનું સુકૃત નહીં લખાયેલું હોય? મારા નિમિત્તે જ એ મહાત્માને આવું ઘોર કષ્ટ આવવાનું હશે.? મારી વિશુદ્ધ ભાવના હતી પારણું કરાવવાની. કોઈ દંભ ન હતો, કોઈ કપટ ન હતું... ખરેખર, એ મહાત્મા પ્રત્યે મારા હૃદયમાં બહુમાનનો ભાવ હતો... ને આજે પણ છે... પરંતુ એ તપસ્વીના હૃદયમાં મારા પ્રત્યે વેરભાવ જાગી ગયો છે. એ બહુ ખોટું થયું છે... મારા નિમિત્તે કુલપતિને પણ એ આક્રોશપૂર્ણ વચનો સંભળાવે છે... કુલપતિનો વિનય-સત્કાર નથી કરતો... બહુ મોટો અનર્થ થયો. એને મારા આશયમાં શંકા પેદા થઈ ગઈ. ‘આ રાજા બાલ્યકાળથી મારો દુશ્મન છે. બાલ્યકાળથી મને ઘોર ત્રાસ આપે છે... અત્યારે પણ એ મને મારી નાંખવા માટે જ જાણી બૂજીને પારણાં નથી કરાવતો... મારી સાથે ક્રૂર ૨મત રમે છે... મારી કદર્થના કરે છે, મારો ઉપહાસ કરે છે... એ મારો દુશ્મન છે...' શું કરું? એ મહાત્માને હું કેવી રીતે સમજાવું કે ‘હું તમારો દુશ્મન નથી. મને તમારા પ્રત્યે દુશ્મની નથી... મારા મનમાં તમારા પ્રત્યે પૂર્ણ પ્રેમ છે, શ્રદ્ધા છે. તમારી ઉગ્ર તપશ્ચર્યાનાં ચરણોમાં હું ઢળી પડેલો તમારો ભક્ત છું. મેં તમારી સેવા સાચા ભાવથી કરેલી છે... હા, બાલ્યકાળમાં ને તરુણ અવસ્થામાં તમને ઘોર પીડા આપેલી... તમને મારું રમકડું સમજીને... તમારી સાથે ક્રૂરતાપૂર્ણ ખેલ ખેલેલા... પરંતુ એ મારાં પાપોનો ઘોર પશ્ચાત્તાપ તમારી સામે જ કર્યો હતો. આજે પણ... એ બધાં પાપો સ્મૃતિમાં આવે છે ત્યારે મારી જાત પ્રત્યે મને ઘોર ઘૃણા પ્રગટે છે.' Ev પરંતુ અત્યારે આ બધું મારે એમને કેવી રીતે સમજાવવું? તેમને આશ્રય આપનાર, તાપસધર્મ આપનાર, તપશ્ચર્યામાં સહાય કરનાર કુલપતિ પણ એને સમજાવી શકે એમ નથી. તો પછી હું કેવી રીતે સમજાવી શકું? વળી, એ મહાત્માએ હવે અનશન કર્યું છે... મારા પ્રત્યેની વેર ભાવનાથી પ્રેરિત ભાગ-૧૦ ભવ પહેલો For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy