SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેઓ સીધા જ પોતાના શયનખંડમાં ગયા. પ્રતિહારીને સૂચના આપી : ‘આજે કોઈને પણ હું મળીશ નહીં. કોઈને પણ મારા ખંડમાં પ્રવેશ આપીશ નહીં,’ પશ્ચિમ દિશાના ગવાક્ષની બારી ખોલીને, મહારાજા ત્યાં રહેલા આસન પર બેઠા, પશ્ચિમ દિશામાં રમણીય ઉદ્યાન હતું. આમ્રવૃક્ષો, ચંપકવૃક્ષો અને અશોકવૃક્ષોની ઘટાઓ હતી. નિર્દોષ પશુ-પક્ષીઓ ત્યાં મુક્ત મનથી નિર્ભયપણે ક્રીડા કરતાં હતાં. મહારાજા ગુણસેન અનિમેષ નયને ઉદ્યાન તરફ જોઈ રહ્યા હતા, તેમનું ચિત્ત અસ્વસ્થ હતું, વ્યથિત હતું. વિચારોનો વંટોળ ઊઠ્યો હતો. બાલ્યકાળમાં જાણી-બૂજીને એને દુઃખ આપ્યું, ત્રાસ આપ્યો. અને અત્યારે... જ્યારે યૌવનની ઉત્તરાવસ્થા છે ત્યારે, એ મહાત્માને સુખ આપવાની જ ઇચ્છા હોવા છતાં સુખ ના આપી શક્યો... એમના દુઃખમાં જ નિમિત્ત બન્યો... મને ક્યાં ખબર હતી કે એ બ્રાહ્મણ-પુત્ર અગ્નિશર્મા, ક્ષિતિપ્રતિષ્ઠિત નગરથી ભાગીને... આ તપોવનમાં આવીને તાપસ બની ગયો છે! અહીં આ નગરમાં આવ્યા પછી પણ મને ક્યાં ખબર હતી કે જેને મેં અને મારા મિત્રોએ ઘોર ત્રાસ આપેલો, એ અગ્નિશમાં અહીંના તપોવનમાં રહેલો છે! મારું અહીં વસંતપુરમાં આવવું... તપોવનમાં જવાનું કુલપતિ તરફથી આમંત્રણ મળવું... ત્યાં જવું ને અગ્નિશર્માનાં દર્શન થવાં... આ બધું કેવી રીતે બની ગયું? શા માટે મેં પારણા માટે એને આગ્રહપૂર્ણ આમંત્રણ આપ્યું? જો આમંત્રણ જ ના આપ્યું હોત અને માત્ર દર્શન કરીને આવી ગયો હોત તો આવું દુઃખદ પરિણામ ના આવત... પરંતુ મારા મનમાં એ મહાતપસ્વી પ્રત્યે બહુમાન જાગી ગયું! એના શરીરની કુરૂપતા મને ના દેખાઈ, એનાં વ્રતો અને એની તપશ્ચર્યાએ મને આકર્ષી લીધો... એના કરતાં, એની કુરૂપતાએ મારા મનમાં અણગમો પેદા કર્યા હોત તો સારું થાત. હું એને પારણા માટે આમંત્રણ ન આપત... એ મારા મહેલે ના આવત... તો આજે જે પરિણામ આવ્યું તેવું પરિણામ ના આવત... ઠીક છે. એની ઉગ્ર તપશ્ચર્યા અને પારણા માટેની વિશિષ્ટ પ્રતિજ્ઞા જાણીને પહેલી વાર મેં પારણા માટે નિમંત્રણ આપ્યું. હું શિરોવેદનાથી અતિ ત્રસ્ત બન્યો... ને પારણું ના કરાવી શક્યો... છતાં એ મહાત્માના ચિત્તમાં મારા પ્રત્યે વેરભાવ નહોતો જાગ્યો... એમણે મારી પરિસ્થિતિને સમજીને મનનું સમાધાન કરી લીધું હતું... એ વખતે હું ભાવાવેશમાં તણાઈ ગયો... ને ફરીથી પારણા માટે મેં ઘણો આગ્રહ કર્યો... જો મેં એ આગ્રહ ના કર્યો હોત... તો કુલપતિ એ તપસ્વીને મનાવીને શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy